Showing posts with label Sowing. Show all posts
Showing posts with label Sowing. Show all posts

08 August 2023

ગુજરાતમાં તલ, તુવેર અને મગફળીનું વાવેતર ઘટ્યું, કપાસમાં વધારો

ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણ થવા આવ્યુ છે અને રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષનાં સરેરાશ વાવેતરની તુલનાએ ૯૧ ટકા વાવણી પૂર્ણ થવા આવી છે. જોકે એરંડા સહિતનાં કેટલાક પાકોનું વાવેતર હજી ઓગસ્ટનાં અંત સુધી ચાલુ રહેશે. ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ૭મી ઓગસ્ટ સુધીમા કુલ ખરીફ વાવેતર ૭૮.૨૩ લાખ હેકટરમાં થયું છે જે ગત વર્ષે આજ સમયે ૭૫.૮૬ લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૩.૧૩ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ૫.૮૪ ટકા વધીને ૨૫.૨૮ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે આજ સમયે ૨૬.૭૬ લાખ હેકટરમાં થયું હતું. મગફળીનું વાવેતર ચાર ટકા ઘટીને ૧૬.૨૫ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે આજ સમયે ૧૬.૯૩ લાખ હેકટરમાં થયું હતું. એરંડાનાં વાવેતરમાં ૧૩ ટકાનો વધારો થઈને ૩.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ સિઝનનાં અંતે પાંચથી ૧૦ ટકા જ વધે તેવી ધારણાં છે. હજી સરેરાશ વાવેતરની તુલનાએ બાવન ટકા જ વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યમાં કઠોળ પાકોનાં વાવેતરમાં ૯.૫૫ ટકાનો ઘટાડો થયો છે. ખાસ કરીને તુવેર અને અડદનાં વાવેતરમાં અનુક્રમે સાત ટકા અને ૧૨ ટકાનો ઘટાડો થયો છે. કઠોળનાં નીચા ભાવ અને અન્ય પાકોનાં ભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ કઠોળનાં બદલે કપાસ, તલ કે સોયાબીન જેવા પાકોનું વાવેતર વધાર્યું છે. ગુજરાતમાં તલનાં વાવેતરમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છેઅને કુલ વાવેતર ૫૪૨૮૩ હેકટરમાં થયું છે. તલનાં વાવેતર રાજ્યની સરેરાશની તુલનાએ હજી ૫૦ ટકા જ થયા છે અને જે વાવેતર વહેલા થયા હતા તેમાં મોટા ભાગનાં વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હાવાથી વાવેતરને અસર પણ થઈ હતી.

20 March 2017

ખેતીને ધંધો અપનાવી પૈસા કમાવવા વેલ્યુએડીશન અને નવીન પાકો તરફ વળવું પડશે



-જે ખેડૂતોએ સામા પવને ચાલીને નવા પ્રયોગો કર્યાં છે એ ખેડૂતો સફળ પણ થયાં છે
-પરંપરાગત ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની ફરિયાદો વધવા લાગી
-ખેડૂતો જાતે જ વેલ્યુએડીશન કરીને પાકોનું વેચાણ કરે તો ૫૦ ટકાથી પણ વધુ કમાણી થાય
-બાગાયત પાકમાં ખેડૂતો સીધી નિકાસ કરે તો પણ વધુ કમાણી થવાની સંભાવનાં

ગુજરાત સહિત દેશભરનાં ખેડૂતોને વિવિધ પાકોમાં પૂરતો ભાવ ન મળતા હોવાની ફરિયાદો વધી રહી છે. ડુંગળી, બટાટા, મગફળી, ચણા, તુવેર કે ધાણા કોઈ પણ પાક હાથમાં લો એટલે ખેડૂતોની ફરિયાદ સાંભળવા મળે છે કે અમે વાવણી કરી ત્યારે આસમાને ભાવ હતાં અને કાપણી કરી ત્યારે ભાવ તળિયે બેસી ગયાં હતા. આ ફરિયાદ દર એક કે બે વર્ષે કોઈને કોઈ પાકમાં જોવા મળતી હોય છે અને ભાજપ હોય કે કોંગ્રેસની સરકાર હજુ સુધી આનો કાયમી ઉપયાગ કોઈ જ સરકાર લાવી શકી નથી અને લાવી પણ શકશે નહીં. જો લાવી શકી હોત તો હાલ કઠોળનાં ભાવ તળિયે બેસી ગયાં છે ત્યારે તેની આયાત બંધ થઈ ગઈ હોય, પરંતુ આયાત ચાલુ જ છે. નાના બાળકને પણ ખબર પડે કે પેટ ભરાય ગયું હોય તો પાણી ન પીવાય તો નરેન્દ્ર મોદીની સરકારને શું? ના ખબર હોય કે તુવેર કે ચણાનાં ઢગલા થઈ ગયાં છે અને આયાત કરવી પડશે.

ઓછા ભાવનો કાયમી ઉપાય શું?
ખેતપેદાશોનાં ઓછા ભાવ મળે તેનો કાયમી ઉપાય એક જ છે અને એ છે કે પરંપરાગત પાકોની  સાથે ખેડૂતોએ નવીન પાક તરફ પણ વળવું જોઈએ અને નવી ટેકનોલોજીની સાથે ખેતી કરવાની શરૂઆત કરવી જોઈએ. મોટા ભાગનાં ખેડૂતો વાવેતર માટેનો નિર્ણય લે ત્યારે એક જ વસ્તુ વિચારે છે કે ગામમાં બધા ખેડૂતો શું વાવેતર કરે છે તેનું જ વાવેતર કરવું? બાજુવાળા રામજીભાઈએ કપાસ વાવ્યો તો આપણે પણ કપાસ જ વાવવો. નિર્ણય લેવામાં ખેડૂતો ભાવને પણ વધુ ધ્યાનમાં રાખે છે અને પછી ભાવ માટે જ ફરિયાદો કરે છે. ગત વર્ષે તુવેરનાં ભાવ આસમાને પહોંચ્યાં હોવાથી આ વર્ષે બધા જ ખેડૂતોએ તુવેર વાવી અને પરિણામ એ આવ્યું કે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ભાવની ફરિયાદથી દૂર રહેવું હોય તો પરંપરાગત પાકનું વર્ષોથી જેટલું વાવેતર કરતાં હોય તેનાં કરતાં ઓછુ જ વાવેતર કરવું અને ઘેંટાની જેમ ગાડરીયા પ્રવાહમાં તરવું નહીં. ખેતીને ધંધો અપનાવો અને ધંધામાં એકાદ વર્ષ નુકસાન પણ જાય એવી તૈયારી સાથે ખેતી કરવી જોઈએ.

ખેડૂતોએ વેલ્યુએડીશન અને ગ્રેડિંગ તરફ વળવું જોઈએ
ખેડૂતોએ હવેનાં જમાનામાં બધો જ માલ એક સરખો વેચી દેવાને પગલે ગ્રેડિંગ કરીને વેચાણ કરવું જોઈએ. મગફળીમાં ક્વોલિટી પ્રમાણે અલગ કરીને જ વેચાણ કરવું જોઈએ. એજ રીતે કપાસમાં પણ ખેડૂતોએ જુદા-જુદા ટાઈમે વિણાટ કરેલા કપાસની ક્વોલિટી જુદી-જુદી હોય છે ત્યારે ખેડૂતો ઘણી વાર નબળી ક્વોલિટીના કપાસનાં સારા ભાવ માટે સારી ક્વોલિટીમાં મિક્સિંગ કરે છે, જેને કારણે સારી ક્વોલિટીનાં પણ ઓછા ભાવ મળે છે. વાતાવરણ પ્રમાણે દરેક કોમોડિટીમાં ભેજનું પ્રમાણ બદલાતુ હોય છે અને ક્વોલિટી પણ બદલાતી જાય છે.
ખેડૂતોએ ગ્રેડિંગની સાથે વેલ્યુએડીશન પણ કરવી જોઈએ. વેલ્યુએડીશનને વાત આવે તે બટાટા અને ટમેટાની વેફરના જ ઉદાહરણ  આપણને સાંભળવા મળે છે, એ દરેક ખેડૂતો માટે શક્ય પણ નથી હોય કે વેફર બનાવીને જ વેચાણ કરવામાં આવે. પરિણામે ખેડૂતોએ માત્ર વાતો જ સાંભળવા મળે છે. ખેડૂતો ટમેટાની વેફર બનાવવાને બદલે તેનો સોસ બનાવીને કાચની બોટલમાં ભરીને પણ વેચાણ કરે તો વધુ કમાણી થઈ શકે છે. સોસ બનાવવા માટે ખેતરમાં ઓછા ટમેટે પાક્યાં હોય તો પણ ચાલે છે અને વળી સોસ બનાવવો પણ સહેલો હોવાથી ઘરે મહિલાઓ પણ સરળતાથી બનાવી શકે છે. કઠોળમાં પણ સારી ક્વોલિટીનાં કઠોળનું નાના પેકિંગ બનાવીને રિટેલ કે પછી કોઈ મોટા જથ્થાબંધ વેપારીને વેચાણ કરવામાં આવે તો પણ વધુ કમાણી થઈ શકે તેમ છે. આમ ખેડૂતોએ વેલ્યુએડીશન કરવું જરૂરી છે.

બાગાયત પાકોની નિકાસ બજાર તરફ પણ ધ્યાન રાખો
કેરી, કેળા, ચીકું કે બીજા બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતો મોટા ભાગનો માલ ભારતીય બજારમાં જ વેચાણ કરતાં હોય છે. આ વેચાણ પાછળ તેની ક્વોલિટી પણ જવાબદાર હોય છે. કેટલાક હોશિયાર અને સમજૂ ખેડૂતો હવે નિકાસબર ક્વોલિટીનાં જ ફળપાકોનું વાવેતર કરે છે અને પોતાનાં જેવા બે-ચાર મોટા ખેડૂતોને માલ એક સાથે એકઠો કરીને પછી તેને સીધા પણ નિકાસ કરે છે. કચ્છનાં બટુકભાઈ કેરીની નિકાસ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. કેળા માટે પણ સાઉથમાં અનેક ખેડૂતો નિકાસ કરી રહ્યાં છે અને વધુ કમાણી કરી રહ્યાં છે. આમ ખેડૂતોએ ખેતરમાં જેટલું ઉત્પાદન થાય તેમાંથી નિકાસ થઈ શકે તેમ હોય તેવા ફળોને અલગ કરીને તેની નિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ.
આજનાં ૪જી યુગ અને ૨૧મી સદીમાં ખેડૂતોએ કેટલાક નવા પાકોનો પણ પ્રયોગ કરવો જોઈએ. સરગવો, ડ્રેગન ફ્રુટ, સીડલેસ લિંબુ (જોકે આ પ્રયોગ બધાને સફળ ન પણ થાય), સૌરાષ્ટ્રમાં હળદરની ખેતીનો પ્રયોગ, ખારેક જેવા પાકોની પણ ખેતી કરીને ખેડૂતો બીજા પાકોની તુલનાએ વધુ કમાણી કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોને સરકારી સબસિડી આગામી દિવસોમાં ધીમે ધીમે ઓછી જ મળવાની છે અને ખેડૂતોએ પણ તેનાંથી ટેવાવું પડશે. ખેતીમાં નવા પ્રયોગો કરીને કમાણી કરવી પડશે. આજે પણ ઘણા ખેડૂતો ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ કરીને પણ ખેતી કરી રહ્યાં છે અને બાપ કરતા બેટો સવાયો એમ ખેતીમાં સવાઈ અને દોઢી કમાણી કરી રહ્યાં છે. તમે પણ તમારાં પોતાનાં ખેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકના પસંદગી કરો અને શક્ય એટલી પરંપરાગત પધ્ધતિને છોડીને નવીન વિચારો સાથે ખેતીને ધંધા તરીકે અપનાવશો તો વધુ કમાણી થશે.

21 January 2015

Gujarat Ravi Sowing 19 Jan.2015

ગુજરાતમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું ઃ જુવારમાં ૩૫ ટકાનો ઘટાડો

ગુજરાતમાં કુલ રવિ વાવેતર ગત વર્ષની તુલનાએ ૨૧ ટકા ઘટ્યું
ગુજરાતમાં મોટા ભાગનાં રવિ પાકોનું વાવેતર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. છૂટક છૂટક વિસ્તારમાં હજુ ઘઉંનું કે મકાઈનું વાવેતર થઈ રહ્યું છે. અત્યાર સુધીનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું છે, જ્યારે જુવારનાં વાવેતરમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત કૃષિ ખાતાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૧૯મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કુલ ૩૦.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૮.૪૨ લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ ગત વર્ષની કુલ વાવેતર વિસ્તાર ૨૧ ટકા ઘટ્યો છે.

રાજ્યમાં ચાલુ વર્ષે સૌથી વધુ ઘટાડો લસણનાં વાવેતરમાં થયો છે. લસણનું વાવેતર ચાલુ વર્ષે માત્ર ૭૬૦૦ હેકટરમાં જ થયું છે, જે ગત વર્ષે ૪૦,૬૦૦ હેકટરમાં થયું હતું. ઓછા વાવેતરને કારણે ભાવમાં તેજી જોવા મળી રહી છે. જુવારમાં પણ પાણીનાં અભાવે ખેડૂતોએ ૩૫ ટકા ઓછું વાવેતર કર્યું છે.
(Date 20 Jan.2015)

Gujarat Ravi Sowing 12 Janu.2015

ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં ૨૩ ટકાનો ઘટાડો ઃ બટાટાનું વધ્યું
-રાજ્યમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

ગુજરાતમાં ચાલુ વર્ષે ઘઉંનાં વાવેતર વિસ્તારમાં કુલ ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બટાટાનાં વાવેતર વિસતારમાં ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૧૨મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરમાં નોંધાયું છે, જે ગત વર્ષે ૩૭ લાખ હેકટરમાં થયું હતું. ખેડૂતોએ ચાલુ વર્ષે પાણીનાં અભાવે ઓછું વાવેતર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની મોટી તંગી હોવાથી રાજ્યમાં મોટા ભાગનાં મુખ્ય શિયાળુ પાકોનાં વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં સરેરાશ ૨૩ ટકાનો ઘટાડો થયો છે, પંરતુ સૌરાષ્ટ્રમાં વાવેતર વિસ્તાર ૫૦ ટકા જેટલો ઘટ્યો છે. ગુજરાતમાં નવા ઘઉંની આવકો ટૂંક સમયમાં ચાલુ થાય તેવી સંભાવનાં છે
(Date 13 Jan.2015

19 January 2015

All india Ravi Sowing 16 Jan.2015

દેશમાં ચણાનાં વાવેતર વિસ્તારમાં ૧૬ ટકાનો ઘટાડો

દેશમાં ચાલુવર્ષે રવિ સિઝનમાં કુલ કૃષિ પાકોનાં વાવેતરમાં ૬.૬૩ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટતાં કુલ કઠોળનાં વાવેતર વિસ્તારમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે દેશમાં ૧૬મી જાન્યુઆરી સુધીમાં કુલ ૫૭૬.૭૩ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૬૧૮.૨૦ લાખ હેકટરમાં થયું હતું.
કઠોળનાં વાવેતરમાં ૧૦ ટકાનો ઘટાડો થઈને ૧૩૩.૪ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે ૧૪૯.૧૭ લાખ હેકટરમાં થયું હતું. ખાસ  કરીને ચણાનું વાવેતર ૮૧.૯૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૮.૧૬ લાખ હેકટરમાં થયું હતું.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે           ઘટાડો (ટકામાં)
રાયડો             ૬૪.૯૯    ૭૦.૯૩
મગફળી         ૪.૬૪      ૬.૦૩
સૂર્યમુખી         ૨.૬૩      ૩.૯૧
તલ               ૦.૭૩      ૦.૬૪
અળસી          ૩.૦૪      ૩.૩૨
તેલીબિયાં       ૭૭.૫૦    ૮૬.૫૦          -૧૦.૪૦
ઘઉં               ૩૦૪.૦૦ ૩૧૪  -૩.૧૮
ધાન્ય પાક       ૫૪.૩૦    ૫૮.૪૦          -૭.૦૨
ચણા              ૮૧.૯૮    ૯૮.૧૬          -૧૬.૪૮
કઠોળ             ૧૨૯.૯૯ ૧૪૪.૭૯        -૧૦.૫૮
મકાઈ            ૧૩.૬૦    ૧૪.૨૦          -૩.૫૪
કુલ વાવેતર     ૫૫૨.૮૨ ૫૭૯.૬૩        -૬.૬૩

(આંકડાઓ લાખ હેકટરમાં ૧૪ જાન્યુ.સુધીનાં)
(Date 16 jan.2015)

08 January 2015

Gujarat Ravi Sowing 5 Janu.2015

ગુજરાતમાં વરિયાળું વાવેતર ૩૯ ટકા વધ્યું ઃ ઈસબગુલમાં પણ વધારો
-ગુજરાતમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

ગુજરાતમાં મોટા ભાગનું રવિ વાવેતર હવે પૂર્ણ થઈ ગયું છે અને ચાલુ વર્ષે સરેરાશ મોટા ભાગનાં મુખ્ય રવિ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ વરિયાળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૩૯ ટકા વધ્યું છે, જ્યારે ઈસબગુલનાં વાવેતરમાં પણ ૧૪ ટકાનો વધારો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૫મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરને પાર થયું છે, જે ગત વર્ષે ૩૭.૨૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં જીરૃનું વાવેતર ૪૨ ટકા ઘટ્યું છે. જ્યારે ઘઉંનું વાવેતર ૨૩ ટકા ઘટ્યું છે.

ગુજરાતમાં શેરડી અને તમાકુનાં વાવેતર પણ ચાલુ વર્ષે વધારો થયો છે. શેરડીનું વાવેતર ચાલુ વર્ષે ૧.૭૧ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૩૨ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે તમાકુનું વાવેતર ૧.૨૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૨ હજાર હેકટરમાં જ થયું હતું.
(Date. 6 Jan.2015)

03 January 2015

All India Ravi Sowing 2 Jan.2015



દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર સાત ટકા ઘટ્યું ઃ વરસાદથી રાયડાને ફાયદો
નવા રાયડાની આવકો માર્ચમાં શરૃ થવાની ધારણાં
દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર મોટા ભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઊભા પાકની સ્થિતિ પણ સારી છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે તેલીબિયાં પાકોને ફાયદો થાય તેવી સંભાવનાં જાણકારોએ વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે દેશમાં બીજી જાન્યુઆરી સુધીમાં તેલીબિયાં પાકોનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કુલ ૭૫.૪૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૮૦.૯૩ લાખ હેકટરમાં થયું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં અમુક ભાગોમાં છેલ્લા બે દિવસથી વરસાદી પડી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે. રાયડાનાં સૌથી મોટા ઉત્પાદક વિસ્તાર રાજસ્થાનનાં મસ્ટર્ડ સીડ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિયેશનનાં પ્રમુખ બાબુલાલ ડાટાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બે દિવસથી વરસાદ છે. કોટા પંથકમાં ગુરૃવારે અને જયપૂર પંથકમાં શુક્રવારે વરસાદી માહોલ હતો. વરસાદને કારણે રાયડાનાં ઊભા પાકને ફાયદો થશે અને ઊતારા પણ વધે તેવી ધારણાં છે. રાયડા-સરસવમાં ફુલ બેસી ગયાં છે અને વર્તમાન વરસાદ કે ઠંડીથી પાકને ફાયદો જ છે. જોકે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ વરસાદની તાતી જરૃર છે. વર્તમાન સ્થિતિ જોતા નવા રાયડાની આવકો માર્ચ મહિનાથી શરૃ થાય તેવી ધારણાં છે.
ઉલ્લેખનીય છેકે દેશમાં રાયડાનું વાવેતર ૬૪ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયે ૬૮ લાખ હેકટર અને સમગ્ર સિઝનને અંતે ૭૦ લાખ હેકટર ઉપર વાવેતર થયું હતું.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૪.૨૪    ૬૮.૦૪
મગફળી         ૩.૯૭      ૩.૬૭
સૂર્યમુખી         ૨.૪૫      ૩.૪૭
તલ               ૦.૬૪      ૦.૪૬
અળસી          ૨.૮૭      ૩.૧૪
તેલીબિયાં       ૭૫.૪૩    ૮૦.૯૩
ઘઉં               ૨૯૩.૧૬ ૨૯૪.૩૦
ધાન્ય પાક       ૫૧.૧૭    ૫૬.૧૮
ચણા              ૭૯.૬૫    ૯૫.૦૩
કઠોળ             ૧૨૯.૯૯ ૧૪૪.૭૯
કુલ વાવેતર     ૫૫૨.૮૨ ૫૭૯.૬૩

(આંકડાઓ લાખ હેકટરમાં ૨ જાન્યુ.સુધીનાં)
(Date 2 Jan.2015)

02 January 2015

Gujarat Ravi Sowing 29 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો ઃ જીરૃનું ૪૨ ટકા ઘટ્યું 

-સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો, ઘઉંનાં વાવેતરમાં મોટો ફટકો
ગુજરાતમાં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી સરેરાશ છેલ્લા દશેક દિવસથી વાવેતર વિસ્તાર વધ્યો છે, તેમ છત્તા ગત વર્ષની તુલનાએ કુલ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં રવિ વાવેતર વિસ્તારમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૯મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૮.૯૧ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૬.૬૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં ઘઉંનાં વાવેતરનાં ૨૩.૭૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીનાં વાવેતરનાં આંકડાઓ પ્રમાણે જીરૃનાં વાવેતરમાં ૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાયડાનાં વાવેતરમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે.
સૌરાષ્ટ્રમાં કુલ રવિ વાવેતર વિસ્તાર ૭૧૭૬૦૦ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૧૪૯૦૦ હેકટરમાં થયું હતું. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે પાણીની મોટી તંગી હોવાથી વાવેતરમાં મોટો કાપ આવ્યો છે.  સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે એક માત્ર ધાણાનું જ વાવેતર વધ્યું છે, એ સિવાયની તમામ પાકોનાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે.

27 December 2014

All india Ravi Sowing 26 Dec.2014

દેશમાં  રવી પાકોનું વાવેતર ૨૭ લાખ હેકટરમાં ઘટ્યું
ચણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૪ ટકા ઘટ્યું

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ ૨૭ લાખ હેકટરનો ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પાકને ફાયદો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૨૬મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૩૦.૨૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૫૭.૮૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં  ચણાનું વાવેતર કુલ વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૨ લાખ હેકટરમાં ઘટ્યું છે.
દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેકટરમાં ઘટ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો હોવાથી કુલ વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૩.૮૧    ૬૭.૦૧
મગફળી         ૩.૩૧      ૩.૪૮
સૂર્યમુખી         ૨.૩૫      ૩.૨૮
તલ               ૦.૫૫      ૦.૪૪
અળસી          ૨.૭૯      ૨.૭૧
તેલીબિયાં       ૭૪.૦૫    ૭૯.૦૨
ઘઉં               ૨૭૯.૬૦ ૨૮૬.૯૦
ધાન્ય પાક       ૫૦.૧૨    ૫૪.૯૯
ચણા              ૭૭.૮૧    ૯૦.૬૬
કઠોળ             ૧૨૪.૧૬ ૧૩૪.૭૨
કુલ વાવેતર     ૫૩૦.૨૨ ૫૫૭.૮૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૨૬ ડિસે. સુધીનાં)

24 December 2014

Gujarat Ravi Sowing 22 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૬ ટકાનો ઘટાડો

ગુજરાતમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર ઃ વરિયાળીનું ૩૨ ટકા વધ્યું, જીરૃનું ૪૩ ટકા ઘટ્યું

 
ગુજરાતમં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.  ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે વરિયાળીનાં વાવેતરમાં ૩૨ ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે મુખ્ય રવિ પાક જીરૃ, ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતરમાં મોટો ઘટાડો થયો હોવાથી કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૨મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૬.૨૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૫.૪૩ લાખ હેકટરમાં થયું હતું. ધાણાનું સત્તાવાર વાવેતર રાજ્ય સરકારે ચાલુ વર્ષથી જ ચાલુ કર્યું છે, પરંતુ ટ્રેડરોનાં મતે ગત વર્ષની તુલનાએ બેથી ત્રણગણું વધારે વાવેતર થયું હોવાનો અંદાજ છે.
ગુજરાતનાં મુખ્ય રવિ પાક એવા ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો  થયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની તંગી વધારે હોવાથી વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. જીરૃનું વાવેતર ૪૪ ટકા, ચણાનું ૩૪ ટકા અને રાયડાનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.


20 December 2014

All india Ravi Sowing 19 December

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો
 ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટ્યું  ઘઉંનાં વાવેતરમાં ધીમી ગતિએ વધારો


દેશમાં રવિ વાવેતર વિસ્તાર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી વાવેતર વિસ્તારમાં પણ વધારો નોંધાયો છે. તેમ છત્તા ગત વર્ષની તુલનાએ રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં ૪૧ લાખ હેકટરનો વધારો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૧૯મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૧૧.૧૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૪૦.૦૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. હવે ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં માત્ર પાંચ લાખ હેકટરનો જ ઘટાડો નોંધાયો છે. જોકે ગત વર્ષની તુલનાએ સરેરાશ વાવેતર ઓછું જ થાય તેવી ધારણાં છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૨.૯૯    ૬૬.૫૫
મગફળી         ૩.૧૭      ૩.૩૦
સૂર્યમુખી         ૨.૩૨.     ૩.૨૪
તલ               ૦.૫૨.     ૦.૪૮
અળસી          ૨.૩૦      ૨.૪૪
તેલીબિયાં       ૭૨.૫૨    ૭૮.૦૫
ઘઉં               ૨૬૮.૨૬ ૨૭૩.૧૨
ધાન્ય પાક       ૪૮.૨૪    ૫૩.૮૮
ચણા              ૭૫.૧૫    ૮૯.૪૬
કઠોળ             ૧૧૯.૮૯ ૧૩૨.૭૯
કુલ વાવેતર     ૫૧૧.૧૩ ૫૪૦.૦૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૧૯ ડિસે. સુધીનાં)

http://www.seaofindia.com/cdn/gallery/7/1e0f1a9eb45aae804999f9cd2b0d6cec.pdf

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...