08 January 2015

India's October 1-Dec 31 sugar output up 27% y/y

દેશમાં ખાંડનું ઉત્પાદન ત્રણ મહિનામાં ૨૭ ટકા વધ્યું
યુ.પી.માં ૫૫ ટકા અને મહારાષ્ટ્રમાં ૪૭ ટકા ઉત્પાદન વધ્યું
દેશમાં ચાલુ સિઝનનાં પ્રથમ ત્રણ મહિનામાં ખાંડનાં ઉત્પાદનમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશન દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કુલ ૭૪.૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૫૮.૬ લાખ ટનનું થયું હતું.
ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશને જણાવ્યું હતું કે દેશમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ ભાવ તેની ઉત્પાદન પડતર કરતાં પણ નીચે પહોંચી જતા મિલો ખેડૂતોને શેરડીનાં પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી.
એસોસિયેશને વધુમાં કહ્યું કે ઉત્તર પ્રદેશની મિલો ચાલુ વર્ષે ત્રણ સપ્તાહ વહેલી શરૃ થઈ છે, જેને કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. વળી ખાંડની રિકવરી પણ ચાલુ વર્ષે ૯.૨૫ ટકા જોવા મળી છે, જે ગત વર્ષે ૮.૭૫ ટકા જોવા મળી હતી.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૪૭ ટકા વધીને ૩૨.૭ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૨૨.૩ લાખ ટન થયું હતું. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ૫૫ ટકા વધીને ૧૭.૨ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૧૧.૧ લાખ ટન થયું હતું.
કર્ણાટકમાં ૧૨ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧૨.૩ લાખ ટન થયું હતું. તામિલનાડુંમાં ૬૫ હજાર ટન થયું છે, જે ગત વર્ષે ૧.૬૨ લાખ ટન થયું હતું. બિહારમાં ૧.૮૦ લાખ ટન થયું છે, જે ગતવર્ષે ૯૦ હજાર ટન થયું હતું.

દેશમાં ડિસેમ્બર અંત સુધીમાં કુલ ૪૮૧ મિલો ચાલુ થઈ છે, જે ગત વર્ષે ૪૮૫ મિલો ચાલુ થઈ હતી. ખાંડનાં ભાવ હાલ મહારાષ્ટ્રમાં રૃા.૨૪૫૦થી ૨૫૦૦, ઉત્તર પ્રદેશમાં રૃા.૨૬૦૦થી ૨૬૫૦ છે.

China withdraws rebate on TMT bars

સ્ટીલ ઉત્પાદકોને રાહત ઃ ચીને ટીએમટી સ્ટીલ ઉપર નિકાસ વળતર બંધ કર્યું
દેશમાં છેલ્લા છ મહિનાથી વધી રહેલી આયાતને બ્રેક લાગી શકે
દેશનાં સ્ટીલ ઉત્પાદકોને મોટી રાહત મળી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચીનમાંથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી છે અને સ્ટીલ ઉત્પાદકોએ ડ્યૂટી વધારવા માટે પણ અનેક વાર માંગ કરી હતી. આવી સ્થિતિમાં ભારત સરકારે તો રાહત નથી આપી, પરંતુ ચીનની સરકારે ટીએમટી સળિયા સહિતનાં સ્ટીલ ઉપરની નિકાસ ઉપરનું વળતર પાછું ખેંચી લીધું છે.
ચીને પહેલી જાન્યુઆરીથી લાગુ પડે એ રીતે ટીએમટી સળિયા ઉપરનું નવ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે. જ્યારે વાયર રોડ્સ ઉપરથી પણ ૧૩ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે.
ચીનમાંથી ટીએમટી સળિયા અને વાયર રોડ્સની છેલ્લા ચારથી છ મહિનામાં મોટા પાયે આયાત થઈ હતી. મહારાષ્ટ્ર-મુંબઈ અને ગુજરાતની બોર્ડર સિલવાસા સુધી પણ ચીનનાં સળિયા પહોંચી ગયાં હતાં. ગુજરાતની પણ એક સ્ટીલ કંપનીએ ચીનથી સ્ટીલ આયાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચીનમાં સ્ટીલનાં ભાવ નીચા હતાં અને સાથો સાથ સરકાર નિકાસ વળતર આપતી હોવાથી ભારતમાં મોટા પાયે આયાત થતી હતી. જેમાં હવે ઘટાડો થશે. 
સ્ટીલનાં એક ટ્રેડરે જણાવ્યું હતું કે ચીને નિકાસ રિબેટ પાછું ખેંચતા ગુજરાત સહિત દેશભરનાં ટીએમટી ઉત્પાદકોને રાહત મળી છે. સેઈલ, ટાટા સ્ટીલ જેવી મોટી કંપનીને તેની મોટી અશર થતી હતી. હવેથી સ્ટીલની આયાત ઘટશે, જેનો ફાયદો ભારતીય સ્ટીલ ઉત્પાદકોને થશે. જોકે હાલ સ્ટીલની માગં જ ઓછી હોવાથી ચાલુ મહિને સેકન્ડરી  સ્ટીલ ઉત્પાદકોએ સ્ટીલનાં ભાવમાં રૃા.૫૦૦  સુધીનો ઘટાડો કર્યો છે,પરંતુ હવે મોટો ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

Government to soon set norms on e-marketing of farm produce

કૃષિ પેદાશોનાં ઓનલાઈન વેચાણની ગાઈડલાન્સ ટૂંકમાં

દરેક માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોને ઓનલાઈન વેચાણનું પ્લેટફોર્મ પૂરૃ પડાશે
-માર્કેટિંગ યાર્ડોને રૃા.૨૦થી ૩૫ લાખ રાજય સરકાર પણ પૂરા પાડશે
ઈ-કોમર્સ અને ઓનલાઈન ટેકનોલોજીનો અત્યારે જમાનો છે ત્યારે ખેડૂતોને પણ તેમાં સમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કૃષિ પેદાશોનું ઓનલાઈન વેચાણ થઈ શકે એ માટે એમોઝોન અને જેબોંગની જેમ એગ્રી પ્લેટફોર્મ પુરૃ પાડવા માટેની તૈયારી કરી રહ્યું છે અને તે અંગેની સત્તાવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવનાં છે.
દેશમાં હાલ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે ઈ-માર્કેટિંગ પ્લેટફોર્મ પોતાનાં ફંડને આધારે નાની માત્રામાં કાર્યરત છે, કેન્દ્ર સરકાર તેને રાષ્ટ્રીયસ્તરે લઈ જવા માંગે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે દેશની તમામ એમપીએમસી મંડીમાં ખેડૂતો માટે ઈ-માર્કેટિંગ ટ્રેડિંગનો વિકલ્પ શરૃ કરવા માટે ગાઈડલાન્સ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થશે.
ઈ-માર્કેટિંગ પોર્ટલ્સ માટે ગત બજેટમાં એગ્રી ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે નાણાની ફાળવણી કરવામાં આવી હતી તે હેઠળ રૃા.૧૦૦ કરોડનું ફંડ ફાળવવામાં આવશે. આનો મુખ્ય હેતું વચેટિયા અને ગેરવ્યાજબી વેપારને નાબૂદ કરવાનો છે.
સૂત્રોનું કહેવું છેકે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં દેશની ૬૦૦ મંડીમાં આ પ્રોજેક્ટ શરૃ કરશે અને દરેક એપીએમસીને એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ પુરૃ પાડશે. આ મંડીમાં નાના અને મોટા ખેડૂતો માટે બંને પ્રકારનાં વિકલ્પ રહેશે તેઓ ઓનલાઈન પણ વેચાણ કરી શકશે અને વર્તમાન સિસ્ટમ પ્રમાણે પણ વેચાણ કરી શકશે.

કેન્દ્ર સરકાર હાલમાં કંઈ કોમોડિટીનું ઓનલાઈન ટ્રેડિંગ કરી શકાશે, તેની યાદી બનાવી રહ્યું છે અને ટૂંક સમયમાં ઓનલાઈન પોર્ટલનું નામ અને આ સેવા કોણ પૂરી પાડશે તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છેકે  દરેક મંડીને આ સેવા શરૃ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ મંડીદીઠ રૃા.૨૦થી ૩૫ લાખ સુધીનું ફંડ સ્ટોરેજ, ગ્રેડિંગ, શોર્ટિંગ અને અન્ય માળખાગત સુવિધાઓ શરૃ કરવા માટે આપવામાં આવે તેવી શક્યતા છે. કૃષિ પેદાશોમાં ઓનલાઈન વેચાણ માટે તમામ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉનની સુવિધા અંગેના નિયમો એપીએમસી એક્ટ હેઠળ જ આવરી લેવામાં આવશે.

Cement Price Rise Rs.25 in last 15 day's in Gujarat

ગુજરાતમાં સિમેન્ટનાં ભાવમાં પખવાડિયામાં રૃા.૨૫નો ઉછાળો
-દેશમાં ચાલુ વર્ષે સિમેન્ટની માંગ ૧૦ ટકા વધવાનો અંદાજ

સિમેન્ટ બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા દશ-પંદર દિવસમાં સિમેન્ટ કંપનીઓએ સિમેન્ટનાં ભાવમાં થેલીએ રૃા.૨૫નો વધારો કર્યો છે. બજાર સૂત્રોનાં કહેવા પ્રમાણે ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ગુજરાતમાં સિમેન્ટ ઉત્પાદકોએ કાર્ટેલકરીને ભાવમાં રૃા.૨૦થી ૨૫નો વધારો કર્યો છે. નવા ભાવ નોનટ્રેડમાં રૃા.૨૪૫-૨૫૦ અને ટ્રેડમાં રૃા.૨૬૫-૨૭૦નાં ભાવ છે. ટાટા સિમેન્ટનાં રૃા.૨૫૫નાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે.
સિમેન્ટનાં એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સિમેન્ટ બજારમાં ઉત્પાદકોની કાર્ટેલને કારણે ભાવ ગમે ત્યારે વધી જાય છે. ક્રૂડતેલનાં ભાવ ઘટી રહ્યાં હોવા છત્તા સિમેન્ટની બજારમાં તેજી જોવા મળી રહી છે. સરકાર દ્વારા કોઈ પગલાઓ લેવામાં નહીં આવે તો સિમેન્ટનાં ભાવ હજુ પણ વધે તેવી સંભાવનાં છે.
સિમેન્ટની માંગમાં છેલ્લા થોડા સમયમાં ધીમો ગ્રોથ રહ્યાં બાદ ચાલુ વર્ષે માંગ વધે તેવી ધારણાં છે. એન્જલ બ્રોકિંગનાં એનાલિસ્ટ શ્રેણીક ગુજરાથીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશમાં સિમેન્ટની માંગમાં ૯થી ૧૦  ટકાનો વધારો થાય તેવી સંભાવનાં છે. જે છેલ્લા થોડા વર્ષોમાં સરેરાશ ૩થી ૭ ટકા જ રહ્યો છે. દેશમાં વધુ પડતા ઉત્પાદનને કારણે ભાવ પણ નીચા રહ્યાં છે, પરંતુ હવે ઈકોનોમીમાં સુધારાને કારણે ભાવ બોટમઆઉટ થઈને વધે તેવી સંભાવનાં છે.

કેન્દ્રમાં નવી  સરકાર આવ્યાં બાદ હજુ સુધી નવા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો આવ્યાં નથી, પરંતુ આગામી દિવસોમાં આવે તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી નીતિ બાદ નવું રોકાણ આવશે તો સિમેન્ટની માંગમાં પણ વધારો થાય તેવી સંભાવનાં છે.
(Date. 3 Jan.2015)

World Edible oil price say's Investment Bank

સોયા-પામતેલમાં તેજી થવાની વૈશ્વિક બેન્કોની આગાહી
-રાબોબેન્ક, મેકક્વેરી, જેફેરીઝ અને ફ્યુચર ગ્રૂપની તેજીની આગાહી
-સ્થાનીક પામતેલ વાયદો પણ રૃા.૫૧૫ સુધી જશે

ખાદ્યતેલની બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં સરેરાશ મંદી જોવા મળ્યાં બાદ ૨૦૧૫માં તેજી જોવા મળે તેવી શક્યતા વિશ્વની અનેક ઈન્વેસ્ટમેન્ટ બેન્કો દર્શાવી રહી છે. રાબોબેન્ક, મેક્કેવરી, જેફેરીઝ અને ફ્યુચર ઈન્ટરનેશનલ ગ્રૂપે જણાવ્યું હતું કે વિશ્વમાં ૨૦૧૫નાં વર્ષમાં સોયાતેલ અને પામતેલમાં તેજીનો માહોલ જોવા મળે તેવી પૂરી સંભાવનાં છે.
પામતેલની માંગ વધતા ભાવ ઊંચકાશે ઃ રાબોબેન્ક
વૈશ્વિક બેન્ક રાબોબેન્કે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ૨૦૧૫માં પામતેલમાં સુધારો જોવા મળશે. માંગમાં વધારો થશે અને સુકા વાતાવરણની ધારણાએ ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ઓછું વધે તેવી ધારણાં છે. વિશ્વમાં પામતેલનું ઉત્પાદન ૨૦૧૫માં માત્ર ૧૩ લાખ ટન જ વધે તેવી ધારણાં છે, જે ૨૦૧૪માં ૩૬ લાખ ટન વધ્યું હતું. સ્ટોક પણ નીચો રહે તેવી ધારણાં છે. સ્ટોક પણ સિઝનને અંતે ઓછો રહેવાની ધારણાં છે.
પામતેલનું ઉત્પાદન ઘટવાની ધારણાં ઃ મેકક્વેરી
મેકક્વેરી બેન્કે જણાવ્યું હતુંકે અલનિનોની અસરથી ઈન્ડોનેશિયામાં સુકા વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે અને જેને કારણે પામતેલનાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે, જેને કારણે ભાવ ઊંચકાશે. પામતેલમાં શિયાળાનાં મહિના દરમિયાન સરેરાશ ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે.
સોયાખોળ-સોયાતેલમાં સુધારો જોવાશે ઃ ફ્યુચર ઈન્ટરનેશનલ
સોયાખોળ જાન્યુઆરી વાયદામાં ભાવ ટૂંકાગાળાલ માટે ૩૪૦થી ૩૮૦ ડોલર અને સોયાતેલમાં ૩૦.૬૫થી ૩૩.૪૦ ડોલરની રેન્જ જોવા મળશે. સોયા ખોળ-તેલમાં ટૂંકાગાળા માટે ભાવ ઘટી શકે છે, પરંતુ આગળ ઉપર ભાવ સુધરે તેવી ધારણાં છે.
સોયા તેલમાં ૨૦૧૫માં બદલાવ આવશે ઃ જેફેરીઝ
જેફરીઝ નામની વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે સોયા કોમ્પલેક્સમાં ૨૦૧૪માં સોયાતેલ સૌથી વધુ ઘટ્યું છે,પરંતુ ૨૦૧૫માં તેમાં બદલાવ આવશે અને ભાવ ઊંચકાય શકે છે.
સોયાતેલમાં સુધારાની ધારણાં ઃ રાબોબેન્ક
રાબોબેન્કનું માનવું છેકે સોયાતેલનાં ભાવ નીચા સ્ટોકને કારણે ૨૦૧૪ની બોટમથી ઉપરની તરફ આગળ વધી રહ્યાં છે. ૨૦૧૫માં પણ ભાવ સુધરે તેવી આશા છે. સોયાખોળની અમેરિકામાંથી રેકર્ડબ્રેક માંગને કારણે બજારને ટેકો મળશે.
એમસીએક્સ પામતેલમાં રૃા.૫૧૪નાં ભાવ જોવાશે

વૈશ્વિક બજારમાં પામતેલમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં પણ તેજીની સંભાવનાં છે. કેડિયા કોમોડિટીનાં કહેવા પ્રમાણે એમસીએક્સ જાન્યુઆરી પામતેલ વાયદો આગામી દિવસોમાં વધીને રૃા.૪૭૦, ૪૯૨ અને ત્યાર બાદ રૃા.૫૧૪.૮૦ સુધી જાય તેવી સંભાવનાં છે. રોકાણકારોએ દરેક ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. વાયદો ગત શુક્રવારે રૃા.૪૫૪.૯૦ પર બંધ રહ્યો હતો. મલેશિયન પામતેલ વાયદો છેલ્લે ૨૨૮૪ રિગિંટની  સપાટી પર બંધ રહ્યો હતો. શિકાગો સોયાતેલ ૩૨.૦૯ ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો.

Turmeric Price High..

હાઈબ્રીડ હળદરનાં ભાવ વધીને રૃા.૧૦,૮૦૦ને ઊંચી સપાટીએ પહોંચ્યાં
-સારી ક્વોલિટીની હળદરમાં માંગ વધતા મજબૂતાઈની ધારણાં ઃ વાયદામાં રૃા.૧૨,૦૦૦ની આગાહી

હળદરમાં વાયદાની સાથે હાજર બજારમાં પણ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. હળદરનાં ઉત્પાદક મથકોએ ચાલુ સપ્તાહે ભાવ વધીને રૃા.૧૦,૮૦૦ની ઊંચી સપાટીએ પણ પહોંચ્યાં હતાં. આવકો ઘટતા અને નિકાસ માંગ સારી રહેવાને કારણે સરેરાશ ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. વાયદામાં પણ ભાવ રૃા.૧૨,૦૦૦ની નજીક પહોંચવાની ધારણાં છે.
ઈરોડમાં હાઈબ્રીડ હળદરનાં ભાવ ચાલુ સપ્તાહે વધીને ક્વિન્ટલદીઠ રૃા.૧૦,૮૮૮ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. સરેરાશ ૧૦,૫૦૦ ગુણીની આવક હતી, જેમાંથી મોટા ભાગની હળદરનું વેચાણ થયું હતું. હાઈબ્રીડ વેરાયટીમાં એક જ દિવસમાં રૃા.૧૨૦૦નો ઉછાળો આવ્યો હતો, જ્યારે અન્ય વેરાયટીમાં રૃા.૩૦૦થી ૫૦૦નો સુધારો થયો હતો.
ઈરોડમાં સરેરાશ લોકલ મંડીમાં ફિંગર વેરાયટીમાં ભાવ રૃા.૪૬૯૯-૮૯૯૧ પ્રતિ ક્વિન્ટલનાં ભાવ હતાં, જ્યારે રૃટ વેરાયટીમાં રૃા.૪૬૮૯-૮૫૮૮નાં ભાવ ક્વોટ થયાં હતાં.
સાંગલીમાં હળદરની આવકો ઠપ્પ
મહારાષ્ટ્રનાં હળદરનાં મુખ્ય મથક સાંગલીમાં છેલ્લા ત્રણ દિવસથી મંડીઓ બંધ હતી. મજૂરો દ્વારા વેતન વધારો માંગવાને કારણે મંડી બંધ રહેતા હળદરની આવકો ઠપ્પ થઈ ગઈ છે. સાંગલીમાં મજૂરો દ્વારા ૩૦ ટકા મજૂરી વધારવા માટે માંગ કરી છે, પરંતુ હળદર એસોસિયેશન દ્વારા ૯થી ૧૦ ટકા જ વેતન વધારો આપવા તૈયાર છે, પરિણામે હરાજી અટકી હતી.
હળદર એપ્રિલ વાયદો રૃા.૧૧,૯૦૦ થવાની ધારણાં

હળદર હાજર બજારની સાથે એપ્રિલ વાયદામાં પણ સુધારો થાય તેવી ધારણાં છે. એપ્રિલ વાયદો ગત શુક્રવારે રૃા.૯૨૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો. કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાનું કહેવું છેકે એપ્રિલ વાયદો વધીને રૃા.૧૦,૫૦૦ અને રૃા.૧૧,૯૦૦ની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. સ્ટોપલોસ રૃા.૯૦૦૦ ધ્યાનમાં રાખીને વેપાર કરવો.
(Date. 3 Jan.2015)

03 January 2015

Coriander Price Down 20% in one month

ધાણામાં મંદી , ભાવ મહિનામાં ૨૦ ટકા તુટ્યાં

-રાજસ્થાનમાં વરસાદથી ધાણાનાં ઊભા પાકને ફાયદો, પણ ગુજરાત-એમ.પી.માં નુકસાન

ધાણાની તેજી હવે અસ્ત થવા લાગી છે અને છેલ્લા બે મહિનામાં ૨૦ ટકાનો કડાકો બોલી ગયો છે. ધાણા ઉત્પાદક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે રાજસ્થાનમાં ફાયદો છે, પરંતુ એ સિવાયનાં વિસ્તારમાં નુકસાનીની સંભાવનાં છે.
ધાણા બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો ૧ ડિસેમ્બરે રૃા.૧૩૫૬૨ હતો, જે આજે ઘટીને રૃા.૧૦,૫૦૦ની નજીક પહોંચી ગયો છે. આમ તેમાં સરેરાશ રૃા.૩૦૦૦નો કડાકો બોલ્યો છે. જ્યારે નવા પાકનાં એપ્રિલ વાયદામાં ભાવ એક મહિનામાં રૃા.૮૪૯૦થી ઘટીને રૃા.૭૯૦૦ થયાં છે. સરેરાશ બજારો ઘટતા રહે તેવી ધારણાં છે.
રાજસ્થાનમાં ધાણાનાં અગ્રણી ટ્રેડર અને અખિલ ભારતીય વાયદા વ્યાપારી સંઘનાં સેક્રેટરી પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ધાણાને મોટો ફાયદો થયો છે. ધાણા માટે વર્તમાન વરસાદ અમૃત સમાન છે. ચાલુ વર્ષે અઢીથી ત્રણ ગણો પાક થવાની ધારણાં છે. ઓલ ઈન્ડિયા ધાણાનો પાક ૧.૫૦ કરોડ ક્વિન્ટલ થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૬૦ લાખ ક્વિન્ટલ થયો હતો. નવા ધાણા અમુક વિસ્તારમાં આવા લાગ્યાં છે, પરંતુ એકાદ મહિનામાં આવકો રેગ્યુલર ચાલુ થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં ખેડૂત અને પાટીદાર આગેવાન મનોહર પાટીદારે જણાવ્યું હતું કે બે દિવસથી પડી રહેલો વરસાદ ધાણા સિવાયનાં પાક માટે ફાયદાકારક છે. ધાણાનાં પાકને થોડી અસર જોવા મળી શકે છે અને ક્વોલિટી બગડે તેવી પણ સંભાવનાં છે.
ધાણાનાં પાક ઉપર વરસાદની દરેક વિસ્તાર પ્રમાણે અસર થતી હોય છે. રાજસ્થાનની જમીન નીતાર વાળી અને પાણી ચૂસી લેતી હોવાથી ત્યાં વરસાદ પડે તો પાકને ફાયદો થાય છે, પરંતુ એમ.પી. કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બાજુની કાળી જમીન ઉપર પાણી પડે તો ક્યારે ભરેલા રહે છે, જેને કારણે પાકને ભવિષ્યમાં રોગ લાગી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવદ કે ધ્રાંગ્રધા વિસ્તારમાં વરસાદ પડે તો ફાયદો પણ થઈ શકે છે.
ધાણાનાં ભાવ વિશે પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે ધાણાનાં ભાવ આગામી એકથી બે મહિનામાં રૃા.૨૦૦૦થી ૩૦૦૦ ઘટી જાય તેવી સંભાવનાં છે. એપ્રિલ વાયદો ઘટીને રૃા.૫૦૦૦ની સપાટીએ પણ પહોંચવાની સંભાવનાં છે. ઉલ્લેખનીય છેકે ધાણામાં ૨૦૧૪નાં વર્ષમાં સમગ્ર કોમોડિટીમાં સૌથી વધુ ૪૭ ટકાનો ભાવવધારો થયો હતો.

રાજ્ય સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ચાલુ વર્ષે ધાણાનું ૯૦ હજાર હેકટરમાં અને રાજસ્થાનમાં ૧.૯૦ લાખ હેકટરમાં વાવેતર થયું છે.
(Date 2 Jan.2015)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...