દેશમાં ચણાનાં
વાવેતર વિસ્તારમાં ૧૬ ટકાનો ઘટાડો
દેશમાં ચાલુવર્ષે રવિ સિઝનમાં કુલ કૃષિ પાકોનાં વાવેતરમાં
૬.૬૩ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટતાં કુલ
કઠોળનાં વાવેતર વિસ્તારમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે દેશમાં ૧૬મી
જાન્યુઆરી સુધીમાં કુલ ૫૭૬.૭૩ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૬૧૮.૨૦ લાખ હેકટરમાં થયું હતું.
કઠોળનાં
વાવેતરમાં ૧૦ ટકાનો ઘટાડો થઈને ૧૩૩.૪ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે ૧૪૯.૧૭ લાખ હેકટરમાં થયું
હતું. ખાસ કરીને ચણાનું વાવેતર ૮૧.૯૮ લાખ
હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૮.૧૬ લાખ હેકટરમાં થયું
હતું.
દેશમાં રવિ
પાકનાં વાવેતરની સ્થિતિ
પાકનું નામ ચાલુ
વર્ષે ગત વર્ષે ઘટાડો (ટકામાં)
રાયડો ૬૪.૯૯ ૭૦.૯૩
મગફળી ૪.૬૪ ૬.૦૩
સૂર્યમુખી ૨.૬૩ ૩.૯૧
તલ ૦.૭૩ ૦.૬૪
અળસી ૩.૦૪ ૩.૩૨
તેલીબિયાં ૭૭.૫૦ ૮૬.૫૦ -૧૦.૪૦
ઘઉં ૩૦૪.૦૦ ૩૧૪ -૩.૧૮
ધાન્ય
પાક ૫૪.૩૦ ૫૮.૪૦ -૭.૦૨
ચણા ૮૧.૯૮ ૯૮.૧૬ -૧૬.૪૮
કઠોળ ૧૨૯.૯૯ ૧૪૪.૭૯ -૧૦.૫૮
મકાઈ ૧૩.૬૦ ૧૪.૨૦ -૩.૫૪
કુલ
વાવેતર ૫૫૨.૮૨ ૫૭૯.૬૩ -૬.૬૩
(આંકડાઓ લાખ
હેકટરમાં ૧૪ જાન્યુ.સુધીનાં)
(Date 16 jan.2015)
No comments:
Post a Comment