06 August 2014

FCI Start Wheat E-Auction From 7 August. Gujarat 1 lakh tone Tender

ગુજરાતમાં FCI ઘઉંનું ૧ લાખ ટનનું ટેન્ડર જાહેર

-ઈ-ઓક્શન મારફતે ગુરૃવારથી ટેન્ડર ખુલશે
-ગુજરાતમાં અતિ ઊંચા ભાવથી ટેન્ડરનો ફિયાસ્કો થવાની ગણતરી



કેન્દ્ર સરકારે એફસીઆઈનાં ૧૦૦ લાખ ટન ઘઉંનાં ટેન્ડરના ભાગરૃપે સમગ્ર દેશમાં રાજ્યવાર ઘઉંનાં ટેન્ડરો જાહેર કર્યાં છે. જેમાં એફસીઆઈએ ગુજરાતમાં એક લાખ ટન ઘઉંનું ટેન્ડર બહાર પાડ્યું છે. જોકે ગુજરાત માટે ઘઉંનાં જૂના અને નવા પાકનાં ઊંચા ભાવને કારણે ટેન્ડરને નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. ઈ-ઓક્શન મારફતે ઘઉંના ઓક્શનની પ્રક્રીયા ૭મી ઓગસ્ટ એટલે કે ગુરૃવારથી શરૃ થશે.
કેન્દ્ર સરકારે ગત મહિને એફસીઆઈનાં ઘઉં છુટ્ટા કરવાની જાહેરાત કરી હતી જેમાં જૂના પાકનાં રૃા.૧૫૦૦ અને નવા પાકનાં રૃા.૧૫૭૦ બૈઝિક ભાવ નક્કી કર્યાં છે. આ ભાવ માત્ર ઘઉં ઉત્પાદક રાજ્યો એટલે કે પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણા માટે છે. આ સિવાયનાં   દેશનાં તમામ રાજ્યો માટે લુધીયાણાથી જે-તે સેન્ટરનું રેલ્વે ભાડું અને નૂરનો દર ઉમેરીને બૈઝિક ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. આ પ્રક્રીયાને કારણે ગુજરાતનાં ભાવ ખૂબજ ઊંચા છે.
એફસીઆઈનાં અમદાવાદ સ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ૧ લાખ ટન ઘઉંનું ટેન્ડર જાહેર થયું છે, જેમાં જૂના પાકનું ૯૪ હજાર ટન અને નવા પાકનું ૬ હજાર ટનનું ટેન્ડર છે. ૭મી ઓગસ્ટથી ઈ-ઓક્શન જાહેર થશે.
ગુજરાતનાં ટેન્ડરમાં બૈઝિક ભાવ સૌથી ઓછા પાલનપૂર માટે જૂના પાકનાં રૃા.૧૬૨૫ અને નવા પાકનાં રૃા.૧૬૯૫ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ માળીયા માટે રૃા.૧૬૯૩ અને રૃા.૧૭૬૩ નક્કી કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં એફસીઆઈએ કુલ ૩૪ સેન્ટરો  માટેનાં બૈઝિક ભાવ નક્કી કરી દીધા છે. આ સેન્ટરવાળાએ ઈ-ઓક્શનમાં લઘુત્તમ આજ ભાવ ભરવાનાં છે.  એફસીઆઈએ દરેક સેન્ટર વાર ઘઉંની ક્વોન્ટીટી પણ નક્કી કરી છે અને આ માટે કુલ ૧૭ ગોડાઉન છે. જેમાં  નવા ઘઉં માત્ર ભોમૈયા સેન્ટર ઉપર ૩ હજાર ટન અને અડાલજ ગોડાઉનમાં ૩ હજાર ટન છે. આ સિવાય તમામ સેન્ટરમાં જૂના ઘઉંનું જ વેચાણ થશે.
ગુજરાત રોલર ફ્લોર મિલ એસોસિયેસનનાં ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ શરાફે જણાવ્યું હતું કે સરકારે ઘણીભેદભાવવાળી નીતિ કરી છે. મધ્યપ્રદેશમાં ઘઉંનાં ભાવ રૃા.૧૫૦૦ અને ગુજરાતમાં રૃા.૧૬૨૫ ઉપરનાં છે તો લોકો ગુજરાતમાંથી ઘઉં શા માટે ખરીદી કરે? ગુજરાતમાં અત્યારે જ બજારમાં ઘઉંમાં સરેરાશ રૃા.૧૬૦૦-૧૬૩૦માં પડતર છે. વળી સરકારે ઈ-ઓક્શન રાખવાની પ્રક્રીયા જ ખોટી રાખી છે.  સરકારે ઘઉં આપવા જ છે તો સીધેસીધા આપી દેવા જોઈએ. સરકાર પાસે પણ સ્ટોક છે અને ઘઉંનું વેચાણ કરવું છે તો સરળ પધ્ધતિ અપનાવવી જોઈએ. ઈ-ઓક્શનમાં પ્રક્રીયા થયા બાદ પણ ૮થી ૧૦ દિવસે માલ મળે છે.
સરેરાશ ગુજરાતમાં એફસીઆઈનાં બજાર ભાવ કરતાં પણ ઊંચા ભાવ હોવાને કારણે ઘઉંનાં ટેન્ડરનો નબળો પ્રતિસાદ મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. ઘઉંનાં બજાર ભાવ ઉપર આની કોઈ અસર નહીં થાય, પરંતુ મોટી તેજી હવે અટકી જશે એ સ્પષ્ટ થઈ ગયું છે.


No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...