મેન્થાઓઈલનાં
નફારૃપી વેચવાલીથી વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ
વાયદો સપ્તાહમાં ૧૦ ટકા ઊંચકાયા બાદ ફરી ઘટાડો જોવાયો
મેન્થા વાયદામાં નોન સ્ટોપ તેજીને બ્રેક લાગી હતી અને
વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી. મેન્થાતેલમાં તાજેતરની તેજી બાદ ભાવ
વધતા મથકોએ આવકોમાં વધારો જોવા મળ્યો હતો અને ટેકનિકલી પણ વાયદામાં નફારૃપી
વેચવાલી આવતા ભાવ તુટ્યાં હતાં.
એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલે રૃા.૭૪૬ પર બંધ
રહ્યાં હતાં, જે આજે રૃા.૩૦ ઘટીને રૃા.૭૧૬ની નીચી સપાટીએ
પહોંચ્યાં હતાં. વાયદામાં ચાલુ મહિનાની શરૃઆતમાં રૃા.૭૦૦ની અંદરનાં ભાવ હતાં.
મેન્થાઓઈલ અંગે જાણકારોનું કહેવું છેકે વાયદામાં હજુ પણ
ઘટાડો થઈને ભાવ રૃા.૬૯૫ સુધી આવી શકે છે, પરંતુ એ સપાટીથી ફરી સુધારો જોવા મળશે. સિન્થેટીક મેન્થા અને નેચરલ
મેન્થાનો ભાવ અત્યારે સરેરાશ એકસરખા જેવો જ હોવાથી નેચરલ મેન્થામાં મોટી તેજી થવી
મુશ્કેલ છે, પરંતુ ટેકનિકલી ઉપરમાં રૃા.૭૫૦ની સપાટી વટાવશે
તો ભાવ વધીને રૃા.૮૦૦ સુધી આગામી બેથી ત્રણ મહિનામાં પહોંચે તેવી ધારણાં છે.
મેન્થાઓઈલનું
ચાલુ વર્ષે ઉત્પાદન ૧૦ ટકા ઘટે તેવી ધારણાં છે. હાલનો ઘટાડો આવકો વધવાને કારણે છે.
યુ.પી.માં દૈનિક ૫૦થી ૮૦ ડ્રમની આવક થતી હતી, જે હાલ વધીને ૧૦૦ ડ્રમની ઉપર થઈ રહી છે. જેને કારણે ભાવ
ઘટ્યાં છે તેમ ટ્રેડરોનું કહેવું છે.