આઇબીનો રિપોર્ટ લીક થતાં ગાૃહ મંત્રાલય દ્વારા તપાસના આદેશ
અઠવાડિયાથી લીક થયેલા રિપોર્ટનો લાભ લઇ રહેલા શેરબજારના ખેલાડીઓ સામે પણ તપાસ કરાશે
શેરબજારમાં અચાનક ૫૦૦ પોઇન્ટના કડાકા અંગે સરકાર મોડે મોડે જાગી
અમદાવાદ, ગુરુવાર
શેરબજારમાં આજે અચાનક ૫૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. પાડાની વાંકે પખાલીને ડામ જેવી વર્તમાન બજારની સ્થિતિમાં નાના રોકાણકારોનો કચ્ચરઘાણ નીકળી ગયા પછી કેન્દ્રીય ગાૃહ મંત્રાલય આજે મોડી સાંજે જાગ્યું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી લીક થયેલા આઇબીના રિપોર્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ લીક થવાના કારણે જ અનેક કંપનીના શેરમાં આજે કડાકો બોલી ગયો હતો.
દેશ અત્યારે ચોતરફ કૌભાંડથી ઘેરાયેલો છે ત્યારે દેશની ટોચની સરકારી એજન્સી ઇન્ટેલજન્સી બ્યુરો(આઇબી)નો રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયાથી લીક થઇ ગયો છે. આ રિપોર્ટમાં ગઇકાલ સુધી માત્ર ત્રણ જ કંપનીના નામ કોઇએ લીક કર્યા હતા, પરંતુ આજે આ રિપોર્ટમાં અનેક કંપની અને ઓપરેટરોના નામ હોવાના સમાચાર વહેતા થતાં બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. આખરે સરકાર જાગી છે અને કેન્દ્રીય ગાૃહ મંત્રાલયે એવો આદેશ આપ્યો છે કે આઇબીનો રિપોર્ટ લીક થયો છે તેની અને તેનો લાભ લઇને બજારમાં જે લોકો લાભ લઇ રહ્યા છે તેની સામે તપાસ કરવામાં આવશે. આ રિપોર્ટને લઇને ટોપટુ બોટમ સુધીની તપાસ કરવાનો આદેશ અપાયો છે.
ઊલ્લેખનીય છે કે ગઇ કાલે આઇબીના રિપોર્ટમાં રૂચિ સોયા, કે.એસ.ઓઇલ, શ્રી અષ્ઠવિનાયક અને કરૂતરી ગ્લોબલ કંપનીના નામ ઊછળ્યાં હતા. જોકે આજે આ ત્રણેય કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે અમારી કંપનીમાં કોઇ પણ પ્રકારની તપાસ ચાલતી નથી. આ કંપનીના શેર છેલ્લા બે-ત્રણ દિવસમાં જ ૨૫થી ૩૦ ટકા જેટલા તૂટી ગયાં હતાં. આજે બજારમાં એવી વાતો ફેલાઇ કે આઇબીના રિપોર્ટમાં બે-ચાર નહ પણ અનેક કંપનીઓ અને ઓપરેટરોના નામ છે, જેમણે કાળા અને વિદેશી નાણાનો શેરબજારમાં ગેરઊપયોગ કર્યો હતો. આ સમાચાર પાછળ ખાસ કરીને સ્મોલ કેપ કંપનીના શેર ૪૫ ટકા જેટલા તૂટી ગયાં હતાં.
ઊલ્લેખનીય છે કે શેરબજારમાં આઇબીના રિપોર્ટને લઇને સુકાની સાથે લીલું પણ બળે તેમ તમામ શેર તૂટયાં હતાં. એક શેર વધ્યો હતો, જેની સામે ૨૦ શેર તૂટ્યાં હતા. ૭૦ ટકા શેરમાં ૧૦થી ૨૦ ટકા અને ૬૦૦ કંપનીના શેરમાં પાંચથી ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
કે.આર.ચોકસી સિકયોરિટીના દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, નાના રોકાણકારો અત્યારે સમજી વિચારીને બજારમાં જાણીતી કંપનીમાં જ પૈસા લગાવે. કોઇ શેરમાં ગમે ત્યારે કોઇ મોટી વધઘટ જોવા મળે કે કંઇ સમાચાર આવે તો તુરંત જ બ્રોકરની સલાહ લઇને નિર્ણય લે.
Subscribe to:
Post Comments (Atom)
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...
-
પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL Ahmedabad:01/01/2010: જીવનમાં પૈસા અને પ્રેમ છે તો બધુ જ સારૂ છે। જિંદગી જીવવા માટે આ બંનેની જરૂર છે. એક...
-
-ચેન્નઈની એક કંપનીએ બનાવેલા ડ્રોનનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેનું બીડું ઝડપતી સુરતની હાઈ-ટેક મીકેનાઈઝેશન કંપની -ભારતમાં સૌપ્રથમવા...
No comments:
Post a Comment