Showing posts with label Garlic. Show all posts
Showing posts with label Garlic. Show all posts

21 January 2015

Old Garlic stock 5 to 6 lakh bag in All over india

દેશમાં જૂના લસણનો ૫થી ૬ લાખ ગુણીનાં સ્ટોકનો અંદાજ ઃ ભાવ હજુ ઊંચકાશે
-મધ્યપ્રદેશમાં ૧૦થી ૧૫ ફેબ્રુઆરી બાદ આવકોમાં વધારો થવાનો મોટા ભાગનાં ટ્રેડરોનો અંદાજ
લસણ બજારમાં તેજીનો દોર યથાવત છે. દેશમાં જૂના લસણનો ઓછો સ્ટોક અને ખાસ કરીને સારી ક્વોલિટીનાં લસણની અત્યારે તંગી જોવા મળી હોવાથી ભાવ છેલ્લા દશેક દિવસમાં મણે રૃા.૪૦૦ વધીને રૃા.૧૪૦૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે. દેશભરનાં ટ્રેડરોનો અત્યારે એક જ સૂર છે કે બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. તેજી માટે ટ્રેડરો કહે છે કે કિલોએ રૃા.૫થી લઈને રૃા.૨૦ સુધીની તેજી જોવા મળી શકે છે. એ પ્રમાણે સૌરાષ્ટ્રનાં લસણનાં ભાવ ૨૦ કિલોનાં રૃા.૧૬૦૦થી લઈને રૃા.૧૮૦૦ની સપાટીએ પહોંચે તેવી ધારણાં છે.
બેંગ્લોરનાં ગુજરાતની લસણનાં વેપારી ગુલાબભાઈ કરમીયાએ જણાવ્યું હતું કે લસણમાં જૂનો સ્ટોક ઓછો છે અને નવો પાક પણ ઘણો ઓછો હોવાથી બજારમાં તેજી જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં હાલ લસણનો ૫થી ૬ લાખ ગુણીનો સ્ટોક હોવાનો અંદાજ છે. ગુજરાતમાં ૧.૫૦થી ૨ લાખ ગુણી અને મધ્યપ્રદેશમાં ૧.૫૦ લાખ ગુણીનાં સ્ટોકનો અંદાજ છે.
નવા પાક વિશે ગુલાબભાઈએ કહ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષે ૭૦ ટકા પાક ઓછો છે. મધ્યપ્રદેશમાં ૧૦ ટકા ઓછું ઉત્પાદન થશે, રાજસ્થાનમાં ૧૦થી ૧૫ ટકા પાક ઓછો છે અને ઉત્તર પ્રદેશમાં ઉતપાદન ૫૦ ટકા ઓછું થાય તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં હાલ નવા લસણની થોડી થોડી આવકો થાય છે, પરંતુ ૧૫ ફેબ્રુઆરી બાદ જ નવા લસણની આવકોમાં વધારો થાય તેવી ધારણાં છે. હાલ બાંગ્લાદેશની નિકાસ માંગ પણ સારી છે, જેને કારણે સરેરાશ બજારો વધી રહ્યાં છે. સારી ક્વોલિટીનાં લસણમાં વર્તમાન ભાવથી હજુ કિલોએ રૃા.૨૦નો વધારો થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં મંદસૌરનાં એક વેપારીએ જણાવ્યું હતું કે એમ.પી.માં હાલ રોજની એકાદ હજાર ગુણીની આવકો થાય છે, પરંતુ ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહથી આવકો વધીને દૈનિક ચારથી પાંચ હજાર ગુણીની શરૃ થશે. અને ૧૦ ફેબ્રુઆરી બાદ આવકોમાં વધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બાંગ્લાદેશની નિકાસ માંગ ચાલુ રહે તો લસણમાં હજુ કિલોએ રૃા.૫થી ૧૦નો વધારો થાય તેવી શક્યતા દેખાય રહી છે.
એમ.પી.નાં જાવરાનાં વેપારી મહાવીરભાઈએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં અત્યારે દલોદામાં જ નવા લસણની વધારે આવક થાય છે, એ સિવાય ખાસ કોઈ આવકો નથી. ફેબ્રુઆરીનાં પહેલા અઠવાડિયા બાદ નવા લસણની આવકો વધે તેવી ધારણાં છે. જૂનો સ્ટોક ઓછો હોવાથી બજારો વધી રહી છે. લસણમાં હજુ પણ કિલોએ રૃા.૫થી ૧૦નો વધારો થાય તેવી ધારણાં છે.
સૌરાષ્ટ્રનાં લસણનાં એક વેપારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં લસણમાં આવકો ઓછી થઈ ગઈ છે. ઊંચા ભાવને કારણે ખેડૂતોની વેચવાલી અત્યારે ઘટી ગઈ છે અને ખેડૂતોને પણ હવે એવી ધારણાં છેકે ભાવમાં હજુ પણ વધારો થશે. લસણમાં અગાઉનાં વર્ષો જેવી તેજી થવાની ધારણાં આ વર્ષે નથી. લસણમાં વર્તમાન ભાવથી હજુ સુધારો જોવા મળશે, પરંતુ આગળ  ઉપર મધ્યપ્રદેશની નવી આવકોની ક્વોલિટી કેવી નીકળે છે  તેનાં ઉપર બજારનો મોટો ટ્રેન્ડ રહેલો છે. બાંગ્લાદેશની પણ નિકાસ માંગ કેવી નીકળે તેનાં ઉપર પણ બજારનો આધાર છે. જો બાંગ્લાદેશની નિકાસ માંગ જળવાઈ રહેશે તો બજારમાં પોઝિટિવ માહોલ ટકી રહે તેવી પૂરી શક્યતા દેખાય રહી છે.
(Date 20 Jan.2015)

19 January 2015

Garlic Price Rise

લસણમાં દેશાવરની ધૂમ માંગથી બે દિવસમાં મણે રૃા.૨૦૦થી ૨૫૦નો ઉછાળો
- મધ્યપ્રદેશમાં પણ કિવન્ટલે રૃા.૫૦૦થી ૧૫૦૦નો વધારો

લસણ બજારમાં લાલચોળ તેજી જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં દેશાવરની ધૂમ ઘરાકીને કારણે સૌરાષ્ટ્રના પીઠાઓમાં મણે રૃા.૨૦૦થી ૨૫૦નો ઉછાળો આવ્યો છે. મધ્યપ્રદેશ અને યુ.પી.માં નવા લસણની આવકો શરૃ થઈ છે, પરંતુ તેની નબળી ક્વોલિટી અને જૂના લસણમાં બગાડનાં સમાચારને પગલે બજારો ઝડપથી ઊંચકાયા છે. બજારનો ટોન હજુ પણ મજબૂત હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓ આજે ગોંડલમાં હતાં. પરિણામે ગોંડલમાં લસણનાં ભાવ વધીને ઉપરમાં રૃા.૧૩૮૧ સુધીમાં વેચાણ થયાં હતાં. આ ભાવથી ૧૦૦ ગુણીનાં વેપાર થયા હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. રાજકોટમાં પણ રૃા.૧૧૦૦ ઉપરનાં ભાવ ક્વોટ થયાં હતા. ગોંડલમાં ૯ હજાર ગુણીની આવક સામે ૬ હજાર ગુણીનાં વેપારો થયાં હતાં.
ગોંડલનાં સુધીર એન્ટરપ્રાઈઝનાં પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ.પી.માં લસણ ઉગવા લાગ્યું છે અને નવી આવકો પણ ઓછી છે. સરેરાશ ચાલુ વર્ષે ઉત્પાદન જ ઓછું છે. સાઉથની ઘરાકી પણ સારી છે અને આવકો છેલ્લા બે-ચાર દિવસથી કપાય ગઈ છે, જેને કારણે લસણમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લસણમાં બે દિવસમાં રૃા.૨૦૦થી ૨૫૦નો વધારો થયો છે. સારી ક્વોલિટીનાં લસણમાં ગઈકાલે રૃા.૧૩૨૧નાં આજે રૃા.૧૩૮૧ કવોટ થયાં હતાં. બજારમાં હજુ પણ તેજી જોવા મળશે.
કેશોદનાં જતીનભાઈ દલાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનાં લસણની ક્વોલિટી અત્યારે સમગ્ર દેશમાં બેસ્ટ છે. છેલ્લા ત્રણ દિવસ એમ.પી.નાં મોટા ભાગનાં પીઠાઓ બંધ હતાં અને આજે ખુલ્યા બાદ પણ આવકો ૧૦થી ૧૨ હજાર ગુણીની માંડ થઈ હતી. જેને કારણે એમ.પી.નાં બજારો પણ ક્વિન્ટલે રૃા.૫૦૦થી રૃા.૧૫૦૦ વધ્યાં હતાં. એમ.પી.માં જે નવું લસણ ઊંટી ક્વોલિટી આવ્યું છે તેની પણ ક્વોલિટી નબળી છે અને જૂનું લસણ હવે ઓછું હોય તેવું લાગે છે. લસણની વર્તમાન સ્થિતિ જોતા લસણમાં તેજી થવાનાં ૯૫ ટકા ચાન્સ છે અને મંદી થવાનાં માત્ર પાંચ ટકા જ ચાન્સ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતો પણ મક્કમ હોવાથી વેચવાલી ઓછી કરી રહ્યાં છે. ગુજરાતમાં હાલ ૨થી ૨.૫૦ લાખ ગુણી ( એક ગુણી ૬૦ કિલો) લસણનો સ્ટોક હોવાનો અંદાજ છે જે હજુ એકાદ મહિનો ચાલશે. ગુજરાતમાં નવો લસણનો પાક ૨૦ ટકા જ છે, પરંતુ એ માલ બજારમાં આવે તેવું લાગતું નથી. પરિણામે બજારો આગળ ઉપર પણ વધે તેવી સંભાવનાં છે.
મધ્યપ્રદેશનાં મંદસૌરનાં વેપારી મદનલાલ જૈને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધુમ્મસ - ઝાકળની સાથે વરસાદની બુંદો પણ પડી રહી છે, જેને કારણે નબળી ક્વોલિટીનાં જૂનાં લસણમાં બગાડ ચાલુ થયો છે અને એ ઊગવા લાગ્યું છે. આ લસણ સ્થાનિક બજારો સિવાય ક્યાંય ચાલે નહીં. સાઉથમાં કે બીજા રાજ્યોમાં એમ.પી.નું સારૃ લસણ જ જાય છે. આવી સ્થિતિમાં બજારમાં આવકો પણ નથી, પરિણામે બજારો વધી રહ્યાં છે. વર્તમાન વાતાવરણથી લસણનાં ઊભા પાકને ફાયદો છે.
તેમણે નવા લસણની સ્થિતિ વિશે કહ્યું કે હાલ સમગ્ર એમ.પી.માં માંડ એક હજાર ગુણી આવતું હશે, જ્યાં સુધી નવા લસણની ૨૦થી ૨૫ હજાર ગુણીની દૈનિક આવકો ચાલુ ન થાય ત્યાં સુધી તેની નોંધ લઈ શકાય નહીં. મારા મતે આટલી આવકે ૧૫ ફેબ્રુઆરી પહેલા થાય તેવા કોઈ ચાન્સ નથી.
નવા લસણની આજે દલોડામાં ૪૫૦ ગુણીની હતી અને ભાવ ક્વિન્ટલનાં રૃા.૬૦૦૦થી રૃા.૧૫૦૦ હતાં. જ્યારે યુ.પી.નાં ઘીરોરમાં ૪૦૦થી ૫૦૦ ગુણી નવા દેશી લસણની આવક હતી. ભાવ ક્વિન્ટલનાં રૃા.૨૦૦૦થી રૃા.૫૫૦૦નાં હતાં. સરેરાશ ઘીરોરમાં ક્વિન્ટલે રૃા.૬૦૦થી ૭૦૦નો વધારો હતો.
દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓનાં સૌરાષ્ટ્રમાં ધામાં
સમગ્ર દેશમાં અત્યારે સૌરાષ્ટ્રનું જ લસણ જ બેસ્ટ અને સારી ક્વોલિટીનું છે અને બીજા રાજ્યોમાં લસણ મોટા ભાગે પૂરૃ થઈ ગયું હોવાથી દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓ છેલ્લા બે-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં આવ્યાં છે. વેપારી સૂત્રોનાં કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશનાં ૭થી ૮ વેપારીઓ ગોંડલમાં છે અને ઓરિસ્સાનાં પણ બેથી ત્રણ વેપારીઓ આવ્યાં છે. મધ્યપ્રદેશનાં પણ બે-ત્રણ વેપારીઓ સૌરાષ્ટ્રમાં છે. મધ્યપ્રદેશનાં એક વેપારી પણ આજે વાયા ગુજરાત થઈને ચેન્નઈ રવાનાં થયાં હતાં. ગોંડલમાં ઊંચા ભાવ પાછળનું કારણ એક માત્ર દેશાવરનાં વેપારીઓની ખરીદી જ હતું તેમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
(Date 16 jan.2015)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...