Showing posts with label Edible Oil. Show all posts
Showing posts with label Edible Oil. Show all posts

12 July 2020

અમૂલનો ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશઃ દેશને ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનાવશે?


દિપક મહેતાઃ વિશ્વમાં સહકારી મોડલ અને શ્વેતક્રાંતિ માટે જાણીતા અમૂલ બ્રાન્ડે તાજેતરમાં ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને સમગ્ર ખાદ્યતેલ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાઓ થવા માંડી છે કે દુધની જેમ ખાદ્યતેલ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બનશે. ભારતમાં હાલ ક્રૂડતેલ પછી સૌથી વધુ વિદેશી હુડિંયામણ ખાદ્યતેલની આયાત પાછળ વપરાય છે અને આપણી જરૂરિયાતનાં ૭૦ ટકા ખાદ્યતેલ આપણે આયાત કરીએ છીએ. દેશ અનાજ-કઠોળ સહિત બીજી અનેક ખાદ્યચીજોમાં આત્મનિર્ભર બન્યો છે, પરંતુ ખાદ્યતેલમાં હજી આત્મનિર્ભર બની શક્યો નથી. દેશમાં એક તરફ તેલીબિયાં ઊગાડતા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને બીજી તરફ આપણે મલેશિયા કે ઈન્ડોનેશિયા જેવા પામતેલનાં સૌથી મોટા ઉત્પાદક દેશનાં ખેડૂતોને લાખોપતિ બનાવી દીધા છે ત્યારે અમૂલનાં પ્રવેશથી ભારતને ચોક્કસ આ દીશામાં આત્મનિર્ભર બનાવે તેવી આશાઓ જાગે, પરંતુ એ પૂર્વે દેશનું ખાદ્યતેલ બજાર અને અમૂલનાં ખાદ્યતેલ ક્ષેત્રનાં પ્રવેશ વિશે વિગતે ચર્ચા કરીએ...

અમૂલે સીંગતેલ સહિતનાં પાંચ પ્રકારનાં ખાદ્યતેલ લોન્ચ કર્યાં
ગુજરાતની તમામ ડેરીઓનાં સંયુક્ત સંગઠન અને ૩૬ લાખ દુધ ઉત્પાદકો જેમાં જોડાયેલા છે એવા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે તેની દુધ સહિતની તમામ પ્રોડક્ટ અમૂલનાં બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે એ અમૂલે ૯મી જુલાઈ,૨૦૨૦નાં રોજ પાંચ પ્રકારનાં ખાદ્યતેલ લોન્ચ કર્યાં છે. અમૂલે જન્મય બ્રાન્ડનાં નેજા હેઠળ સીંગતેલ, કપાસિયા તેલ, સોયાતેલ, સનફ્લાવર તેલ અને રાયડા તેલ ૧ લીટર પાઉંચ, પાંચ લીટર જાર અને ૧૫ કીલો ટીન-ડબ્બા પેકિંગમાં લોન્ચ કર્યાં છે. હાલ આ ખાદ્યતેલ માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ મળશે.
લોન્ચિંગ દિવસ તા.૯ જુલાઈ,૨૦૨૦નાં ભાવ
લોન્ચિંગ સમયે અમૂલનાં એમ.ડી. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં તેલીબિયાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ હેતુંથી ખાદ્યતેલ ક્ષેત્રે પર્વેશ કર્યો છે. જન્મય બ્રાંડનો અર્થ થાય છે નવજાત અથવા તાજુ… આ તેલ પાલનપુર ખાતેનાં પ્લાન્ટમાં બનશે.

જાણો આપણે દર વર્ષે કેટલું ખાદ્યતેલ પીએ છીએ...
દેશમાં છેલ્લા અંદાજો પ્રમાણે દર વર્ષે આશરે ૨૩૦ લાખ ટન આસપાસ ખાદ્યતેલનો વપરાશ થાય છે, જેમાંથી ઘરઆંગણે ૭૫થી ૮૦ લાખ ટન ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે, જ્યારે બાકીનું ખાદ્યતેલ આપણે આયાત દ્વારા પુરૂ કરીએ છીએ. ખાદ્યતેલનાં સિઝન વર્ષ નવેમ્બર-૨૦૧૮થી ઓક્ટોબર-૨૦૧૦ દરમિયાન ભારતે સીનાં અંદાજ પ્રમાણે કુલ ૧૪૯.૧૩ લાખ ટન ખાદ્યતેલની આયાત કરી હતી. ભારતીય લોકો દર વર્ષે અંદાજે ૧૭ કીલો તેલ પી જાય છે અને આમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેલ-તૈલિબિયાં ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જરૂરી છે. ખાદ્યતેલનાં કુલ વપરાશમાં મોટો હિસ્સો આયાતી તેલનો છે. જેમાં પણ ખાસ કરીને પામતેલનો સૌથી વધુ વપરાશ થાય છે, કારણ કે પામતેલ તમામ ખાદ્યતેલમાં સૌથી સસ્તુ છે.

ખાદ્યતેલનાં કુલ વપરાશમાં સીંગતેલ-કપાસિયા તેલનો હિસ્સો
અમૂલે ગુજરાતમાંથી ખાદ્યતેલનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં મોટા ભાગે સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ સમગ્ર દેશમાં સૌથી વધુ થાય છે, પરંતુ દેશનાં કુલ વપરાશમાં આ બંને તેલનો હિસ્સો એકદમ ઓછો છે.
દેશની ખાદ્યતેલની કુલ ૨૩૦ લાખ ટનની જરૂરિયાત છે, જેમાંથી સીંગતેલનો હિસ્સો માત્ર પાંચ લાખ ટન છે. જે સીંગતેલનાં ભાવ વધે ત્યારે આપણે દેકારો બોલાવીએ છીએ, પરંતુ એ સીંગતેલનો  હિસ્સો કુલ ખાદ્યતેલમાં માત્ર બેથી અઢી ટકા જેટલો જ છે. કપાસિયા તેલનો હિસ્સો ૧૨થી ૧૪ લાખ ટનનો છે. આમ તેનો હિસ્સો માત્ર છ ટકા જ રહેલો છે.

અમૂલ સીંગતેલ ઉપર ભાર મૂકે તો ગુજરાતને મોટો ફાયદો
ગુજરાત મગફળીનાં ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ટોચ પર છે અને દેશનાં કુલ ઉત્પાદનમાં ૬૦થી ૭૦ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો છે. ચાલુ વર્ષે એટલે વર્ષ ૨૦૨૦ની ખરીફ સિઝનમાં ગુજરાતમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને ઉત્પાદન ઓલટાઈમ હાઈ થવાનો અંદાજ છે ત્યારે જો સીંગતેલનાં વપરાશ ઉપર ભાર મુકાય તો ગુજરાતનાં ખેડૂતોને મોટી રાહત મળશે. એજ રીતે રાયડાતેલ ઉપર પણ ભાર મૂકવો જોઈએ, જેથી રાજસ્થાનનાં ખેડૂતોને ફાયદો થાય. બીજા ખાદ્યતેલની તુલનાએ મગફળી અને રાયડામાંથી તેલ વધારે નીકળે છે અને આરોગ્ય દષ્ટ્રીએ પણ ઉત્તમ છે. રોગપ્રતિકારક શક્તિ પણ મોટા પાયે વધારે છે.

અમૂલનાં પ્રવેશથી સહકારી ક્ષેત્રે સ્પર્ધા વધશે
ગુજરાતમાં સહકારી ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ ધારા સીંગતેલ સહિતનાં ખાદ્યતેલનાં વપરાશકારોમાં જાણીતી છે અને વર્ષો પહેલા લોકો તેનું તેલ વધારે ખરીદતા હતા. એજ રીતે એક-બે વર્ષ પહેલા સહકારી સંસ્થા ગુજકોમાસોલે પણ સીંગતેલ લોન્ચ કર્યું છે. આ સહકારી બ્રાન્ડ વચ્ચે અમૂલનાં આગમનથી સહકારી ક્ષેત્રે ખાદ્યતેલ વેચાણ કરવા માટે હરિફાઈ વધશે અને તેનો ફાયદો વપરાશકારો અને તેલીબિયાં ખેડૂતોને મળી શકશે. હાલ ખાદ્યતેલમાં ભેળસેળ વધી રહી છે ત્યારે સહકારી સંગઠનોનાં ખાદ્યતેલ ઉપર લોકોનો વિશ્વાસ વધે તેવી ધારણાં છે.
અમૂલે સનફ્લાવર કે સોયાબીન તેલની જગ્યાએ મગફળી અને રાયડાનાં ખેડૂતોને પ્રોત્સાહન મળે એ હેતુંથી સીંગતેલ અને રાયડા તેલનાં ઉત્પાદન અને વેચાણ ઉપર વધારે ભાર મુકશે તો ખરેખર ગુજરાત-રાજસ્થાનનાં ખેડૂતોને જેમ સારૂ તેલ ખાવા મળશે તેમ બંને રાજ્યનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળશે.
(લખ્યા તા.૧૨ જુલાઈ,૨૦૨૦)
-લેખ પસંદ પડે તો આપનો અભિપ્રાય  લેખની નીચે કોમેન્ટમાં  લખવા વિનંતી. મો.9374548215

19 January 2015

India's This year Edible oil Import rise to 126 lakh ton

દેશમાં ચાલુ વર્ષે ખાદ્યતેલની રેકર્ડબ્રેક ૧૨૬ લાખ ટનની આયાત થવાનો અંદાજ 
રાયડાનું ઉત્પાદન નવ ટકા ઘટીને ૫૯ લાખ ટન થશે
દેશમાં ચાલુ વર્ષે તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઓછું થવાથી અને માંગ વધવાને કારણે ખાદ્યતેલોની રેકર્ડબ્રેક આયાત થાય તેવો અંદાજ છે. ખાસ કરીને શિયાળુ પાક રાયડાનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થવાને કારણે મોટી અસર જોવા મળશે.
જી.જી.પટેલ એન્ડ નિખીલ રિસર્ચ એન્ડ કંપનીનાં મેનેજિંગ પાર્ટનર ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશમાં ખાદ્યતેલની ઓલટાઈમ હાઈ ૧૨૬ લાખ ટનની આયાત થવાનો અંદાજ છે. તેમણે ગત સપ્ટેમ્બર મહિનામાં ૧૨૧ લાખ ટનની આયાત થવાનો અંદાજ મૂક્યો હતો, તેનાં કરતાં આ વધારે છે. દેશમાં ગત વર્ષે ૧૧૬ લાખ ટનની આયાત થઈ હતી.
ગોવિંદભાઈએ રાયડાનાં પાક વિશે કહ્યું કે ચાલુ વર્ષે દેશમાં રાયડાનું ઉત્પાદન પણ નવ ટકા ઘટીને ૫૯ લાખ ટન થવાનો અંદાજ છે. પરિણામે ખાદ્યતેલની વધુ આયાત કરવી જરૃરી બની છે. રાયડામાં ઉતારા પણ આ વર્ષે ગત વર્ષ જેવા નથી. તાજેતરમાં વરસાદ આવ્યો હોવા છત્તા ઘણા વિસ્તારમાં પાકની સ્થિતિ સંતોષજનક નથી.
કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં રાયડાનું મોટા ભાગે વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઉતારા સરેરાશ સામાન્ય લેવલ જેટલા જ છે. દેશમાં ચાલુ વર્ષે ૬૪.૯૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૭૦.૪૩ લાખ હેકટરમાં થયું હતું. 
સોલવન્ટ એક્સટેકટર્સ એસોસિયેશન (સી)નાં એક્ઝિક્યુટિવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલનો વપરાશ વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધી રહ્યો છે. ચાલુ વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ઘટ્યું છે અને સસ્તા ખાદ્યતેલને કારણે માંગ વધી હોવાથી આયાત ઉપરની નિર્ભરતા વધશે. દેશની ૧૯૦ લાખ ટનની ખાદ્યતેલની માંગને સંતોષવા આપણે ૧૨૫ લાખ ટનથી વધુ આયાત કરવી જ પડશે. મલેશિયા અને ઈન્ડોનેશિયા દ્વારા લાંબા સમય સુધી ઝીરો ટકા ટેક્સ રહેશે તો ભારતમાં વધુ પુરવઠો ઠલવાશે.
(Date 16 jan.2015)

Tarrif Valu 16 Jan. to 31 Jan.2015

ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો ઃ સોનાં-ચાંદીની પણ વધી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ૯ ડોલર અને ચાંદીની ૨૪ ડોલર વધી
વૈશ્વિક બજારમાં વિતેલા પખવાડિયા દરમિયાન ખાદ્યતેલ અને બુલિયનનાં ભાવમાં વધારો થવાને કારણે તેની ટેરિફ વેલ્યૂમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે  સોયાતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો કરીને ૮૯૪ ડોલર કરવામાં આવી છે. પામોલીન તેલમાં ૩૦થી ૪૦ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મલેશિયામાં પૂરની સ્થિતિ બાદ વૈશ્વિક ખાદ્યતેલમાં તેજી જોવા મળી હોવાથી તેની ટેરિફ પણ વધી છે.
સરકારે સોનાની ટેરિફ વેલ્યૂ પણ ૩૯૨ ડોલરથી વધારીને ૪૦૧ ડોલર પ્રતિ ૧૦ ગ્રામે કરી છે. જ્યારે ચાંદીની કિલોદીઠ ટેરિફ વેલ્યૂ ૫૧૯ ડોલરથી વધારીને ૫૪૩ ડોલર કરી છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧ જાન્યુ.       ૧૬ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૬૯          ૭૦૫
રિફા.પામતેલ          ૬૯૬          ૭૨૯
અન્ય પામતેલ        ૬૮૩          ૭૧૭
ક્રૂડપામોલીન          ૭૦૦          ૭૩૯
રિફા.પામોલીન        ૭૦૩          ૭૪૮
અન્ય પામોલીન      ૭૦૨          ૭૪૧
કાચુ સોયાતેલ         ૮૪૩          ૮૯૪
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૨          ૪૦૧
ચાંદી                    ૫૧૯          ૫૪૩

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 16 jan.2015)

08 January 2015

World Edible oil price say's Investment Bank

સોયા-પામતેલમાં તેજી થવાની વૈશ્વિક બેન્કોની આગાહી
-રાબોબેન્ક, મેકક્વેરી, જેફેરીઝ અને ફ્યુચર ગ્રૂપની તેજીની આગાહી
-સ્થાનીક પામતેલ વાયદો પણ રૃા.૫૧૫ સુધી જશે

ખાદ્યતેલની બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં સરેરાશ મંદી જોવા મળ્યાં બાદ ૨૦૧૫માં તેજી જોવા મળે તેવી શક્યતા વિશ્વની અનેક ઈન્વેસ્ટમેન્ટ બેન્કો દર્શાવી રહી છે. રાબોબેન્ક, મેક્કેવરી, જેફેરીઝ અને ફ્યુચર ઈન્ટરનેશનલ ગ્રૂપે જણાવ્યું હતું કે વિશ્વમાં ૨૦૧૫નાં વર્ષમાં સોયાતેલ અને પામતેલમાં તેજીનો માહોલ જોવા મળે તેવી પૂરી સંભાવનાં છે.
પામતેલની માંગ વધતા ભાવ ઊંચકાશે ઃ રાબોબેન્ક
વૈશ્વિક બેન્ક રાબોબેન્કે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ૨૦૧૫માં પામતેલમાં સુધારો જોવા મળશે. માંગમાં વધારો થશે અને સુકા વાતાવરણની ધારણાએ ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ઓછું વધે તેવી ધારણાં છે. વિશ્વમાં પામતેલનું ઉત્પાદન ૨૦૧૫માં માત્ર ૧૩ લાખ ટન જ વધે તેવી ધારણાં છે, જે ૨૦૧૪માં ૩૬ લાખ ટન વધ્યું હતું. સ્ટોક પણ નીચો રહે તેવી ધારણાં છે. સ્ટોક પણ સિઝનને અંતે ઓછો રહેવાની ધારણાં છે.
પામતેલનું ઉત્પાદન ઘટવાની ધારણાં ઃ મેકક્વેરી
મેકક્વેરી બેન્કે જણાવ્યું હતુંકે અલનિનોની અસરથી ઈન્ડોનેશિયામાં સુકા વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે અને જેને કારણે પામતેલનાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે, જેને કારણે ભાવ ઊંચકાશે. પામતેલમાં શિયાળાનાં મહિના દરમિયાન સરેરાશ ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે.
સોયાખોળ-સોયાતેલમાં સુધારો જોવાશે ઃ ફ્યુચર ઈન્ટરનેશનલ
સોયાખોળ જાન્યુઆરી વાયદામાં ભાવ ટૂંકાગાળાલ માટે ૩૪૦થી ૩૮૦ ડોલર અને સોયાતેલમાં ૩૦.૬૫થી ૩૩.૪૦ ડોલરની રેન્જ જોવા મળશે. સોયા ખોળ-તેલમાં ટૂંકાગાળા માટે ભાવ ઘટી શકે છે, પરંતુ આગળ ઉપર ભાવ સુધરે તેવી ધારણાં છે.
સોયા તેલમાં ૨૦૧૫માં બદલાવ આવશે ઃ જેફેરીઝ
જેફરીઝ નામની વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે સોયા કોમ્પલેક્સમાં ૨૦૧૪માં સોયાતેલ સૌથી વધુ ઘટ્યું છે,પરંતુ ૨૦૧૫માં તેમાં બદલાવ આવશે અને ભાવ ઊંચકાય શકે છે.
સોયાતેલમાં સુધારાની ધારણાં ઃ રાબોબેન્ક
રાબોબેન્કનું માનવું છેકે સોયાતેલનાં ભાવ નીચા સ્ટોકને કારણે ૨૦૧૪ની બોટમથી ઉપરની તરફ આગળ વધી રહ્યાં છે. ૨૦૧૫માં પણ ભાવ સુધરે તેવી આશા છે. સોયાખોળની અમેરિકામાંથી રેકર્ડબ્રેક માંગને કારણે બજારને ટેકો મળશે.
એમસીએક્સ પામતેલમાં રૃા.૫૧૪નાં ભાવ જોવાશે

વૈશ્વિક બજારમાં પામતેલમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં પણ તેજીની સંભાવનાં છે. કેડિયા કોમોડિટીનાં કહેવા પ્રમાણે એમસીએક્સ જાન્યુઆરી પામતેલ વાયદો આગામી દિવસોમાં વધીને રૃા.૪૭૦, ૪૯૨ અને ત્યાર બાદ રૃા.૫૧૪.૮૦ સુધી જાય તેવી સંભાવનાં છે. રોકાણકારોએ દરેક ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. વાયદો ગત શુક્રવારે રૃા.૪૫૪.૯૦ પર બંધ રહ્યો હતો. મલેશિયન પામતેલ વાયદો છેલ્લે ૨૨૮૪ રિગિંટની  સપાટી પર બંધ રહ્યો હતો. શિકાગો સોયાતેલ ૩૨.૦૯ ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો.

02 January 2015

Tariff Value 1 Jan. to 15 Jan.2015

ચાંદીની ટેરિફ વેલ્યૂમાં ૪૨ ડોલરનો ઘટાડો ઃ ખાદ્યતેલની પણ ટેરિફ ઘટી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ચાર ડોલરનો ઘટાડો

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં વિતેલા પખવાડિયામાં ઘટાડો થવાને પગલે સરકારે તેની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો કર્યો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફીકેશન પ્રમાણે ચાંદીની ટેરિફ વેલ્યૂમાં પ્રતિ કિલોએ ૪૨ ડોલરનો ઘટાડો થયો છે. ચાંદીની ટેરિફ ૫૬૧ ડોલરથી ઘટીને ૫૧૯ ડોલર થઈ છે. જ્યારે સોનામાં ચાર ડોલર ઘટીને ૩૯૨ ડોલર થઈ છે.
સરકારે ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૩૦ ડોલર સુધીનો ઘટાડો કર્યો છે. સૌથી ઓછી સોયાતેલની ડ્યૂટીમાં છ ડોલરનો જ ઘટાડો કર્યો છે. જ્યારે પામતેલમાં સરેરાશ ૩૦ ડોલરનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં સોયાબીનની માંગ વધારે હોવાથી તેનાં ભાવ ઓછા ઘટ્યાં છે, પરિણામે તેની ટેરિફમાં પણ મામૂલી જ ઘટાડો કરાયો છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧૬ ડીસે.     ૧ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૯૯          ૬૬૯
રિફા.પામતેલ          ૭૨૩          ૬૯૬   
અન્ય પામતેલ        ૭૧૧          ૬૮૩
ક્રૂડપામોલીન          ૭૩૧          ૭૦૦
રિફા.પામોલીન        ૭૩૪          ૭૦૩
અન્ય પામોલીન      ૭૩૩          ૭૦૨
કાચુ સોયાતેલ         ૮૪૯          ૮૪૩
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૬          ૩૯૨
ચાંદી                    ૫૬૧          ૫૧૯

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 31 Dec.2014)

31 December 2014

Malaysia palm oil price rise due to Flood in malaysia

મલેશિયામાં પૂરથી પામતેલ વાયદામાં તેજીની સર્કિટ

-મલેશિયન પામતેલ વાયદો સતત ૮ દિવસ વધ્યો છે, જે ૨૦૧૦ બાદની સૌથી લાંબી રેલી
મલેશિયામાં છેલ્લા એક દાયકાનાં સૌથી ભારે વરસાદ અને પૂરને કારણે પામતેલ વાયદામાં આજે તેજીની સર્કિટ લાગી હતી. મલેશિયા વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો પામતેલ ઉત્પાદક દેશ છે અને ત્યાં પૂરને કારણે ચાલુ મહિને ૧૧ ટકાથી વધુ ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે. જેને પગલે આજે એમસીએક્સ પામતેલ વાયદામાં ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.
મલેશિયન પામતેલ વાયદો પણ સતત આઠ સેશનથી વધી રહ્યો છે, જે ૨૦૧૦ બાદની સૌથી લાંબી રેલી છે. બેન્ચમાર્ક માર્ચ વાયદો આજે ૩૬ રિગિંટ વધીને ૨૨૮૬ રિગિંટની  સપાટી પર બંધ રહ્યો હતો, જે ૧૮મી ડિસેમ્બરે ૨૧૨૧ રિગિંટની નીચી સપાટીએ હતો.
એમસીએક્સ ડિેસમ્બર પામતેલ વાયદામાં આજે ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી અને ભાવ રૃા.૧૮ વધીને રૃા.૪૬૦.૫૦ની બંધ  સપાટી જોવા મળી હતી. જાન્યુઆરી વાયદો ઈન્ટ્રા ડે રૃા.૪૭૧ની સપાટીએ પહોંચ્યો હતો. 
મલેશિયામાં હજુ પણ થોડા દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવનાં છે, જેને કારણે પામતેલનાં ઉત્પાદનમાં મોટો વિક્ષેપ આવશે. પામ ટ્રીનાં ટ્રાન્સપોર્ટેશનમાં મોટી અસર થઈ છે, જેને કારણે સરેરાશ ભાવ ઊંચકાય તેવી ધારણાં છે. એનાલિસ્ટોનું કહેવું છે કે ભારતે આયાત ડ્યૂટી વધારી હોવાથી તેની માંગ ઘટશે, પરંતુ મલેશિયામાં પૂરની સ્થિતિને કારણે સરેરાશ બજાર વધે તેવી ધારણાં છે.
(Date 29 dec.2014)

27 December 2014

Government hikes 5% import duty on crude, refined edible oil

ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો
-ક્રૂડખાદ્યતેલની ડ્યૂટી વધીને ૭.૫ ટકા અને રિફાઈન્ડની ૧૫ ટકા થઈ- સરકારને રૃા.૫૦૦૦ કરોડથી વધુની આવક થશે
આખરે કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. દેશનાં તેલીબિયાં ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી વધારવાની માંગ હતી, જે આંશિક સંતોષાય છે. કેન્દ્રીય કસ્ટમ વિભાગે ક્રૂડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૨.૫ ટકાથી વધારીને ૭.૫ ટકા અને રિફાઈન્ડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. આમ તમામ પ્રકારનાં ખાદ્યતેલની ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જોકે વર્તમાન ડ્યૂટી વધારાથી હજુ પણ દેશનો ખાદ્યતેલ ઉદ્યોગ નારાજ હોવાની લાગણી ઊભી થઈ છે.
દેશમાં ખાદ્યતેલની ઓક્ટોબરમાં પૂરી થયેલી સિઝનમાં રેકર્ડબ્રેક ૧૧૬ લાખ ટનની ખાદ્યતેલની આયાત થઈ હતી, જે અગાઉનાં વર્ષે ૧૦૪ લાખ ટનની થઈ હતી. વળી છેલ્લા પાંચ મહિનામાં દેશમાં ૫૫થી ૫૭ લાખ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી, જેને કારણે તેલીબિયાં લોબી દ્વારા અનેક વાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દેશમાં વાર્ષિક રૃા.૬૦,૦૦૦ કરોડની ખાદ્યતેલની આયાત થાય છે, જે મુજબ રૃા.૫૦૦૦ કરોડની આવક સરકારને થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ સરકારનાં નિર્ણયથી નારાજ છે. તેમનાં મતે ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્યતેલ વચ્ચે ઓછામાં ઓછો ૧૫ ટકાનો ડ્યૂટી ફરક હોય તો જ દેશની રિફાઈનરીઓ ચાલુ રહી શકે છે, પરંતુ વર્તમાન પગલાથી દેશમાં ચાલુ વર્ષે ખાદ્યતેલની આયાત વધવાની પૂરે પૂરી સંભાવનાં છે. દેશની રિફાઈનરીઓ અત્યારે તેની ક્ષમતા કરતાં ૩૦થી ૩૫ ટકા જ કેપિસીટમાં ચાલુ છે.
સરકારનાં નિર્ણયને પગલે આજે તમામ ખાદ્યતેલનાં ભાવમાં ૧૦ કિલોએ રૃા.૫થી રૃ.૧૨નો વધારો જોવા મળ્યો હતો. પામતેલનાં ભાવ સરેરાશ ૧૦ કિલોએ રૃા.૧૦ વધ્યાં હતાં.

ખાદ્યતેલમાં ડ્યૂટી પાંચ ટકાનો વધારો છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ નારાજ
ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ડ્યૂટી ફરક માત્ર ૭.૫ ટકા જ હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો ખાદ્યતેલ-રિફાઈનરી ઉદ્યોગ નારાજ છે. આ ક્ષેત્રનાં જાણકારોનું કહેવું છેકે ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ૭.૫ ટકાનો જ ડ્યૂટી ફરક હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે.
ઉદ્યોગજગતને કોઈ જ રાહત થવાની નથી ઃ ડો.બી.વી.મહેતા
સોલવન્ટ એક્સટેકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)નાં એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાંચ ટકા ડ્યૂટી વધારાથી ઉદ્યોગજગતને કોઈ રાહત થવાની નથી. અમારી સરકાર પાસે બે એન્ગલથી માંગ હતી કે એક તો ડ્યૂટી વધારો તમે ખેડૂતોનાં હીતમાં કરો અને બીજું કે રિફાઈનરી ઉદ્યોગને રાહત મળે. આ બેમાંથી ડ્યૂટી વધતા ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગને કોઈ ફાયદો નહી થાય. ક્રૂડ અને રિફાઈન્ડ ડ્યૂટી વચ્ચેનો ફરક ૧૫ ટકા રહે તેવી અમારી માંગ હતી અને અમે ક્રૂડ તેલ ઉપર ૧૦ ટકા અને રિફાઈન્ડ ઉપર ૨૫ ટકા ડ્યૂટી લાદવાની માંગ કરી હતી. સરકારે બંને ઉપર પાંચ ટકા વધારી છે, પરંતુ ડ્યૂટી ફરક ૭.૫ ટકા જ રહ્યો છે. પરિણામે મલેશિયા અને ઈન્ડોનેશિયા ફેબ્રુઆરીમાં જ્યારે ક્રૂડપામતેલ ઉપર નિકાસ ડ્યૂટી લાગુ પાડશે ત્યારે અહીં ૭.૫ ટકાનાં ફરકને લીધે ડ્યૂટી વધારાની અસર નીલ થઈ જશે. પાંચ ટકા ડ્યૂટી વધવા છત્તા ચાલુ વર્ષે આયાત વધીને ૧૨૫ લાખ ટને પહોંચે તેવી પૂરી સંભાવનાં છે.
અમે સરકારનાં નિર્ણય અંગે ફેર રજૂઆત કરીશું અને અમારી એ પણ માંગ છેકે ડ્યૂટી વધારાથી સરકારને કુલ રૃા.૫૦૦૦ કરોડની આવક થશે, જે નાણા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે અને લઘુત્તમ ટેકાનાં ભાવથી ખરીદી કરવાની  સિસ્ટમમાં ઉપયોગ થાય. ગત વર્ષે નાફેડ પાશે પૂરતું ફંડ ન હોવાથી ગુજરાત સહિતનાં દેશનાં મગફળીનાં ખેડૂતોને નુકસાન થયું હતું. જેવું ભવિષ્યમાં ન થાય તે જરૃરી છે.
મલેશિયા-ઈન્ડો. પામતેલનાં ભાવ ઘટાડશે ઃ વીજય ડાટા
સીનાં પૂર્વ પ્રમુખ વીજય ડાટાએ જણાવ્યું હતુંકે ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગકારોને નહીં. મેલશિયા અને ઈન્ડોનેશિયા પામતેલનાં ભાવ ઘટાડે તેવી ધારણાં છે. સરકારે ક્રૂડતેલની ૨૫ ટકા અને રિફાઈન્ડની ૩૭.૫ ટકા ડ્યૂટી વધારવી જોઈએ.
સરકારનો નિર્ણય અધકચરો છે ઃ સમીરભાઈ શાહ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિયેશન(સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે વધારો જરૃરી હતી, પરંતુ સરકારે ઓછો વધારો ક્યો છે. સરકારનો નિર્ણય અધકચરો હોય તેવું લાગે છે. સરકારે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ કે જેથી સ્થાનિક તેલનોવપરાશ વધે અને એ વધશે તો ખેડૂતોને ભાવ મળશે અને દેશમાં ઉત્પાદનમાં પણ વધારો થશે. એક તબક્કે સોયા ઉપર ૪૫ ટકા અને પામતેલ ઉપર ૮૫ ટકા ઉપરની ડ્યૂટી હતી, એની સરખામણીમાં હાલ ડ્યૂટી ઘણી ઓછી છે એટલે આયાત તો વધવાની જ છે. વળી આ વર્ષે પાક પણ ઓછો છે.
ડ્યૂટીમાં ૧૦ ટકાનો વધારો થવાની જરૃર હતીઃ બાબુલાલ ડાટા
રાજસ્થાન સ્થિત મસ્ટર્ડ ઓઈલ પ્રોડ્યુસર એસો.(મોપા)નાં પ્રમુખ બાબુલાલ ડાટાએ જણાવ્યું હતું કે ડ્યૂટી વધારાની જરૃર હતી, પરંતુ ઓછો વધારો થયો છે. ૧૦ ટકા ડ્યૂટી વધે તે જરૃરી છે. હાલમાં પણ  સ્થાનિક કરતા વિદેશી તેલ સસ્તા હોવાથી આયાત વધે તેવીપૂરી શક્યતા છે.
ડ્યૂટી ૧૫ ટકાને બદલે પાંચ ટકા જ વધી ઃ અનિલ છત્તર
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગ કંપનીનાં અનિલ છત્તરે જણાવ્યું હતું ડ્યૂટી ૧૫ ટકા વધવાની ધારણાં હતી,પરંતુ પાંચ ટકા જ વધી છે. ઉદ્યોગજગતને થોડી રાહત થશે. અમુક તેલોની આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો થાય તેવી ધારણાં છે.



23 December 2014

India's 308 Solvent plant default on Monthly stock data

દેશનાં ૩૦૮ સોલવન્ટ પ્લાન્ટોને ખાદ્ય મંત્રાલયની નોટિશ

-ખાદ્ય મંત્રાલયનાં પરિપત્ર પ્રમાણે સ્ટોકનાં આંકડાઓ આપવામાં મિલો ડિફોલ્ટ
-ગુજરાતની ૨૬ મિલો અને મહારાષ્ટ્રની ૩૪ મિલોએ સ્ટોકનાં આંકડાઓ ન આપ્યાં

કેન્દ્ર સરકારે દેશની ૩૦૮ સોલવન્ટ પ્લાન્ટો-ખાદ્યતેલ પ્રોડક્ટ બનાવતી તેલ મિલો માસિક સ્ટોકનાં આંકડાઓમાં ડિફોલ્ટ જાહેર કરી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગ દ્વારા આ તમામ નામો જાહેર કરવામાં આવ્યાં છે. આ મિલો ઉપર આગળ ઉપર આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ પગલા લેવામાં આવે તેવી ધારણાં છે.
ખાદ્ય મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે ગુજરાતની ૨૬ તેલ મિલો અને મહારાષ્ટ્રની ૩૪ મિલોને પણ  સમાવેશ થાય છે. સરકારે ૨૬મી નવેમ્બરે એક નોટિશ મારફતે દેશની તમામ ખાદ્યતેલ પ્રોડક્ટ બનાવતી મિલો, સોલવન્ટ એક્સટ્રેકટેડ ઓઈલ, ડિ-ઓઈલ મિલ અને ખાદ્યતેલ ફ્લોર બનાવતા ઉત્પાદકોને તેનાં ઉત્પાદન,વેચાણ, આયાત અને નિકાસ તેમજ કાચા માલની ખરીદી સહિતની તમામ વિગતો દર મહિનાની ૭મી તારીખ સુધીમાં ઓનલાઈન આપવાની હતી. પરંતુ આવી ૩૦૮ મિલોએ આ પ્રકારની વિગતો જાહેર કરી નથી.
ખાદ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે દેશનાં ટોચનાં ઉત્પાદકો પણ આ પ્રકારની વિગતો આપી ન હોવાથી ડિફોલ્ટરનાં લિસ્ટમાં સામેલ છે. ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરલ, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશની મિલોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતની ડિફોલ્ટ જાહેર થયેલી મિલો
કારગિલ ઈન્ડિયા, રૃચી સોયા ઈન્ડ.,ગુજરાત અંબુજા એક્સપોર્ટ, બુંગે ઈન્ડિયા, મોરવી વેજીટેબલ, અશ્વીન વનસ્પતિ ઈન્ડ., ગોકુલ રિફોઈલ્સ, જગદીશ એક્સપોર્ટ, વિતરાગ એક્સપોર્ટ ઈન્ડ., આકાશ એગ્રો ઈન્ડ., સંજય ઓઈલકેક ઈન્ડ., એસ.કે. ઈન્ડસ્ટ્રીઝ, મૌજી હરીભાઈ ઓઈલકેક, ખેડૂત સોલવન્ટ, રાજેશ ઓઈલ ઈન્ડ.,ગોકુલ રિફોઈલ્સ-પાટણ, અદાણી વિલ્મર, આકાશ એગ્રો, નેશનલ પ્રોટીન એન્ડ સોલવન્ટ, શ્રી અંબીકા ઓઈલ કેક, વિમલ ઓઈલ, જગદીશ ઓઈલ કેક, ગુજારર ફુડ પ્રોડક્શન, ઠક્કર હિતેશ ચંદુલાલ, કેજીએન એન્ટ., આકાશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ,

મહારાષ્ટ્રની ડિફોલ્ટ જાહેર થયેલી મિલો

કારગીલ ઈન્ડિયા, પ્રણવ એગ્રો ઈન્ડ., ફ્રીગોરીપીકો અલાના, પુના દાલ એન્ડ ઓઈલ, કામાણી ઓઈલ, રાજારામ સોલવેક્સ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ, શિવ શક્તિ એક્સટ્રેક્શન્સ, સાઈ સિનારાન ફુડ્સ, ઘોડાવત ફુડ્સ, ડીવાઈનફુડ્સ ઈન્દ્રા, મથુરા એક્સ., મુરલી ઈન્ડ. ડીસાન એગ્રોટેક, કૈસાર ઓઈલ્સ, દીયોધારી, કિર્તી એગ્રોટેક, કિર્તી ફુડ્સ, કિર્તી દાલ મિલ, કિર્તી એગ્રોવેટ, કિર્તી સોલવેક્સ, શ્યામકલા એગ્રો, રૃચી સોયા, રામદેવબાબા, રસોયા પ્રોટીન, તાનીયા ઈન્ડ., કપીલ સોલવેક્સ, ભારતી એક્સ., શિવપાર્વતી પોલ્ટ્રી, ઓમશ્રી, ઉમરેડ એગ્રો.

13 December 2014

India's November Edible Oil import Down 6.58% compare to Oct.14

The Solvent Extractors' Association of has compiled the Import data of Vegetable Oils (edible & non-edible) for the month of November 2014. Import of vegetable oils during November 2014 is reported at 1,189,934 tonnes compared to 944,309 tonnes in November 2013, consisting of 1,149,131 tonnes of edible oils and 40,803 tonnes of non-edible oils i.e. up by 26%. but Compare to oct.14 import down 6.58%.
In last two months, due to Nil export duty on palm products by Indonesia and Malaysia, lowest prices of palm products in last 5 years and reduced demand of CPO for bio diesel, pushed the export of palm products to India to reduce burgeoning stock held by the exporting countries. Also, due to high prices of soybean and lesser realization for oil and soybean meal in export market, resulted in lower crushing and availability of domestic oil coupled with anticipated increase in import duty by the Indian Government, raised the import during November 2014 to a record level compared to November 2013 & November 2012.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...