02 January 2015

Chana zero % duty Extended till 31 March 2015

ચણામાં ઝીરો ટકા આયાત ડ્યૂટીની મુદત માર્ચ સુધી લંબાવાય

ચણા વાયદામાં સતત બીજા દિવસે મંદીનો માહોલ ઃ વાયદામાં ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો

ચણા ઉપર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાગવાની સંભાવનાઓ ઉપર આખરે પૂર્ણ વિરામ મુકાય ગયું છે. કેન્દ્ર સરકારે ચણાની આયાત ઉપર ઝીરો ટકા ડ્યૂટીની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. મુદત વધતા ચણા વાયદામાં બે દિવસની ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો બોલ્યો હતો.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા એક નોટિફિકેશન પ્રમાણે હવેથી ચણાની ઝીરો ટકા આયાત ડ્યૂટી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધી લંબાવી દેવામાં આવી છે. આયાત ડ્યૂટીની મુદત લંબાવાની જાહેરાતથી ચણા વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ચણા વાયદો છેલ્લા બે દિવસમાં સરેરાશ રૃા.૩૦૦ ઘટ્યો છે.
ચણા જાન્યુઆરી વાયદો ૩૦મી ડિસેમ્બરે રૃા.૩૬૯૭ પર બંધ રહ્યો હતો, જે ગઈકાલે રૃા.૩૭૪૫ની સપાટીએ પહોંચ્યાં બાદ છેલ્લે ઘટીને રૃા.૩૫૫૦ પર બંધ રહ્યો હતો. જેમાં આજે વધુ રૃા.૧૦૬નો ઘટાડો થઈને ભાવ રૃા.૩૪૪૪ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ચણામાં સરેરાશ ફંડામેન્ટલ તેજી તરફી છે, પરંતુ છેલ્લા દશેક દિવસથી ડ્યૂટી લાદવાની અફવાએ બજારો વધ્યાં હતાં, જેમાં ફરી ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીનાં ચણાનાં ટ્રેડર રાહુલ વોરાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટીને ૪૮થી ૫૦ લાખ ટન રહે તેવી ધારણાં છે, જે ગત વર્ષે ૭૦ લાખ ટનનું થયું હતું. દેશમાં ૨૦થી ૨૫ લાખ ટનનો કેરીઓવર સ્ટોક પણ પડ્યો છે. પરિણામે ચાલુ વર્ષે કુલ ૭૦થી ૭૫ લાખ ટનનો પૂરવઠો રહેશે અને દેશની જરૃરિયાત ૯૦ લાખ ટનની છે, પરિણામે ચણામાં આયાતી માલોની જરૃરિયાત વધુ જ રહેશે.

કેન્દ્ર સરકારે પણ મોંઘવારી વધુ ન વધે અને દેશમાં કઠોળનું ઉત્પાદન ચાલુ વર્ષે સરેરાશ ઘટવાની ધારણાં હોવાથી ચણાની આયાત ઉપરની ડ્યૂટી વધુ ત્રણ મહિના માટે ઝીરો ટકા કરી છે.એપ્રિલ મહિના દરમિયાન નવા ચણાની આવકો વધે ત્યારે તેનાં ઉપર આયાત ડ્યૂટી લગાવાય તેવી સંભાવનાં છે.
(Date 1 jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...