21 September 2020

સરકારે રવી સિઝન-૨૦૨૦-૨૧ માટે કઈ કોમોડિટીનાં કેટલા ટેકાનાં ભાવ કેટલા વધાર્યાં?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકારે આગામી રવિ સિઝન-શિયાળુ પાકોની સિઝનને ધ્યાનમાં રાખીને લઘુત્તમ ટેકાનાં ભાવની આજે જાહેરાત કરી હતી. તાજેતરમા કૃષિ બિલોનાં વિરોધનો ટાળવા માટે સરકારે પહેલી વાર સપ્ટેમ્બર મહિનામાં એટલે કે હજી શિયાળુ પાકોનું વાવેતર શરૂ થાય એ પહેલા જ જાહેર કર્યાં છે. સરકારે ચણાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫ અને મસૂરમાં રૂ.૩૦૦નો વધારો કર્યો હતો. જ્યારે રાયડાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫નો વધારો કર્યો છે. જ્યારે ઘઉંનાં ટેકાનાં ભાવમાં રૂ.૫૦નો વધારો કરીને રૂ.૧૯૭૫ પ્રતિ ક્વિન્ટલ કર્યાં છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે આ પાકોની ઉત્પાદન પડતર કરતાં ટેકાનાં ભાવ ૫૦થી ૧૦૬ ટકા જેટલા વધારે છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫ બાદ પહેલીવાર ઘઉનાં ભાવ સૌથી ઓછા રૂ.૫૦ જ વધાર્યાં છે. ગત વર્ષે રૂ.૮૫ અને એ અગાઉ રૂ.૧૦૦થી વધુનો જ વધારો કર્યો હતો. દેશમાં ઘઉંનો જંગી સ્ટોક હોવાથી સરકારે ઘઉંનાં ભાવ ઓછા વધાર્યાં છે.

બીજી તરફ કઠોળ પાકો અને ખાસ કરીને મસૂરની અછત હોવાથી તેનું ઉત્પાદન વધે એ માટે તેનાં ટેકાનાં ભાવમાં સૌથી વધુ વધારો કર્યો છે. તેલીબિયાં પાક રાયડાનું ઉત્પાદન વધે અને ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે એ હેતુંથી સરકારે તેનાં ટેકાનાં ભાવ પણ રૂ.૨૨૫ વધાર્યાં છે. જ્યારે જવમાં રૂ.૭૫ અને કુસુમમાં રૂ.૧૧૨નો વધારો કર્યો છે.

(લખ્યા તા.૨૧ સપ્ટે.૨૦૨૦)


 

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...