ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં ૨૩ ટકાનો ઘટાડો ઃ
બટાટાનું વધ્યું
-રાજ્યમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦
ટકાનો ઘટાડો
ગુજરાતમાં ચાલુ વર્ષે ઘઉંનાં વાવેતર વિસ્તારમાં કુલ ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બટાટાનાં વાવેતર વિસતારમાં ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે
રાજ્યમાં ૧૨મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરમાં નોંધાયું છે, જે ગત વર્ષે ૩૭ લાખ હેકટરમાં થયું હતું. ખેડૂતોએ ચાલુ વર્ષે
પાણીનાં અભાવે ઓછું વાવેતર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની મોટી તંગી
હોવાથી રાજ્યમાં મોટા ભાગનાં મુખ્ય શિયાળુ પાકોનાં વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા
મળ્યો છે.
ગુજરાતમાં
ઘઉંનાં વાવેતરમાં સરેરાશ ૨૩ ટકાનો ઘટાડો થયો છે, પંરતુ
સૌરાષ્ટ્રમાં વાવેતર વિસ્તાર ૫૦ ટકા જેટલો ઘટ્યો છે. ગુજરાતમાં નવા ઘઉંની આવકો
ટૂંક સમયમાં ચાલુ થાય તેવી સંભાવનાં છે(Date 13 Jan.2015
No comments:
Post a Comment