21 November 2010

મકાનના ભાવ ઘટશે ખરાં ?

ફ્લેટ મકાન ખરીદવું છે? થોડો સમય રાહ જુવો...

ફ્લેટ ખરીદવાનો વિચાર કરનાર અત્યારે આવુજ વિચારતો હશે કે મારે એક ફ્લેટ ખરીદવો છે પણ ભાવ સાંભળીને નામ લેવા જેવું નથી। REAL ESTATE માર્કેટમાં એટલી બધી તેજી આવી ગઈ છે કે નાના માણસ માટે મકાન ખરીદવું અઘરું થઇ ગયું છે. દિવાળીમાં કદાચ બધાના ઘરે જતાં આવી વાતો પણ સાંભળવા મળી હશે. છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ ડબલ થઇ ગયા છે, આમાં મકાન ખરીદવું કેવી રીતે ?
મકાન ખરીદનારા માટે એક સારા સમાચાર એ છે કે આગામી ૬ મહિનામાં મકાનના ભાવ ઘટે તેવી શક્યતા છે. બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાવ ૨૦ % પણ ઘટી શકે છે અને ૨૫ ટકા પણ ઘટી શકે છે. આ વાત સાચી છે મિત્રો આગામી ૬ મહિનામાં મકાનના ભાવમાં જરૂર ૧૫થી ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. હવે આ ઘટાડો ક્યારે કેટલો આવશે તે બિલ્ડરો ઉપર વધારે આધાર રાખે છે.
મકાનના ભાવ શા માટે ઘટી શકે?

મકાનના ભાવ ઘટાડવાનો ગુજરાત સહીત દેશભરના બિલ્ડરો ઈચ્છતા નથી અને ઈચ્છે પણ શા માટે, પરંતુ મિત્રો આગામી દિવસોમાં બિલ્ડરોએ ભાવ ઘટાડવા પડશે REAL ESTATE માર્કેટમાં એટલી તેજી આવી ગઈ છે કે ભાવ જરૂર ઘટશે. REAL ESTATE માર્કેટનો ઘટાડો આખા વિશ્વમાં શરૂ થયો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશમાં ફરી આ સેક્ટરમાં મંદી શરૂ થઇ છે. અમેરિકામાં અત્યારે ૫૦ ટકા નીચા ભાવથી મકાન વેચવાની પણ ઓફર ચાલી રહી છે. યુરોપના અનેક દેશમાં મંદી ચાલે છે વિશ્વમાં REAL ESTATE માર્કેટમાં મંદીથી અનેક લોકો બેકાર બન્યા છે. તાજેતરમાં એટલે કે હજુ અઠવાડિયા પહેલાજ ચીને પણ REAL ESTATE માર્કેટની તેજીને ખાળવા અનેક પગલા લીધા છે. વિદેશની કોઈ કંપની ત્યાં એકથી વધારે મકાન કે PROPERTY પણ ખરીદી શકશે નહી. આ વાત થાય વિદેશની, હવે ભારતમાં પણ તાજેતરમાં RESERVE BANK OF INDIA એ લોન પર કડક નિયમો લાદ્યા છે. હવે થી મકાનની કુલ કીંમતના ૮૦ ટકાથી વધારે લોન પણ નહિ મળે. વ્યાજદરમાં વધારો થઇ રહ્યો છે એ વધારામાં.
ગુજરાત સહીત દેશમાં ઠગલાબંધ મકાનો બની રહ્યા છે
ગુજરાત સહીત દેશભરમાં ઠગલાબંધ મકાનો બની રહ્યાં છે એકલા અમદાવાદમાં જ આગામી ૫ વર્ષમાં ૧ લાખથી પણ વધારે મકાનો બની રહ્યા છે. આટલા બધા મકાનો બને છે છતાં ભાવ ઘટતાં નથી. અમદાવાદ જેવા મોટા શહેરમાં માત્ર ૬ જ મોટા બિલ્ડરો આગામી દશ વર્ષમાં એક લાખ મકાનો બનાવી રહ્યાં છે. જેને સરકારે ટાઉનશીપ એવું નામ આપ્યું છે. ટાઉનશીપ ને તમે આખે આખું ગામ ઉભું થશે એવું પણ કહી શકો છો. આ ગામ આધુનિક હશે. આવું જ ગુજરાતના અન્ય શહેરમાં થઇ રહ્યું છે જેવું ગામ એ મુજબ મકાનો બની રહ્યાં છે. આટલા બધા મકાનો બની રહ્યાં છે સામે ભાવ ઊંચા હોવાથી ખરીદનાર વર્ગ ભાવ ઘટવાની રાહ જોવે છે. આ ભાવ ઘટશે એટલે ખરીદનાર વર્ગ વધારે આવશે.
ટાઉનશીપ વિશે થોડું વધારે જાણો....
અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩ ટાઉનશીપ લોન્ચ થઇ ચુકી છે. દરકે ટાઉનશીપમાં આશરે ૧૫-૧૫ હજાર મકાનો બની રહ્યા છે. વાત ભાવની કરીએ તો એક પણ ટાઉનશીપમાં ૨૫ લાખથી નીચેના મકાન-ફ્લેટ નથી. પજેસન ૨-૩ વર્ષ પછી મળશે. ભાવ તમને મોંઘા ના લગતા હોઈ અને પજેસન માટે રાહ જોવાની તૈયારી હોઈ તો જરૂર ઘર ખરીદી શકાય.
નરેન્દ્ર મોદી તમે આ કરી શકો છો.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વિદેશમાં ગુજરાતનું નામ ગુંજતું કરી દીધું છે. ઉદ્યોગપતિઓં રોકાણ કરવા માટે આવે એ માટે લીલી જાજમ પાથરી દીધી છે, પણ થોડું મધ્યમવર્ગના લોકો માટે પણ વિચારવું જોઈએ. મકાનના ભાવ વધી રહ્યા છે ત્યારે આ ટાઉનશીપમાં કે કોઈ અન્ય જગ્યાએ મધ્યમવર્ગના લોકોને સસ્તું ઘર મળે તેવું કઈ કરવાની જરૂર છે. ગુજરાત સરકાર આ તરફ વિચારે તો REAL ESTATE MARKETની ખોટી તેજીનો થોડો અંત આવી શકે છે.


અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં ફ્લેટના શું ભાવ ચાલે છે એ જાણવા થોડી રાહ જુવો. અહીંજ વાંચવા મળશે....

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...