ગુજરાતમાં
વરિયાળું વાવેતર ૩૯ ટકા વધ્યું ઃ ઈસબગુલમાં પણ વધારો
-ગુજરાતમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦
ટકાનો ઘટાડો
ગુજરાતમાં મોટા ભાગનું રવિ વાવેતર હવે પૂર્ણ થઈ ગયું છે અને
ચાલુ વર્ષે સરેરાશ મોટા ભાગનાં મુખ્ય રવિ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે
બીજી તરફ વરિયાળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૩૯ ટકા વધ્યું છે, જ્યારે ઈસબગુલનાં વાવેતરમાં પણ ૧૪ ટકાનો વધારો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૫મી જાન્યુઆરી
સુધીમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.કુલ રવિ વાવેતર ૩૦ લાખ
હેકટરને પાર થયું છે, જે ગત વર્ષે ૩૭.૨૪ લાખ હેકટરમાં થયું હતું.
રાજ્યમાં જીરૃનું વાવેતર ૪૨ ટકા ઘટ્યું છે. જ્યારે ઘઉંનું વાવેતર ૨૩ ટકા ઘટ્યું
છે.
ગુજરાતમાં શેરડી અને તમાકુનાં વાવેતર પણ ચાલુ વર્ષે વધારો
થયો છે. શેરડીનું વાવેતર ચાલુ વર્ષે ૧.૭૧ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૩૨ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે તમાકુનું
વાવેતર ૧.૨૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૨ હજાર
હેકટરમાં જ થયું હતું.
(Date. 6 Jan.2015)
No comments:
Post a Comment