Showing posts with label Jeera-cumin. Show all posts
Showing posts with label Jeera-cumin. Show all posts

25 July 2018

સંગઠન એજ શક્તિઃ વાવ પંથકનાં ખેડૂતોએ કંપની બનાવી ૨૦ ટકા વધુ ભાવ મેળવ્યાં

રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડએ પહેલા જ વર્ષે ૨૦ લાખનું ટર્નઓવર કર્યું
ખેતપેદાશનું ગ્રેડિંગ કરીને વેચાણ કરતાં ખેડૂતોને બીજા કરતાં બોરીએ રૂ.૪૦૦ વધુ મળ્યાં

રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં  બોર્ડ ઓફ ડિરેકટર્સ
ગુજરાતમાં કહેવાય છેકે સંગઠન એજ શક્તિ, જો ખેડૂતો આ વાતને ગળે ઉતારીને ખેતકાર્ય કરે તો બીજા ખેડૂતોની તુલનાએ બે પૈસા વધુ રળી શકે તેમ છે. ઉત્તર ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે બનાસકાંઠાનાં થરાદ-વાવ પંથકમાં પહેલેથી જ પાણીની સમસ્યાઓ હતી, પરંતુ ખેડૂતો ખેતીમાં રોદણા રોવાને બદલે વધુ કમાણી કઈ રીતે થાય તેનો રસ્તો શોધી કાઢ્યો અને બે વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની જ કંપની બનાવી દીધી અને આજે એજ સ્થિતિ છેકે બીજાની તુલનાએ તેઓ વધારે કમાણી કરી રહ્યાં છે.
વાવ પંથકનાં કોળાવા ગામનાં પ્રગતિશીલ ખેડૂત માવજીભાઈ પટેલની આગેવાનીમાં આ વિસ્તારનાં ૧૦થી વધુ ગામનાં ખેડૂતોએ એકઠા થઈને બે વર્ષ પહેલા રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડની સ્થાપના કરી. આ કંપનીની પ્રગતિ અને ઉદભવ વિશે વાત કરતા કંપનીનાં ચેરમેન માવજીભાઈ પટેલ (મો.૮૦૦૦૮૩૫૮૮૫) કૃષિ પ્રભાતને  વાત કરતાં જણાવે છે કે ખાતર કંપની ઈફ્કો કિશાનનાં ખેડૂતો અંગેનાં તાલિમ કાર્યકર્મ મારફતે અમને આ કંપનીની જાણકારી મળી અને ત્યાર બાદ ૧૬ મી મે ૨૦૧૬નાં રોજ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતો વેલ્યુએડીશન કરીને એજ પાકમાં કંઈ રીતે વધુ કમાણી કરી શકે તે હેતુંથી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીની સ્થાપનાં બાદ તેનાં શેરહોલ્ડર ખેડૂતોને સરેરાશ ૧૫થી ૨૦ ટકા ભાવ વધારે મળ્યાં છે.
તેઓ વધુમાં કહે છે કંપનીની સ્થાપના બાદ ઈફકો દ્વારા જ રૂ.૬ લાખનાં ખર્ચે જીરૂનું ગ્રેડિંગ મશીન કંપનીને આપવામાં આવ્યું હતું અને તેનાં દ્વારા આ કંપનીનાં ખેડૂતો ગ્રેડિંગ કરીને જ યાર્ડમાં જીરૂ વેચાણ કરી રહ્યાં છે. કંપનીનાં શેરહોલ્ડરો સિવાયનાં કોઈ બહારથી ખેડૂતો ગ્રેડિંગ કરવા આવે તો અમે એક કિલોનાં એક એમ બોરીએ રૂ.૬૦નો ચાર્જ લઈને ગ્રેડિંગ કરી આપીએ છીએ. આ ગ્રેડિંગ કરેલું જીરૂ ખેડૂતો બજારમાં વેચાણ કરવા જાય છે તો તોને બીજાની તુલનાએ બોરીએ રૂ.૪૦૦થી ૪૫૦ વધારે મળી રહ્યાં છે.
જીરૂનું ગ્રેડિંગ કરવાનું મશીન

જીરૂનાં વાયદામાં પણ કમાણી કરી
કંપનીઓ પોતાનાં સભ્ય ખેડૂતો પાસેથી જીરૂની ગ્રેડિંગ પ્રમાણે ખરીદી કરીને આશરે ૧૦ ટન જીરૂનો વાયદામાં વેપાર કર્યાં હતાં, જેમાં અમે રૂ.૩૨૦૦માં ખરીદી કર્યાં બાદ તેનાં રૂ.૪૨૦૦નાં ભાવ મળ્યાં હતાં. આમ અમને મણે રૂ.૧૦૦૦ વધુ મળ્યાં હતાં. કંપનીઓ વિતેલા એક વર્ષમાં વિવિધ ખેતપેદાશ, બિયારણ-દવાનાં વેચાણ મારફતે કુલ રૂ.૨૦ લાખનું ટર્નઓવર કર્યું છે. આ ટર્નઓવરમાંથી જ નફો થશે તો જ ખેડૂત શેરહોલ્ડરોને આ વર્ષે ડિવીડંડ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.
કંપનીનું ભાવિ આયોજ
કંપની પોતાનાં સભ્ય ખેડૂતોને દવા, ખાતર, બિયારણ યોગ્ય અને વ્યાજબી ભાવથી મળી રહે એ માટે વેચાણ કરવાનું આયોજન ઘડી રહી છે. આગામી રવિ સિઝનથી રેગ્યુલર વેચાણનું આયોજન છે. આ ઉપરાંત જીરૂનાં પેકેટમાં વેચાણ માટે ફુડ સેફ્ટી ઓથોરિટીનું લાઈસન્સ લેવાની હાલ  પ્રક્રીયા ચાલુ છે.

ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાય એ માટે પ્રયાસ
કંપનીનાં ચેરમેન માવજીભાઈકહે છે કે ૯૦ ટકા ખેડૂતો શાકભાજી બજારમાંથી ખરીદે છે, પરંતુ કંપનીનાં ખેડૂતો પોતાનાં જ ખેતરનાં શાકભાજી ખાય એ માટે દરેક ખેડૂતોને મરચાં, તુરિયા, ભીડાં, સહિતનાં શાકભાજીનાં જરૂરિયાત પ્રમાણે રોપાનું વિતરણ કરવામાં આવે છે. હાલ આ વિસ્તારનાં ૧૦ ટકા ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાતા થયાં છે. કંપની દ્વારા દાડમ, સાગ અને પપૈયાનું પણ બજારની તુલનાએ ઓછા ભાવથી વેચાણ કરવામાં આવે છે.

ખેડૂત કંપનીનો પરિચય
નામઃ   રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ
ચેરમેનઃ        માવજીભાઈ પટેલ (મો. ૮૦૦૦૮૩૫૮૮૫)
શેરહોલ્ડરઃ      ૩૨૦ ખેડૂતો
સ્થાપનાઃ        ૧૬ મે, ૨૦૧૬
ટર્નઓવરઃ      ૨૦ લાખ

ખેડૂતોએ પોતાની જ કંપની બનાવી અને જીરૂની બ્રાન્ડ બનાવી વધુ કમાણીનો દ્વાર ખોલ્યો

રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં ૨૧ ગામનાં ૯૯૦ ખેડૂતોએ બનાસ ફાર્મર પ્રોડ્યુસર લિમીટેડ કંપની બનાવી અને ચોરાડ જીરૂની બ્રાન્ડ બનાવી
   
ઉદ્ઘાટન વેળાની તસ્વીર
ખેડૂતોની હરહંમેશ ફરિયાદ હોય છેકે ખેતપેદાશનાં પૂરતા ભાવ મળતા નથી, પરંતુ જો ખેડૂતો ધારે તો બીજા કરતાં વધુ ભાવ મેળવી શકે છે અને તેનામાં આવી તાકાત પણ રહેલી છે. તાજેતરમાં પાટણ પાસેનાં રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં ખેડૂતોએ આ વાત સાબીત કરી આપી છે અને પોતાની જ કંપની ઊભી કરીને સૌપ્રથમવાર જીરૂની બ્રાન્ડ બનાવીને તેનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર પણ હાલ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(એફપીઓ)ને પ્રોત્સાહન આપી રહી છે, જેનાં ભાગરૂપે વિવિધ સંસ્થાઓનાં સહયોગથી ખેડૂતોની કંપનીઓ ઊભી થઈ રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન-રાધનપુરનાં સહયોગથી રાધનપુર અને સાંતલપૂર તાલુકાનાં ૨૧ ગામનાં  કુલ ૯૯૦ ખેડૂતોએ મળીને બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ નામની કંપનીની રચના કરી હતી અને ૨૨ એપ્રિલ ૨૦૧૬નાં રોજ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. બે વર્ષનાં ટૂંકાગાળામાં જ કંપની હરફાળ ભરી રહી છે અને અખાત્રીજનાં બીજા દિવસે કંપનીએ પોતાની જીરૂની ચોરાડ બ્રાન્ડનું લોન્ચિંગ કર્યું હતું. કંપનીમાં ચેરમેન સહિત કુલ ૭ બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ હોય છે અને તેમનાં નેજા હેઠળ પોતાનાં સભ્ય ખેડૂતોનાં ગવાર અને  જીરૂનું રાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ કરીને બીજા ખેડૂતની તુલનાએ ઊંચા ભાવ મેળવે છે.
કરશનજી જાડેજા, ચેરમેન
બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં ચેરમેન કરશનજી જાડેજા (મો.95863 12031)એ કૃષિ પ્રભાતને કંપની બનાવવાની પ્રેરણા વિશે વાત કરતાં કહે છેકે ૨૦૧૩માં અમે ૧૦ ખેડૂતોએ સાથે મળીને ૩૦૦ મણ જીરૂ ઊંચા ભાવથી અમદાવાદનાં એક મોલવાલાને વેચાણ કર્યું હતું. એ સમયે બજારમાં મણનાં રૂ.૧૭૦૦થી ૧૮૦૦નાં ભાવ હતા, જેની સામે અમે રૂ.૨૩૦૦માં વેચાણ કર્યું હતું. ઊંચા ભાવ મળ્યાં ત્યારે ખબર પડી કે સમુહ અને સંગઠન હોય તો બીજા કરતાં વધુ કમાણી થઈ શકે તેમ છે. પરિણામે બે વર્ષ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળીને આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
કરશનજીભાઈ વધુમાં કહ્યું કે અત્યાર સુધી ખેડૂતોને માલ એકઠો કરીને તેનું યોગ્ય સમયે વેચાણ કરીએ છે અને એક પગલા આગળ રૂપે હવે ચોરાડ બ્રાન્ડ ઊભી કરી છે. ચોરાડ એ સાંતલપુર વિસ્તારનાં ૨૪ ગામડાને એક પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેની ક્વોલિટી બીજા કરતાં સારી હોય છે, પરિણામે એ બ્રાન્ડથી પ્રથમ જીરૂનું પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યું છે. આ માટે અમે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડનું લાઈસન્સ પણ લીધું છે અને પ્રથમ તબક્કામાં ૨૫૦ ગ્રામ પેકિંગમાં ચોરાડ જીરૂ લોન્ચ કર્યું છે, જેનો ભાવ રૂ.૬૨.૫૦ એટલે કે કિલોનાં રૂ.૨૫૦ છે. ભવિષ્યમાં મગ-મઠ અને ચણા-ઘઉનું પણ બ્રાન્ડિંગ, પેકિંગ અને ગ્રેડિંગ કરીને વેચાણ કરવાનું આયોજન છે.

પાટણ જિલ્લા કલેક્ટરનાં હસ્તે ચોરાડ બ્રાન્ડનું લોન્ચિંગ
અખાત્રીજનાં બીજા દિવસે-ગણેશ ચતુર્થીનાં દિવસે પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચોરાડ બ્રાન્ડની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે જીરૂનું ગ્રેડિંગ અને ક્લિનિંગ કરીને બજારમાં મકુતા ખેડૂતોને સારા ભાવ મળશે. આ પ્રસંગે કંપનીનાં પશુઆહાર કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાનાં કલેક્ટરનાં હસ્તે લોન્ચિંગ થયું તે પ્રસંગની તસ્વીર
કાર્યક્રમમાં પદ્મશ્રી ગેનાભાઈ પટેલ દ્વારા માર્કેટીંગ ઉપર ભાર મૂકી ચોરાડ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળે એ વાત ઉપર ભાર મુકવાની પણ વાત કરી હતી. સરદાર સરોવરના એક્ઝિક્યુટિવ ડાયરેકટર મારવીયા દ્વારા જીરાની ગુણવત્તા જળવાય અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આ બ્રાન્ડનો વ્યાપક પ્રચાર કરવા પર ભાર મુક્યો હતો. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના નાયરભાઈએ ખેડૂતો કંપની બનાવી તેમની ઉપજનું એક પ્લેટફોર્મ પર વેચાણ કરશે તો આવક બમણી કરવામાં આ સારું પ્લેટફોર્મ છે વધુમાં વધુ ગામ અને ખેડૂતો ને ઉત્પાદક કંપની માં જોડાવા માટે આહવાન કર્યું હતું. NCDEX ના  અનુપમ ચતુર્વેદી દ્વારા જીરા અને ગુવારના માર્કેટીંગમાં સરાહનીય કામગીરી અને હજી વધુ કોમોડિટી આ પ્લેટફોર્મ દ્વારા વેચાણ થાય તો ખેડુતોને આનો વધુ ફાયદો થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ભરત પટેલ, હેમજીભાઈ પટેલ સહિત ફાઉન્ડેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કંપનીની અત્યાર સુધીની યાત્રા કંપનીના ચેરમેન કરસનજી જાડેજાએ કરી હતી જ્યારે સ્વાગત પ્રવચન બાબુજી ઠાકોર અને આભાર વિધિ કાનજી ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.૩૦૦ થી વધુ શેરહોલ્ડર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


કંપનીનાં ખેડૂતોને કમાણી જ કમાણી...
-નોટબંધી સમયે ખેડૂતોને ગવાર કોઈ લેવા તૈયાર નહોંતું અને એ સમયે બજારમાં મણનાં રૂ.૫૭૦નાં ભાવ ચાલતાં હતાં.આ સમયે કંપનીએ એક હજાર મણ ગવાર એનસીડેક્સનાં ડીસા ગોડાઉનમાં ડિમેટ કરાવ્યો હતો અને પાછળથી આ ગવાર રૂ.૬૯૮માં ખપ્યો હતો. આમ ખેડૂતોને વધુ ભાવ મળ્યાં હતાં.
-હાલ પોતાનાં શેરહોલ્ડર-ખેડૂતો પાસેથી ૩૦૦ મણ જીરૂ રૂ.૩૦૦૦ ભાવથી ખરીદી કર્યું છે અને જુલાઈ-ઓગસ્ટમાં ભાવ  ઊંચકાશે ત્યારે તેનું વેચાણ કરશે અથવા તો પેકિંગમાં તેનું વેચાણ કરવા ઉપયોગ કરાશે. પાછળથી જે નફો થાય તે ખર્ચ બાદ કરીને ખેડૂતોને જ ચેકથી પરત આપવામાં આવશે.

31 December 2014

Jeera price rise 3rd and rise Rs.1700 in last 3 day's

જીરૂમાં તેજીની સર્કિટની હેટ્રીક , વાયદો ત્રણ દિવસમાં રૃા.૧૭૦૦ ઊંચકાયો
જીરૃ ફેબ્રુઆરી વાયદામાં ઊભા ઓળિયા પખવાડિયામાં ચાર ગણા વધ્યાં

જીરૃમાં વન-વે તેજી દોડી રહી છે. દેશમાં જીરૃનો પાક ઓછો અને નિકાસ વધવાની એક ચોટેલી કેસેટ પાછળ તેજીવાળા રોજ સર્કિટો લગાવી રહ્યાં છે. જાન્યુઆરી વાયદામાં ચાર ટકાની તેજીની સર્કિટની હેટ્રીક થઈ ગઈ છે અને ત્રણ સેસનમાં વાયદામાં રૃા.૧૭૦૦ની નોન-સ્ટોપ તેજી આવી છે. જીરૃનાં જાન્યુઆરી સિવાયનાં તમામ વાયદામાં પણ ચાર ટકાની સર્કિટ લાગી હતી.
જીરૃ વાયદો ત્રણ સેશન પહેલા રૃા.૧૩૯૮૦ની સપાટી પર બધ રહ્યો હતો, જે આજે સર્કિટ લાગતા રૃા.૬૦૦ વધીને રૃા.૧૫૬૮૦ની સપાટી પર બંધ રહ્યો હતો. ફેબ્રુઆરી વાયદો રૃા.૬૧૦ વધીને રૃા.૧૫૯૪૦ બંધ રહ્યો હતો. કુંવરજી કોમોડિટીનાં સિનીયર રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારનું કહેવું છે કે ભાવ વધીને રૃા.૧૭૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. રોકાણકારોએ રૃા.૧૪૭૦૦નો સ્ટોપલોસ રાખીને ઘટાડે ખરીદી કરવાનો વ્યૂહ અપનાવવો.

જીરૃમાં તેજીની સાથે ઊભાઓળિયા પણ વધી રહ્યાં છે. ટ્રેડરો જાન્યુઆરીમાંથી પોઝિશન ફેબ્રુઆરીમાં રોલઓવર પણ મોટા પાયે કરી રહ્યાં છે. જાન્યુઆરી વાયદામાં ૧૨ ડિસે. ૮૮૬૬ ટનનાં ઊભા ઓળિયા હતા, જે આજે ઘટીને ૬૫૦૦ થયાં છે. પરંતુ ફેબ્રુઆરી વાયદામાં ૧૨ ડિસેમ્બરે બે હજાર ટનનાં ઓળિયા હતા, જે આજે વધીને ૮ હજાર ટનની ઉપર પહોંચી ગયાં છે. ફેબ્રુઆરી કે માર્ચ વાયદામાં ભાવ વધીને રૃા.૨૦,૦૦૦ની સપાટીએ પણ પહોંચે તેવી ચર્ચા અત્યારે બજારમાં સેવાય રહી છે.
(Date 29 dec.2014)

29 December 2014

Jeera Export price may rise more 30%

જીરૂમાં વધુ તેજીની ધારણાં - નિકાસ ભાવો ૩૦ ટકા વધવાની ધારણાં

-સિરીયા અને તુર્કીમાં પાક ઓછો હોવાથી જીરૃની ચાલુ વર્ષે ૧.૨૫ લાખ ટનની નિકાસનો અંદાજ
 
જીરૃમાં છેલ્લા બે મહિનામાં ૩૫થી ૪૦ ટકાની તેજી જોવા મળ્યાં બાદ ભાવ આગામી દિવસોમાં વધુ ૩૦ ટકા વધે તેવી ધારણાં છે.વૈશ્વિક બજારમાં જીરૃનો પાક ઓછો હોવાથી ભારતીય જીરૃની માંગ વધી હોવાથી સરેરાશ જીરૃનાં ભાવમાં તેજી જોવા મળશે.
મુંબઈનાં જીરૃનાં ટોચનાં નિકાસકારોનું કહેવું છેકે વિશ્વ બજારમાં ભારતનાં હરિફ એવા તુર્કિ અને સિરીયામાં રાજકીય અનિશ્ચિતતા અને તોફાનોને કારણે પાક ઓછો છે. તુર્કિ જેવા દેશમાં ચાલુ વર્ષે માત્ર ૧૦ હજાર ટનનો જ પાક થાય તેવી ધારણાં છે. પરિણામે ભારતીય જીરૃની માંગ વધી છે. વળી વિશ્વ બજારમાં અત્યારે ભારતીય જીરૃ જ સસ્તુ મળી રહ્યું છે, જેને કારણે તેનાં ભાવ ઊંચકાશે.
આ નિકાસકારે કહ્યું કે ભારતીય જીરૃનાં અત્યારે સરેરાશ ૨૨૦૦થી ૨૩૦૦ ડોલર પ્રતિ ટનનાં ભાવ ચાલી રહ્યાં છે, જે આગામી દિવસોમાં વધીને ૨૯૦૦થી ૩૦૦૦ ડોલરની સપાટીએ પહોંચી શકે છે. જે ભાવ છેલ્લે ૨૦૧૦નાં વર્ષમાં જોવા મળ્યાં હતાં. તુર્કીનાં જીરૃનાં અત્યારે ૩૧૦૦ ડોલર અને સિરીયાનાં ૨૯૦૦ ડોલરનાં ભાવ ચાલે છે. જેની સામે ભારતીય જીરૃ સસ્તું છે.
દેશમાંથી ભારતીય સ્પાઈસીસ બોર્ડનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૪ દરમિયાન જીરૃની નિકાસ ૮૭,૫૦૦ ટનની  થઈ છે, જે ગત વર્ષે ૭૦૨૪૩ ટનની થઈ હતી. આમ સત્તાવાર નિકાસ ૨૫ ટકા વધી છે. સ્પાઈસીસ બોર્ડે ચાલુવર્ષ માટે એક લાખ ટનનો નિકાસ લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તે લક્ષ્યાંક નવેમ્બર અંત સુધીમાં જ પૂરો થઈ ચૂક્યો હોવાની ધારણાં છે. માર્ચ સુધીમાં કુલ નિકાસ ૧.૨૫ લાખ ટનની સપાટીએ પહોંચે તેવી ધારણાં મુકાય રહી છે. જે એક રેકર્ડબ્રેક નિકાસ થશે.

જીરૃનાં પાક વિશે નિકાસકારોનો એવો મત છેકે છેલ્લા ત્રણેક વર્ષમાં  ખેડૂતોને પૂરતા ભાવ ન મળ્યાં હોવાથી ચાલુ વર્ષે વાવેતર ઓછું કર્યું છે, પરંતુ ૨૦૧૬ની સિઝનમાં જીરૃનું વાવેતર ફરી વધશે અને ઉત્પાદન મોટું થાય તેવી ધારણાં છે. પરિણામે જીરૃ ૨૦૧૫માં ઐતિહાસિક સપાટીએ પહોંચીને ફરી ઘટે તેવી ધારણાં છે.
(Date 27 dec.2014)

27 December 2014

Jeera price Touch Two year high touch Rs.15,000

જીરૂમાં બે વર્ષનાં ઊંચા ભાવ - વાયદો રૂા.૧૫૦૦૦ને પાર
 
બે મહિનામાં રૃા.૪૦૦૦નાં ઉછાળા બાદ હવે ભાવ ઓલટાઈમ હાઈ રૃા.૧૭૫૦૦ થવાની ચર્ચાં

જીરૃમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે રૃા.૧૫,૦૦૦ની જાદુઈ સપાટી જોવા મળી હતી અને ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયાં હતાં. બજારનાં જાણકારોનું કહેવું છેકે વાયદામાં ભાવ હજુ પણ ઊંચે ચડે તેવી ધારણાં છે.
જીરૃ વાયદામાં છેલ્લા એક મહિનામાં ૨૪ ટકાનો ઉછાળો આવ્યો છે. જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની સર્કિટ લાગી હતી અને ભાવ રૃા.૪૬૫ વધીને રૃા.૧૫૦૦૦ની સપાટી પર બંધ રહ્યાં હતાં. ઇન્ટ્રા ડે રૃા.૧૫૧૧૫નાં ભાવ જોવાયાં હતાં. છેલ્લા બે મહિનામાં ભાવ રૃા.૪૦૦૦ વધી ગયાં છે.
કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાનું કહેવું છે કે જીરૃમાં ટેકનિકલી હવે ભાવ વધીને રૃા.૧૫,૫૦૦ સુધી પહોંચે તેવી સંભાવનાં દેખાય રહી છે. રોકાણકારોએ સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો. આ સપાટી પાર થયા બાદ વધુ તેજી જોવા મળે તેવી ધારણાં છે.
મુંબઈનાં એક અગ્રણી નિકાસકારનું કહેવું છેકે ચાલુ વર્ષે ગુજરાતમાં જીરૃનું ઉત્પાદન ૬૦ ટકા અને રાજસ્થાનમાં ૨૦ ટકા ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે. જીરૃની સ્થાનિક અને નિકાસ માંગ સારી છે અને પૂરવઠો ઓછો છે. વળી નવી સિઝન લેઈટ હોવાથી જૂનો સ્ટોક પિવાય જશે.  આવી સ્થિતિમાં જીરૃનાં ભાવવધીને રૃા.૧૬,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે.

ટ્રેડર વર્તુળમાં જીરૃ વિશે એવી પણ ચર્ચા સંભળાય છેકે જીરૃનાં ભાવ ચાલુ વર્ષે ફરી એક વાર ઓલટાઈમ હાઈ થાય તેવી સંભાવનાં છે. ચાલુ વર્ષે તો ફંડામેન્ટલ પણ મજબૂત છે. જીરૃ વાયદામાં છેલ્લે માર્ચ ૨૦૧૧માં રૃા.૧૭૫૨૦ની ઓલટાઈમ ઊંચી સપાટી જોવા મળી હતી.
(Date-26 Dec.2014)

25 December 2014

Jeera Price Rise Rs.2500 in one Month

જીરૂમાં તેજી, મહિનામાં રૂા.૨૫૦૦નો ઉછાળો

-ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતરમાં કાપને પગલે તેજીનો માહોલ
-ઉત્પાદન ઘટવાની ધારણાએ વાયદો મહિનામાં ૨૦ ટકા ઊંચકાયો

જીરૃમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીરૃનાં વાવેતરમાં ઘટાડો થયો હોવાથી જીરૃનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ક્વિન્ટલે રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. જાણકારોનું કહેવું  છેકે વાવેતર તો ઘટ્યું છે, પરંતુ નિકાસ પણ વધી રહી હોવાથી ભાવ હજુ પણ ઊંચકાશે.
જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની તેજીની સર્કિટ લાગતા ભાવ રૃા.૫૫૫ વધીને રૃા.૧૪૫૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ૨૫મી નવેમ્બરનાં રોજ રૃા.૧૨૧૦૦ હતાં. આમ એક મહિનામાં ૨૦ ટકા અથવા તો રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી વાયદો આજે વધીને રૃા.૧૫૦૦૦ની ઉપર પહોંચી ગયો હતો.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૨૨મી ડિસેમ્બર સુધીમાં જીરૃનું વાવેતર ૪૩ ટકા ઘટીને ૨.૫૦ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૪.૪૦ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવેતર ૫૦ ટકા કપાયુ છે. કચ્છમાં ગત વર્ષે ૩૧૯૦૦ હેકટર સામે ચાલુ વર્ષે માત્ર ૪૭૦૦ હેકટકરમાં વાવેતર થયું છે. ગુજરાત સરકારનાં અંદાજો પ્રમાણે રાજ્યમાં ગત વર્ષે ૪.૫૫ લાખ હેકટરમાં વાવેતર અને ૩.૪૬ લાખ ટન ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે.
રાજસ્થાનમાં પણ સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર  સુધીમાં ૩.૩૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે.બે વર્ષ અગાઉ ૪.૯૫ લાખ હેકટરમાં થયું હતું.

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે જીરૃ વાયદામાં હજુ પણ તેજી જોવાશે અને જાન્યુ.વાયદો વધીને રૃા.૧૫૫૦૦ સુધી જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...