ગુજરાતમાં રવિ
વાવેતરમાં ૨૬ ટકાનો ઘટાડો
ગુજરાતમાં ધાણાનું રેકર્ડબ્રેક
૮૮ હજાર હેકટરમાં વાવેતર ઃ વરિયાળીનું ૩૨ ટકા વધ્યું, જીરૃનું ૪૩ ટકા ઘટ્યું
ગુજરાતમં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું
છે. ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ
પ્રમાણે અત્યાર સુધીમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર થયું છે.
જ્યારે વરિયાળીનાં વાવેતરમાં ૩૨ ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે મુખ્ય રવિ પાક જીરૃ, ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતરમાં મોટો
ઘટાડો થયો હોવાથી કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૨મી ડિસેમ્બર
સુધીમાં રાજ્યમાં કુલ ૨૬.૨૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૫.૪૩ લાખ હેકટરમાં થયું હતું. ધાણાનું સત્તાવાર
વાવેતર રાજ્ય સરકારે ચાલુ વર્ષથી જ ચાલુ કર્યું છે, પરંતુ
ટ્રેડરોનાં મતે ગત વર્ષની તુલનાએ બેથી ત્રણગણું વધારે વાવેતર થયું હોવાનો અંદાજ
છે.
ગુજરાતનાં મુખ્ય રવિ પાક એવા ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૩૧
ટકાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની
તંગી વધારે હોવાથી વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. જીરૃનું વાવેતર ૪૪ ટકા, ચણાનું ૩૪ ટકા અને રાયડાનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો
નોંધાયો છે.
No comments:
Post a Comment