Showing posts with label Coriander. Show all posts
Showing posts with label Coriander. Show all posts

03 January 2015

Coriander Price Down 20% in one month

ધાણામાં મંદી , ભાવ મહિનામાં ૨૦ ટકા તુટ્યાં

-રાજસ્થાનમાં વરસાદથી ધાણાનાં ઊભા પાકને ફાયદો, પણ ગુજરાત-એમ.પી.માં નુકસાન

ધાણાની તેજી હવે અસ્ત થવા લાગી છે અને છેલ્લા બે મહિનામાં ૨૦ ટકાનો કડાકો બોલી ગયો છે. ધાણા ઉત્પાદક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે રાજસ્થાનમાં ફાયદો છે, પરંતુ એ સિવાયનાં વિસ્તારમાં નુકસાનીની સંભાવનાં છે.
ધાણા બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો ૧ ડિસેમ્બરે રૃા.૧૩૫૬૨ હતો, જે આજે ઘટીને રૃા.૧૦,૫૦૦ની નજીક પહોંચી ગયો છે. આમ તેમાં સરેરાશ રૃા.૩૦૦૦નો કડાકો બોલ્યો છે. જ્યારે નવા પાકનાં એપ્રિલ વાયદામાં ભાવ એક મહિનામાં રૃા.૮૪૯૦થી ઘટીને રૃા.૭૯૦૦ થયાં છે. સરેરાશ બજારો ઘટતા રહે તેવી ધારણાં છે.
રાજસ્થાનમાં ધાણાનાં અગ્રણી ટ્રેડર અને અખિલ ભારતીય વાયદા વ્યાપારી સંઘનાં સેક્રેટરી પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ધાણાને મોટો ફાયદો થયો છે. ધાણા માટે વર્તમાન વરસાદ અમૃત સમાન છે. ચાલુ વર્ષે અઢીથી ત્રણ ગણો પાક થવાની ધારણાં છે. ઓલ ઈન્ડિયા ધાણાનો પાક ૧.૫૦ કરોડ ક્વિન્ટલ થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૬૦ લાખ ક્વિન્ટલ થયો હતો. નવા ધાણા અમુક વિસ્તારમાં આવા લાગ્યાં છે, પરંતુ એકાદ મહિનામાં આવકો રેગ્યુલર ચાલુ થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં ખેડૂત અને પાટીદાર આગેવાન મનોહર પાટીદારે જણાવ્યું હતું કે બે દિવસથી પડી રહેલો વરસાદ ધાણા સિવાયનાં પાક માટે ફાયદાકારક છે. ધાણાનાં પાકને થોડી અસર જોવા મળી શકે છે અને ક્વોલિટી બગડે તેવી પણ સંભાવનાં છે.
ધાણાનાં પાક ઉપર વરસાદની દરેક વિસ્તાર પ્રમાણે અસર થતી હોય છે. રાજસ્થાનની જમીન નીતાર વાળી અને પાણી ચૂસી લેતી હોવાથી ત્યાં વરસાદ પડે તો પાકને ફાયદો થાય છે, પરંતુ એમ.પી. કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બાજુની કાળી જમીન ઉપર પાણી પડે તો ક્યારે ભરેલા રહે છે, જેને કારણે પાકને ભવિષ્યમાં રોગ લાગી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવદ કે ધ્રાંગ્રધા વિસ્તારમાં વરસાદ પડે તો ફાયદો પણ થઈ શકે છે.
ધાણાનાં ભાવ વિશે પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે ધાણાનાં ભાવ આગામી એકથી બે મહિનામાં રૃા.૨૦૦૦થી ૩૦૦૦ ઘટી જાય તેવી સંભાવનાં છે. એપ્રિલ વાયદો ઘટીને રૃા.૫૦૦૦ની સપાટીએ પણ પહોંચવાની સંભાવનાં છે. ઉલ્લેખનીય છેકે ધાણામાં ૨૦૧૪નાં વર્ષમાં સમગ્ર કોમોડિટીમાં સૌથી વધુ ૪૭ ટકાનો ભાવવધારો થયો હતો.

રાજ્ય સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ચાલુ વર્ષે ધાણાનું ૯૦ હજાર હેકટરમાં અને રાજસ્થાનમાં ૧.૯૦ લાખ હેકટરમાં વાવેતર થયું છે.
(Date 2 Jan.2015)

31 December 2014

Coriander Give's Highest Returns in 2014 and crude give lowest Return

કોમોડિટીમાં ૨૦૧૪માં રિટર્ન આપવામાં ધાણા ટોચ પર, ક્રૂડ તળિયે

-ધાણામાં રેકર્ડબ્રેક ૫૬ ટકા, એલચી ૪૪ ટકા વધી, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો કડાકો
Top-5 Commodity in 2014
૨૦૧૪નાં વર્ષનો આજે અંતિમ દિવસ છે. ભારતીય કોમોડિટી વાયદા બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં રોકાણકારોને ધાણાએ માલામાલ કરીદીધા છે, પરંતુ ક્રૂડતેલે ધોય નાખ્યાં છે.ધાણામાં વર્ષ દરમિયાન ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
એગ્રી વાયદામાં પણ સૌથી વધુ નેગેટિવ રિટર્ન કપાસ-રૃ વાયદાએ આપ્યું છે. રૃનાં ભાવ વર્ષ દરમિયાન ૨૦ ટકા તુટી ગયાં છે. સોના-ચાંદીનાં ભાવમાં વર્ષ દરમિયાન ઘરઆંગણે અનુક્રમે ૫.૬૭ ટકા અને ૧૭.૧૫ ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં સોનાનાં ભાવ વર્ષ દરમિયાન ૧.૪૦ ટકા ઘટ્યાં છે, જ્યારે ચાંદીમાં ૧૯.૦૮ ટકાનો ઘટાડો થયો છે.
એનાલિસ્ટોનું કહેવું છેકે ૨૦૧૫માં એગ્રી કોમોડિટીમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી શકે છે. ધાણાએ છેલ્લા બે વર્ષ પોઝિટીવ વળતર આપ્યું છે. ધાણામાં ૨૦૧૩માં ૪૬ ટકા અને ૨૦૧૪માં ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, પરંતુ ૨૦૧૫માં ૫૦ ટકાનો ઘટાડો બતાવે તેવી પૂરી સંભાવનાં છે. ધાણા બે વર્ષમાં રૃા.૫૦૦૦થી વધીને રૃા.૧૨,૦૦૦ થયા છે, પરંતુ ૨૦૧૫માં તે રૃા.૬૦૦૦ કે તેનાંથી પણ નીચે જઈ શકે છે. સોના-ચાંદીમાં હજુ પણ સરેરાશ મામૂલી રિટર્ન કે નેગેટિવ વળતરની સંભાવનાં છે.
(Date 30 Dec.2014)

23 December 2014

Pr-Expiry Margin on Coriander and Castarseed

ધાણા-એરંડામાં સટ્ટાકીય તેજી-મંદી રોકવા પ્રિ-એક્સપાયરી માર્જિન લદાયું

એક્સપાયરીનાં ૨૫ દિવસ પહેલાથી તબક્કાવાર માર્જિન પાંચ ટકાથી વધીને ૯૦ ટકા સુધી વધશે ઃ ધાણામાં વધારાનું ૧૦ ટકા માર્જિન લદાયું

ધાણા અને એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી-મંદીને રોકવા માટે એક્સચેન્જે પ્રિ-એક્સપાયરી માર્જિન લાદવાની જાહેરાત કરી છે. કોઈપણ વાયદામાં આ પ્રકારનું પ્રિ-એક્સપાયરી માર્જિન પ્રથમવાર લાદવામાં આવ્યું છે. વળી ફરજિયાત ડિલીવરીનો સમયગાળો પણ ૧૧ દિવસ વહેલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાણાનાં જાન્યુઆરી વાયદામાં સોમવારથી લાગુ પડે એ રીતે વધારાનું ૧૦ ટકા માર્જિન પણ લદાયું છે.
ધાણા અને એરંડા માટે જાહેર કરવામાં આવેલા અલગ-અલગ પરિપત્ર પ્રમાણે જાન્યુઆરી મહિનાનાં વાયદાની એક્સપાયરીનાં સરેરાશ ડિલીવરી પિરીયડ ચાલુ થાય ત્યારથી તબક્કાવાર રેગ્યુલર માર્જિન ઉપરાંત તબક્કાવાર પ્રિ-એક્સપાયરી માર્જિન વધતું જશે. જેમાં ધાણામાં જાન્યુઆરી વાયદા માટે ૨૯મી ડિસેમ્બરથી ફરજિયાત ડિલીવરી ચાલુ થશે. એ પ્રમાણે ૨૬ ડિસેમ્બરે ૪.૭૫ ટકા, ૨૯મીએ ૯.૫૦ ટકા જે તબક્કાવાર વધીને ૯ જાન્યુઆરીએ ૫૨.૨૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૮૫ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે.  આ માર્જિન ઉપરાંત જાન્યુઆરી મહિનાનાં વાયદા માટેે વધારાનું ૧૦ ટકાનું માર્જિન પણ લાગુ કરવામાં આવ્યું છે.
એરંડા વાયદામાં પ્રિ-એક્સપાયરી માર્જિન ૨૬ ડિસેમ્બરે પાંચ ટકા, ૩૧મી ડિસે. ૨૦ ટકા અને ૯ જાન્યુઆરીએ ૫૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૯૦ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે. જેમાં કોઈ નવું વધારાનું માર્જિન લાદવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છેકે એરંડા જાન્યુઆરી વાયદામાં ૩,૪૪,૬૧૦ ટનનાં ઊભા ઓળિયા છે અને ફેબ્રુઆરી સામેનો છેલ્લા બંધ પ્રમાણે રૃા.૨૩૮નો ઊંધો બદલો છે. જ્યારે ધાણા જાન્યુઆરી વાયદામાં ૨૭૧૩૦ ટનનાં ઊભા ઓળિયા છે અને એપ્રિલ સામેનો છેલ્લા બંધ ભાવ પ્રમાણે રૃા.૪૩૪૭નો ઊંધો બદલો છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...