જૂના બાસમતી
ચોખાનાં જંગી સ્ટોકથી નવા ચોખાનું વેચાણ ટાળતા ટ્રેડરો
-નવા-જૂના ચોખા વચ્ચેનો બદલો રૃા.૪૦નો થતા
વેપારીઓને નુકસાની ઃ નવા ચોખામાં પણ બ્રાન્ડ-નોન બ્રાન્ડ વચ્ચે મોટો બદલો
દેશમાં ચાલુ વર્ષે બાસમતી ચોખાનાં ભાવમાં જંગી ઘટાડો થવાને
પગલે ટ્રેડરો નવા ચોખાનું વેચાણ ટાળી રહ્યાં છે. ગુજરાત સહિતનાં દેશનાં ટ્રેડરો
પાસે જૂના બાસમતી ચોખાનો મોટો સ્ટોક પડ્યો હોવાથી તેમને જંગી નુકસાની સહન કરવી પડી
રહી છે.
ઈરાનમાં બાસમતી ચોખાની નિકાસ ઘટી હોવાથી અને દેશમાં પણ મોટો
પાક થયો હોવાથી સરેરાશ ગત વર્ષની તુલનાએ નવા ચોખામાં કિલોએ રૃા.૪૦થી ૪૫નો ઘટાડો
થયો છે. નવા ચોખાની સિઝન આવી ગઈ હોવા છત્તા હજુ ઘણા સ્ટોર-મોલ કે છૂટક વેપારીઓને
ત્યાં નવા ચોખાને બદલે જુના ચોખાનું વધારે વેચાણ થઈ રહ્યું છે. નવા અને જૂના ચોખા
વચ્ચે બ્રાન્ડેડ ક્વોલિટીમાં તો રૃા.૫૦થી પણ વધુનો ભાવ બદલો છે.
ડીસાનાં ચોખાનાં ટ્રેડર એવા હિમાંશુભાઈ ભટ્ટે જણાવ્યું કે
વેપારીઓ પાસે જૂના ચોખાનો સ્ટોક વધારે છે અને નવા ચોખાનાં ભાવ નીચા છે. વળી ગત
વર્ષે મોટી તેજીને કારણે ટ્રેડરોએ ધારણાં કરતા પણ વધારે ખરીદી કરી હતી. પરિણામે
હાલ આ સ્થિતિ ઊભી થઈ છે.
તેમણે કહ્યું કે ચાલુ વર્ષે નીચા ભાવને કારણે બ્રાન્ડેડ અને
નોન બ્રાન્ડેડ બાસમતી ચોખા વચ્ચેનો બદલો પણ મોટો છે. હરિયાણા બાજુની કેટલીક નોન
બ્રાન્ડેડ મિલોનાં સારી ક્વોલિટીનાં આખા ચોખાનાં ભાવ કિલોનાં રૃા.૬૫ ચાલે છે, જેની સામે બ્રાન્ડેડવાળાનાં ભાવ રૃા.૯૦થી ૯૫ ચાલી રહ્યાં છે.
અમદાવાદનાં એક
અન્ય ચોખાનાં ટ્રેડરે કહ્યું કે નવા બાસમતી ચોખાની આવકો હજુ પંદર દિવસ પછી વધી શકે
છે. પ્રથમ તબક્કામાં ટ્રેડરો જૂના ચોખાનું વેચાણ કરવા માંગે છે. કેટલાક મોલવાળા પણ
અત્યારે સ્કીમો કાઢીને જૂનો સ્ટોક ખાલી કરવાનાં મૂડમાં છે. જૂનો સ્ટોક ખાલી થયા
બાદ નવા ચોખાનો જથ્થો બજારમાં વધે તેવી ધારણાં છે.
No comments:
Post a Comment