08 January 2015

China withdraws rebate on TMT bars

સ્ટીલ ઉત્પાદકોને રાહત ઃ ચીને ટીએમટી સ્ટીલ ઉપર નિકાસ વળતર બંધ કર્યું
દેશમાં છેલ્લા છ મહિનાથી વધી રહેલી આયાતને બ્રેક લાગી શકે
દેશનાં સ્ટીલ ઉત્પાદકોને મોટી રાહત મળી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચીનમાંથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી છે અને સ્ટીલ ઉત્પાદકોએ ડ્યૂટી વધારવા માટે પણ અનેક વાર માંગ કરી હતી. આવી સ્થિતિમાં ભારત સરકારે તો રાહત નથી આપી, પરંતુ ચીનની સરકારે ટીએમટી સળિયા સહિતનાં સ્ટીલ ઉપરની નિકાસ ઉપરનું વળતર પાછું ખેંચી લીધું છે.
ચીને પહેલી જાન્યુઆરીથી લાગુ પડે એ રીતે ટીએમટી સળિયા ઉપરનું નવ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે. જ્યારે વાયર રોડ્સ ઉપરથી પણ ૧૩ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે.
ચીનમાંથી ટીએમટી સળિયા અને વાયર રોડ્સની છેલ્લા ચારથી છ મહિનામાં મોટા પાયે આયાત થઈ હતી. મહારાષ્ટ્ર-મુંબઈ અને ગુજરાતની બોર્ડર સિલવાસા સુધી પણ ચીનનાં સળિયા પહોંચી ગયાં હતાં. ગુજરાતની પણ એક સ્ટીલ કંપનીએ ચીનથી સ્ટીલ આયાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચીનમાં સ્ટીલનાં ભાવ નીચા હતાં અને સાથો સાથ સરકાર નિકાસ વળતર આપતી હોવાથી ભારતમાં મોટા પાયે આયાત થતી હતી. જેમાં હવે ઘટાડો થશે. 
સ્ટીલનાં એક ટ્રેડરે જણાવ્યું હતું કે ચીને નિકાસ રિબેટ પાછું ખેંચતા ગુજરાત સહિત દેશભરનાં ટીએમટી ઉત્પાદકોને રાહત મળી છે. સેઈલ, ટાટા સ્ટીલ જેવી મોટી કંપનીને તેની મોટી અશર થતી હતી. હવેથી સ્ટીલની આયાત ઘટશે, જેનો ફાયદો ભારતીય સ્ટીલ ઉત્પાદકોને થશે. જોકે હાલ સ્ટીલની માગં જ ઓછી હોવાથી ચાલુ મહિને સેકન્ડરી  સ્ટીલ ઉત્પાદકોએ સ્ટીલનાં ભાવમાં રૃા.૫૦૦  સુધીનો ઘટાડો કર્યો છે,પરંતુ હવે મોટો ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...