પામતેલ વાયદામાં ત્રણ મહિનામાં ૧૯ ટકાનો ઉછાળો
આવશે ઃ એનાલિસ્ટો
-એમસીએક્સ પામતેલ વાયદામાં પણ ભાવ વધીને
રૃા.૪૬૦-૪૮૦ થવાની આગાહી
પામતેલ વાયદામાં છેલ્લા થોડા દિવસથી તેજી જોવા મળી રહી છે.
વિશ્વનાં ટેકનિકલ એનાલિસ્ટોનું માનવું છેકે મલેશિયન પામતેલ વાયદામાં વર્તમાન ચાલ
જોતા આગામી ત્રણ મહિનામાં ભાવ ૧૯ ટકા વધે તેવી ટેકનિકલ ચાલ બતાવે છે.
ટેકનિકલ એનાલિસ્ટોનું કહેવું છેકે મલેશિયન પામતેલ વાયદો
આગામી ત્રણ મહિનામાં વધીને ૨૬૪૯ રિગિંટની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ માટે
મહત્તવનું રેઝિસ્ટન્સ લેવલ ૨૩૩૮ રિગિંટની સપાટી છે. બેન્ચમાર્ક માર્ચ વાયદો આજે ૧૦
રિગિંટ વધીને ૨૨૧૯ રિગિંટની સપાટી પર બંધ રહ્યો હતો.
ફિબોનેક્કી રિટ્રેચમેન્ટ પધ્ધતિ પ્રમાણે મલેશિયન પામતેલ
વાયદામાં ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮નાં રોજ ૧૩૩૧ રિગિંટની સપાટીથી ભાવ વધીને ૧૦ ફેબ્રુઆરી
૨૦૧૧નાં રોજ ૩૯૬૭ની હાઈ જોવા મળી હતી. જે ૬૧.૮ ટકાનો ઉછાળો બતાવે છે. આ રેન્જમાં
૫૦ ટકાનાં લેવલે ૨૬૪૯ રિગિંટની સપાટી થાય છે જે લેવલ આગામી ત્રણ મહિનામાં જોવા મળી
શકે છે. મલેશિયન વાયદો બીજી સપ્ટેમ્બરનાં રોજ ૧૯૧૪ રિગિંટની સપાટીથી એકધારો સુધરી રહ્યો
છે. બીજી એક ચાલ એવી પણ છે કે ૩૯૬૭થી તેજી-મંદીનાં પાંચ વેવ પ્રમાણે પણ વાયદો
વધીને ફરી ૨૬૪૯ રિગિંટ સુધી પહોંચી શકે છે. તેજીની સાઈકલનો સમય અને ભાવ જોતા પણ
૨૩૩૮ રિગિંટની સપાટી જોવા મળી શકે છે.
બીજી તરફ સ્થાનિક વાયદામાં પણ તેજીની સંભાવનાં ટેકનિકલ
એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે. કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ
ધર્મેેશ ભાટીયાનું કહેવુું છેકે ડોજી પેટર્ન પ્રમાણે જાન્યુઆરી ક્રૂડપામતેલ વાયદો
વધીને રૃા.૪૪૨ અને ત્યાર બાદ રૃા.૪૬૨ સુધી જઈ
શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫ ધ્યાનમાં રાખવો. જાન્યુઆરી વાયદો આજે રૃા.૪૩૫ પર
બંધ રહ્યો હતો.
કેડિયા
કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છે કે ક્રૂડપામતેલ વાયદો વધીને
રૃા.૪૬૦ની સપાટી પર પહોંચશે. આ લેવલ વટાવશે તો ભાવ વધીને રૃા.૪૮૦ સુધી પણ જઈ શકે
છે. સ્ટોપલોસ રૃા.૪૧૫નો ધ્યાનમાં રાખવો.
No comments:
Post a Comment