08 August 2023
ગુજરાતમાં તલ, તુવેર અને મગફળીનું વાવેતર ઘટ્યું, કપાસમાં વધારો
ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણ થવા આવ્યુ છે અને રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષનાં સરેરાશ વાવેતરની તુલનાએ ૯૧ ટકા વાવણી પૂર્ણ થવા આવી છે. જોકે એરંડા સહિતનાં કેટલાક પાકોનું વાવેતર હજી ઓગસ્ટનાં અંત સુધી ચાલુ રહેશે.
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ૭મી ઓગસ્ટ સુધીમા કુલ ખરીફ વાવેતર ૭૮.૨૩ લાખ હેકટરમાં થયું છે જે ગત વર્ષે આજ સમયે ૭૫.૮૬ લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૩.૧૩ ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં કપાસનું વાવેતર ૫.૮૪ ટકા વધીને ૨૫.૨૮ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે આજ સમયે ૨૬.૭૬ લાખ હેકટરમાં થયું હતું. મગફળીનું વાવેતર ચાર ટકા ઘટીને ૧૬.૨૫ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે આજ સમયે ૧૬.૯૩ લાખ હેકટરમાં થયું હતું.
એરંડાનાં વાવેતરમાં ૧૩ ટકાનો વધારો થઈને ૩.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ સિઝનનાં અંતે પાંચથી ૧૦ ટકા જ વધે તેવી ધારણાં છે. હજી સરેરાશ વાવેતરની તુલનાએ બાવન ટકા જ વાવેતર પૂર્ણ થયું છે.
રાજ્યમાં કઠોળ પાકોનાં વાવેતરમાં ૯.૫૫ ટકાનો ઘટાડો થયો છે. ખાસ કરીને તુવેર અને અડદનાં વાવેતરમાં અનુક્રમે સાત ટકા અને ૧૨ ટકાનો ઘટાડો થયો છે. કઠોળનાં નીચા ભાવ અને અન્ય પાકોનાં ભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ કઠોળનાં બદલે કપાસ, તલ કે સોયાબીન જેવા પાકોનું વાવેતર વધાર્યું છે.
ગુજરાતમાં તલનાં વાવેતરમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છેઅને કુલ વાવેતર ૫૪૨૮૩ હેકટરમાં થયું છે. તલનાં વાવેતર રાજ્યની સરેરાશની તુલનાએ હજી ૫૦ ટકા જ થયા છે અને જે વાવેતર વહેલા થયા હતા તેમાં મોટા ભાગનાં વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હાવાથી વાવેતરને અસર પણ થઈ હતી.
Subscribe to:
Posts (Atom)
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...
-
પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL Ahmedabad:01/01/2010: જીવનમાં પૈસા અને પ્રેમ છે તો બધુ જ સારૂ છે। જિંદગી જીવવા માટે આ બંનેની જરૂર છે. એક...
-
દિપક મહેતાઃ વિશ્વમાં સહકારી મોડલ અને ‘ શ્વેતક્રાંતિ ’ માટે જાણીતા અમૂલ બ્રાન્ડે તાજેતરમાં ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને સમ...