ગુજરાતમાં રવિ
વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો ઃ જીરૃનું ૪૨ ટકા ઘટ્યું
-સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો,
ઘઉંનાં વાવેતરમાં મોટો ફટકો
ગુજરાતમાં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી સરેરાશ છેલ્લા દશેક દિવસથી વાવેતર વિસ્તાર વધ્યો છે, તેમ છત્તા ગત વર્ષની તુલનાએ કુલ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો થયો
છે. સૌરાષ્ટ્રમાં રવિ વાવેતર વિસ્તારમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૯મી ડિસેમ્બર
સુધીમાં રાજ્યમાં કુલ ૨૮.૯૧ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૬.૬૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં ઘઉંનાં
વાવેતરનાં ૨૩.૭૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં
ઘઉંનાં વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીનાં વાવેતરનાં આંકડાઓ પ્રમાણે જીરૃનાં
વાવેતરમાં ૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાયડાનાં વાવેતરમાં ૩૪ ટકાનો ઘટાડો
થયો છે.
સૌરાષ્ટ્રમાં કુલ રવિ વાવેતર વિસ્તાર ૭૧૭૬૦૦ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૧૪૯૦૦ હેકટરમાં થયું હતું. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે
પાણીની મોટી તંગી હોવાથી વાવેતરમાં મોટો કાપ આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે એક માત્ર ધાણાનું જ વાવેતર
વધ્યું છે, એ સિવાયની તમામ પાકોનાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો
છે.
No comments:
Post a Comment