નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં ત્યાર બાદ રૂપિયાનું મૂલ્ય ૪.૭૩ ટકા ઘટ્યું
કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ રૃપિયો સુધરશે તેવી ધારણા
રાખનારા હવે ખોટા પડી રહ્યાં છે. રૃપિયો સુધરવાને પગલે નબળી પડી રહ્યો છે. આરબીઆઈ
ગવર્નર રાજન અને વડાપ્રધાન મોદીની લડાઈમાં અત્યારે રાજનનો ઘોડો વીનમાં છે. જેને
પગલે રૃપિયો સતત નબળો પડી રહ્યો છે. ભારતીય રૃપિયામાં આજે છેલ્લા સાડા છ મહિનાનો
સૌથી મોટો એક દિવસીય કડાકો બોલ્યો છે અને રૃપિયો ૬૫ પૈસા તુટી ગયો હતો. છેલ્લા એક
સપ્તાહમાં રૃપિયામાં આ ત્રીજો સૌથી મોટો
કડાકો બોલ્યો છે.
ભારતીય રૃપિયો ડોલર સામે આજે ૬૫ પૈસા નબળો પડીને ૬૧.૪૯ની(6 ઓગસ્ટ-2014) સપાટી પર બંધ રહ્યો હતો. જે છેલ્લા સાડા ચાર મહિનાની સૌથી નીચી સપાટી બતાવે
છે.રૃપિયામાં એક તબક્કે ૧૧ મહિનાની નીચી સપાટી પણ જોવા મળી હતી. રૃપિયામાં આજે એક
દિવસમાં ૧.૦૬ ટકાનો ઘટાડો થયો તે ૨૪ જાન્યુઆરી બાદનો સૌથી મોટો એક દિવસીય કડાકો હતો. જ્યારે ૨૦૧૪નો
બીજો સૌથી મોટો એક દિવસીય કડાકો હતો. બીજી મહત્તવની વાત એ પણ છેકે નરેન્દ્ર મોદી
વડાપ્રધાન બન્યાં ત્યાર બાદ રૃપિયાનું મૂલ્ય ડોલર સામે ૪.૭૩ ટકા ઘટ્યું છે. રૃપિયો
૨૬મી મેનાં રોજ ૫૮.૭૧ બંધ રહ્યો હતો.
ફોરેક્સ બજારનાં એનાલિસ્ટ સમીર લોઢાનું કહેવું છે કે મારા
મતે રૃપિયામાં સ્થિરતા ટૂંક સમયમાં આવવી
જોઈએ. ફુગાવો રૃપિયા માટે પોઝિટીવ છે અને સરકાર દ્વારા પણ પૂરવઠો વધે એ તરફ પગલાઓ
લેવાય રહ્યાં હોવાથી ફુગાવો ઘટે તેવી સંભાવનાં છે. વૈશ્વિક બજારની ઘટનાઓ અત્યારે
મંદી તરફી છે. રૃપિયામાં આગળ ઉપર ૬૨નું બોટમ બનાવીને ફરી પાછો સુધરે તેવી શક્યતા
છે. ટૂંકાગાળાની રેન્જ જોઈએ તો રૃપિયો ૬૦.૫૦થી ૬૧.૫૦ની વચ્ચે અથડાયા કરે તેવી
સંભાવનાં દેખાય રહી છે.
રૃપિયામાં ઘટાડા અંગે એનાલિસ્ટો કહે છે કે વિદેશી સંસ્થાકીય
રોકાણકારોની ભારતીય શેરબજારમાં મોટી ખરીદીથી રૃપિયો સુધર્યો હતો, પરંતુ હવે તે ખરીદી પાછી
ખેંચાય રહી છે. ભારતીય શેરબજારમાંથી એફઆઈઆઈ નાણા પાછા ખેંચી રહ્યાં છે.
વિદેશી ફંડોએ ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ઈક્વિટીમાંથી ૩૬૩૪.૮ લાખ ડોલર અને
ડેબ્ટમાંથી ૪૪૦૧.૫ લાખ ડોલર પાછા ખેંચ્યાં છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીનું રોકાણ
૨૫.૬૦ અબજ ડોલરનું રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચેની વધતી તંગદિલીને કારણે
વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે રૃપિયામાં સતત
નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાની ખાધ ઘટી છે, પરંતુ સરેરાશ હજુ પણ વરસાદની ૧૯ ટકાની ખાધ છે. ચોમાસાનાં બે
મહિના પૂરા થઈ ગયાં છે અને હવે દોઢ મહિનો બાકી છે. સમગ્ર ચોમાસા દરમિયાન જો
વરસાદની ૧૦ ટકા કરતા પણ વધુ ખાધ રહે તો વર્ષ નબળું જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં
રૃપિયામાં હજુ પણ સુધારો થાય તેવા કારણોની મોટી ગેરહાજરી છે અને ઘસારો થયા તેવા
કારણો વધી રહ્યાં છે.