06 December 2013
02 December 2013
30 November 2013
29 June 2012
મારી કેરીયરમાં પત્રકારત્વ ક્ષેત્રનો એક દાયકો પૂરો
આજે એટલે કે ૨૪ જુનના રોજ મારી કેરીયરમાં પત્રકારત્વ ક્ષેત્રનો એક દાયકો પૂરો થયો છે.(૨૦૦૨-૨૦૧૨) મિત્રો, સ્નેહીજનો અને આપ સૌની શુભેચ્છાથી આ લાઈનમાં ૧૦ વર્ષ પૂરા થયા અને ૧૧મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન અનેક ચઢાવ-ઉતાર મે અનુભવ્યા છે અને જોયા પણ છે. કોલજકાળ પૂરો કરીને સીધો જન્મભૂમિ ગ્રૂપના બાય વીકલી ન્યૂઝપેપર "વ્યાપાર"થી ૨૪ જૂન, ૨૦૦૨થી પત્રકારત્વની શરૂઆત કરી હતી, મારા પ્રથમ સમાચાર માત્ર ૧૦-૧૫ લાઈનના માંડ હતા, આજે ૧૫ પેજ લખવા હોય તો પણ વાંધો ન આવે. હું બિઝનેસ ક્ષેત્રમાં છું, પણ પત્રકારત્વની ઓફિસીયલી કાર્રિકદી શરૂ કરી એ પહેલા જિંદગીમાં પ્રથમવાર કલમ ચાલી ત્યારે એક લવસ્ટોરી લખી હતી અને આનંદની વાત એ છે કે એ સ્ટોરી ગુજરાત સમાચારના મેગેઝિન ‘શ્રી"માં મારી બાયલાઈન સાથે પ્રસીધ્ધ પણ થઈ. કદાચ આ જ સ્ટોરીને કારણે આજે હુ પત્રકારત્વ ક્ષેત્રે છું એવું જરૂર કહીશ...
વ્યાપારમાં થોડો સમય કાર્ય કર્યું અને એ સમયગાળા દરમિયાન જર્નાલિઝમ પણ સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કર્યું. પત્રકારત્વની પા..પા.. પગલી માંડી રહ્યો હતો ત્યાં ઓક્ટોબર-૨૦૦૩માં ‘કોમોડિટી વર્લ્ડ’ નામનું નવું અખબાર ચાલુ થયું અને બીજી ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ એટલે કે મારા જન્મ દિવસે જ આ નવા અખબારમાં જોડાયો.
કોમોડિટી વર્લ્ડે ૨૦૦૬માં અમદાવાદ આવૃતિ શરૂ કરી અને ૬ ઓગસ્ટ, ૨૦૦૬ અને ફ્રેન્ડશીપ ડેના દિવસે જ અમદાવાદ સાથે દોસ્તી શરૂ કરી અને રાજકોટને વિદાય આપી. અમદાવાદમાં પત્રકારત્વની મજા કંઈક અલગ છે અને રાજકોટમાં પણ અલગ મઝા છે, એ અહીં આવ્યા પછી અનુભવ્યું છે. બંનેની તુલના ના થઈ શકે.
અમદાવાદમાં કોમોડિટી વર્લ્ડમાં લગભગ બે વર્ષ કાર્ય કર્યા બાદ ૧૪ ઓક્ટો, ૨૦૦૮માં સમભાવ ગ્રૂપના ન્યૂઝ પેપર ‘મેટ્રો સમભાવ’માં જોડાયો અને ત્યાં એક નવો અનુભવ થયો. ઘણું નવું જાણવા મળ્યું અને અનુભવ્યું પણ ખરૂ..
સમભાવ ગ્રૂપમાં લગભગ અઢી વર્ષ કાર્ય કર્યા બાદ એપ્રિલ, ૨૦૧૧માં ફરી એક વાર મે કોમોડિટી વર્લ્ડ જોઈન્ટ કર્યું અને આજે ત્યાં જ કર્યા કરી રહ્યો છું.
પત્રકારત્વના આ એક દાયકામાં ખૂબ જ મઝા પડી છે. કામ કરવા ખાતર નથી કર્યું, પણ દીલ દઈને બધી જગ્યાએ કામ કર્યું છે. ઘણી વાર કામને પણ ગમતુ કરીને મજા લીધી છે. એક દાયકામાં ત્રણ ગ્રૂપ સાથે કામ કર્યું છે. દાયકામાં એકાદ સારી તક પણ વ્યક્તિગત કારણોસર સ્વીકારી નહોંતી અને એકાદ-બે તક ન મળી તેનો આજે આનંદ પણ છે. પત્રકારત્વ ક્ષેત્રમાં હું બે વ્યક્તિનો આભાર ક્યારેય ભુલી શકું તેમ નથી. એક તો મારા કોલેજકાળના પ્રોફેસર હરેશ પંડયા અને બીજા મયુર મહેતા. એકે આંગળી બતાવી છે તો બીજાએ મારી આંગળી પકડી છે.
નવા દાયકાની શરૂઆત માટે આપની શુભેચ્છાની રાહમાં....
07 September 2011
ટીએમટી સળિયામાં ફરી તેજીઃ રૂા.૧,૦૦૦નો ઉછાળો
બાંધકામ ક્ષેત્રમાં વપરાતા ટીએમટી સળિયાની બજારમાં પરી તેજી જોવા મળી છે. દેશની મુખ્ય સ્ટીલ કંપનીઓએ રૂા.૧,૦૦૦નો સુધીનો વધારો જાહેર કર્યો છે, જેની પાછળ કચ્છ-ગુજરાતની સ્ટીલ કંપનીઓએ પણ આજે રૂા.૩૦૦ સુધીનો વધારો જાહેર કર્યો હતો. સેઈલ કંપનીએ સીધો ભાવવધારવાને બદલે ડિસ્કાઉન્ટ બંધ કર્યું છે. કાચા માલની અછતને કારણે સ્ટીલના ભાવમાં તેજીનો પ્રારંભ થયો છે.
જેએસડબ્લ્યુ સ્ટીલે સ્ટીલના ભાવમાં રૂા.૧,૦૦૦નો વધારો જાહેર કર્યો છે. જયારે સેઈલએ રૂા.૫૦૦થી ૧,૦૦૦નું ડિસ્કાઉન્ટ હતું તે બંધ કર્યું છે.
જેએસડબ્લ્યુ સ્ટીલના ડિરેકટર (સેલ્સ અને માર્કેટિંગ) જયંત આચાર્યે જણાવ્યું હતું કે, કંપનીએ શનિવારથી લાગુ પડે એ રીતે રૂા.૧,૦૦૦નો વધારો કર્યો છે.
ટાટા સ્ટીલે હજુ સુધી સપ્ટેમ્બર મહિના માટેના ભાવવધારાની જાહેરાત કરી નથી. એસ્સાર સ્ટીલ અને અન્ય સ્ટીલ કંપનીઓ ભાવવધારવા માટે વિચારણા કરી રહી છે તેમ બજાર સુત્રોએ જણાવ્યું હતું.
મેઈન કંપનીઓ પાછળ ગુજરાતની ટીએમટી બનાવતી કંપનીઓએ પણ ભાવવધારો જાહેર કર્યો હતો. આજે ગુજરાતની ટીએમટી સ્ટીલ કંપનીઓએ રૂા.૨૦૦થી ૩૦૦નો વધારો જાહેર કર્યો હતો. ભાવવધારા બાદ સરેરાશ ટનદીઠ ભાવ રૂા.૪૦,૨૦૦થી રૂા.૪૦,૫૦૦ના ભાવ થયા છે.
ફ્રેન્ડ્સ ટીએમટીના સૌરાષ્ટ્ર-ક્ચ્છના સિનીયર માર્કેટિંગ મેનેજર ગૌરવ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, કાચા માલની અછત અને તેના ઊંચા ભાવને કારણે સ્ટીલના ભાવમાં તેજી જોવા મળી છે. ગુજરાતની બજારમાં દશ-પંદર દિવસ બાદ હજુ વધુ રૂા.૩૦૦થી ૪૦૦નો ઉછાળો આવે તેવી શક્યતા છે.જન્માષ્ટ્રમની રજાઓ બાદ બજારમાં નવા કામ ખૂલ્યા છે અને દરેકને દિવાળી પહેલા કામ પૂરા કરવા છે, માટે બજારમાં સ્ટીલ સળિયાની માગ પણ વધી છે.
ટાટા સ્ટીલના ગુજરાતના એક અગ્રણી ડીલરે જણાવ્યું હતું કે, સ્ટીલમાં હવે તેજીનો દોર આગળ વધશે. બજારમાં મંદીની કોઈ શક્યતા હવે દેખાતી નથી. ટાટાએ ચાલુ મહિને ભલે ભાવ ન વધાર્યા હોય, પરંતુ આવતા મહિને કે પખવાડિયા બાદ પણ ભાવ વધારે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આયર્નઓરની ખાણો બંધ થતા
સ્ટીલમાં વધુ સુધારાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટકની ખાણો બંધ થવા લાગી છે, જેને કારણે આયર્નઓરની મોટી અછત જોવા મળી રહી છે. આયર્નઓરની ખરી અછત હજુ પંદર દિવસ બાદ જોવા મળે તેવી શક્યતા છે. ખાણો બંધ થયા બાદ સ્ટોકનો માલ વેચાઈ ગયો છે, સ્ટોક પણ પૂરો થવામાં આવશે એટલે ભાવમાં વધુ તેજીની શક્યતા છે.
સ્ટીલ બનાવવા માટે આયર્નઓર મુખ્ય કાચો માલ છે. આયર્નઓરના ભાવ વધી રહ્યા છે, પરંતુ કુકિંગ કોલ (કાચા કોલસા)ના ભાવ ઘટી રહ્યા છે, પરિણામે કંપનીઓને થોડી રાહત મળી છે, નહીંતર ભાવમાં વધુ વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં કુકિંગ કોલના ભાવ ઘટી રહ્યા છે. બીજા ક્વાર્ટર દરમિયાન ૩૧૫ ડોલર પ્રતિ ટનના ભાવ હતા, જે ઘટીને ઓક્ટોબર ક્વાર્ટર દરમિયાન ૨૮૦ ડોલર થશે. આયર્નઓરના ભાવ તાજેતરમાં ૧૫ ડોલર જેટલા વધીને અત્યારે ૧૮૭ ડોલર પ્રતિ ટનની સપાટી પર ટ્રેડિંગમાં છે.
09 December 2010
Home Ministry orders probe into leak of IB report
આઇબીનો રિપોર્ટ લીક થતાં ગાૃહ મંત્રાલય દ્વારા તપાસના આદેશ
અઠવાડિયાથી લીક થયેલા રિપોર્ટનો લાભ લઇ રહેલા શેરબજારના ખેલાડીઓ સામે પણ તપાસ કરાશે
શેરબજારમાં અચાનક ૫૦૦ પોઇન્ટના કડાકા અંગે સરકાર મોડે મોડે જાગી
અમદાવાદ, ગુરુવાર
શેરબજારમાં આજે અચાનક ૫૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. પાડાની વાંકે પખાલીને ડામ જેવી વર્તમાન બજારની સ્થિતિમાં નાના રોકાણકારોનો કચ્ચરઘાણ નીકળી ગયા પછી કેન્દ્રીય ગાૃહ મંત્રાલય આજે મોડી સાંજે જાગ્યું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી લીક થયેલા આઇબીના રિપોર્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ લીક થવાના કારણે જ અનેક કંપનીના શેરમાં આજે કડાકો બોલી ગયો હતો.
દેશ અત્યારે ચોતરફ કૌભાંડથી ઘેરાયેલો છે ત્યારે દેશની ટોચની સરકારી એજન્સી ઇન્ટેલજન્સી બ્યુરો(આઇબી)નો રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયાથી લીક થઇ ગયો છે. આ રિપોર્ટમાં ગઇકાલ સુધી માત્ર ત્રણ જ કંપનીના નામ કોઇએ લીક કર્યા હતા, પરંતુ આજે આ રિપોર્ટમાં અનેક કંપની અને ઓપરેટરોના નામ હોવાના સમાચાર વહેતા થતાં બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. આખરે સરકાર જાગી છે અને કેન્દ્રીય ગાૃહ મંત્રાલયે એવો આદેશ આપ્યો છે કે આઇબીનો રિપોર્ટ લીક થયો છે તેની અને તેનો લાભ લઇને બજારમાં જે લોકો લાભ લઇ રહ્યા છે તેની સામે તપાસ કરવામાં આવશે. આ રિપોર્ટને લઇને ટોપટુ બોટમ સુધીની તપાસ કરવાનો આદેશ અપાયો છે.
ઊલ્લેખનીય છે કે ગઇ કાલે આઇબીના રિપોર્ટમાં રૂચિ સોયા, કે.એસ.ઓઇલ, શ્રી અષ્ઠવિનાયક અને કરૂતરી ગ્લોબલ કંપનીના નામ ઊછળ્યાં હતા. જોકે આજે આ ત્રણેય કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે અમારી કંપનીમાં કોઇ પણ પ્રકારની તપાસ ચાલતી નથી. આ કંપનીના શેર છેલ્લા બે-ત્રણ દિવસમાં જ ૨૫થી ૩૦ ટકા જેટલા તૂટી ગયાં હતાં. આજે બજારમાં એવી વાતો ફેલાઇ કે આઇબીના રિપોર્ટમાં બે-ચાર નહ પણ અનેક કંપનીઓ અને ઓપરેટરોના નામ છે, જેમણે કાળા અને વિદેશી નાણાનો શેરબજારમાં ગેરઊપયોગ કર્યો હતો. આ સમાચાર પાછળ ખાસ કરીને સ્મોલ કેપ કંપનીના શેર ૪૫ ટકા જેટલા તૂટી ગયાં હતાં.
ઊલ્લેખનીય છે કે શેરબજારમાં આઇબીના રિપોર્ટને લઇને સુકાની સાથે લીલું પણ બળે તેમ તમામ શેર તૂટયાં હતાં. એક શેર વધ્યો હતો, જેની સામે ૨૦ શેર તૂટ્યાં હતા. ૭૦ ટકા શેરમાં ૧૦થી ૨૦ ટકા અને ૬૦૦ કંપનીના શેરમાં પાંચથી ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
કે.આર.ચોકસી સિકયોરિટીના દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, નાના રોકાણકારો અત્યારે સમજી વિચારીને બજારમાં જાણીતી કંપનીમાં જ પૈસા લગાવે. કોઇ શેરમાં ગમે ત્યારે કોઇ મોટી વધઘટ જોવા મળે કે કંઇ સમાચાર આવે તો તુરંત જ બ્રોકરની સલાહ લઇને નિર્ણય લે.
અઠવાડિયાથી લીક થયેલા રિપોર્ટનો લાભ લઇ રહેલા શેરબજારના ખેલાડીઓ સામે પણ તપાસ કરાશે
શેરબજારમાં અચાનક ૫૦૦ પોઇન્ટના કડાકા અંગે સરકાર મોડે મોડે જાગી
અમદાવાદ, ગુરુવાર
શેરબજારમાં આજે અચાનક ૫૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. પાડાની વાંકે પખાલીને ડામ જેવી વર્તમાન બજારની સ્થિતિમાં નાના રોકાણકારોનો કચ્ચરઘાણ નીકળી ગયા પછી કેન્દ્રીય ગાૃહ મંત્રાલય આજે મોડી સાંજે જાગ્યું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી લીક થયેલા આઇબીના રિપોર્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ લીક થવાના કારણે જ અનેક કંપનીના શેરમાં આજે કડાકો બોલી ગયો હતો.
દેશ અત્યારે ચોતરફ કૌભાંડથી ઘેરાયેલો છે ત્યારે દેશની ટોચની સરકારી એજન્સી ઇન્ટેલજન્સી બ્યુરો(આઇબી)નો રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયાથી લીક થઇ ગયો છે. આ રિપોર્ટમાં ગઇકાલ સુધી માત્ર ત્રણ જ કંપનીના નામ કોઇએ લીક કર્યા હતા, પરંતુ આજે આ રિપોર્ટમાં અનેક કંપની અને ઓપરેટરોના નામ હોવાના સમાચાર વહેતા થતાં બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. આખરે સરકાર જાગી છે અને કેન્દ્રીય ગાૃહ મંત્રાલયે એવો આદેશ આપ્યો છે કે આઇબીનો રિપોર્ટ લીક થયો છે તેની અને તેનો લાભ લઇને બજારમાં જે લોકો લાભ લઇ રહ્યા છે તેની સામે તપાસ કરવામાં આવશે. આ રિપોર્ટને લઇને ટોપટુ બોટમ સુધીની તપાસ કરવાનો આદેશ અપાયો છે.
ઊલ્લેખનીય છે કે ગઇ કાલે આઇબીના રિપોર્ટમાં રૂચિ સોયા, કે.એસ.ઓઇલ, શ્રી અષ્ઠવિનાયક અને કરૂતરી ગ્લોબલ કંપનીના નામ ઊછળ્યાં હતા. જોકે આજે આ ત્રણેય કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે અમારી કંપનીમાં કોઇ પણ પ્રકારની તપાસ ચાલતી નથી. આ કંપનીના શેર છેલ્લા બે-ત્રણ દિવસમાં જ ૨૫થી ૩૦ ટકા જેટલા તૂટી ગયાં હતાં. આજે બજારમાં એવી વાતો ફેલાઇ કે આઇબીના રિપોર્ટમાં બે-ચાર નહ પણ અનેક કંપનીઓ અને ઓપરેટરોના નામ છે, જેમણે કાળા અને વિદેશી નાણાનો શેરબજારમાં ગેરઊપયોગ કર્યો હતો. આ સમાચાર પાછળ ખાસ કરીને સ્મોલ કેપ કંપનીના શેર ૪૫ ટકા જેટલા તૂટી ગયાં હતાં.
ઊલ્લેખનીય છે કે શેરબજારમાં આઇબીના રિપોર્ટને લઇને સુકાની સાથે લીલું પણ બળે તેમ તમામ શેર તૂટયાં હતાં. એક શેર વધ્યો હતો, જેની સામે ૨૦ શેર તૂટ્યાં હતા. ૭૦ ટકા શેરમાં ૧૦થી ૨૦ ટકા અને ૬૦૦ કંપનીના શેરમાં પાંચથી ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
કે.આર.ચોકસી સિકયોરિટીના દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, નાના રોકાણકારો અત્યારે સમજી વિચારીને બજારમાં જાણીતી કંપનીમાં જ પૈસા લગાવે. કોઇ શેરમાં ગમે ત્યારે કોઇ મોટી વધઘટ જોવા મળે કે કંઇ સમાચાર આવે તો તુરંત જ બ્રોકરની સલાહ લઇને નિર્ણય લે.
21 November 2010
મકાનના ભાવ ઘટશે ખરાં ?
ફ્લેટ મકાન ખરીદવું છે? થોડો સમય રાહ જુવો...
ફ્લેટ ખરીદવાનો વિચાર કરનાર અત્યારે આવુજ વિચારતો હશે કે મારે એક ફ્લેટ ખરીદવો છે પણ ભાવ સાંભળીને નામ લેવા જેવું નથી। REAL ESTATE માર્કેટમાં એટલી બધી તેજી આવી ગઈ છે કે નાના માણસ માટે મકાન ખરીદવું અઘરું થઇ ગયું છે. દિવાળીમાં કદાચ બધાના ઘરે જતાં આવી વાતો પણ સાંભળવા મળી હશે. છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ ડબલ થઇ ગયા છે, આમાં મકાન ખરીદવું કેવી રીતે ?
મકાન ખરીદનારા માટે એક સારા સમાચાર એ છે કે આગામી ૬ મહિનામાં મકાનના ભાવ ઘટે તેવી શક્યતા છે. બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાવ ૨૦ % પણ ઘટી શકે છે અને ૨૫ ટકા પણ ઘટી શકે છે. આ વાત સાચી છે મિત્રો આગામી ૬ મહિનામાં મકાનના ભાવમાં જરૂર ૧૫થી ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. હવે આ ઘટાડો ક્યારે કેટલો આવશે તે બિલ્ડરો ઉપર વધારે આધાર રાખે છે.
મકાનના ભાવ શા માટે ઘટી શકે?
મકાનના ભાવ ઘટાડવાનો ગુજરાત સહીત દેશભરના બિલ્ડરો ઈચ્છતા નથી અને ઈચ્છે પણ શા માટે, પરંતુ મિત્રો આગામી દિવસોમાં બિલ્ડરોએ ભાવ ઘટાડવા પડશે। REAL ESTATE માર્કેટમાં એટલી તેજી આવી ગઈ છે કે ભાવ જરૂર ઘટશે. REAL ESTATE માર્કેટનો ઘટાડો આખા વિશ્વમાં શરૂ થયો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશમાં ફરી આ સેક્ટરમાં મંદી શરૂ થઇ છે. અમેરિકામાં અત્યારે ૫૦ ટકા નીચા ભાવથી મકાન વેચવાની પણ ઓફર ચાલી રહી છે. યુરોપના અનેક દેશમાં મંદી ચાલે છે। વિશ્વમાં REAL ESTATE માર્કેટમાં મંદીથી અનેક લોકો બેકાર બન્યા છે. તાજેતરમાં એટલે કે હજુ અઠવાડિયા પહેલાજ ચીને પણ REAL ESTATE માર્કેટની તેજીને ખાળવા અનેક પગલા લીધા છે. વિદેશની કોઈ કંપની ત્યાં એકથી વધારે મકાન કે PROPERTY પણ ખરીદી શકશે નહી. આ વાત થાય વિદેશની, હવે ભારતમાં પણ તાજેતરમાં RESERVE BANK OF INDIA એ લોન પર કડક નિયમો લાદ્યા છે. હવે થી મકાનની કુલ કીંમતના ૮૦ ટકાથી વધારે લોન પણ નહિ મળે. વ્યાજદરમાં વધારો થઇ રહ્યો છે એ વધારામાં.
ગુજરાત સહીત દેશમાં ઠગલાબંધ મકાનો બની રહ્યા છે
ગુજરાત સહીત દેશભરમાં ઠગલાબંધ મકાનો બની રહ્યાં છે। એકલા અમદાવાદમાં જ આગામી ૫ વર્ષમાં ૧ લાખથી પણ વધારે મકાનો બની રહ્યા છે. આટલા બધા મકાનો બને છે છતાં ભાવ ઘટતાં નથી. અમદાવાદ જેવા મોટા શહેરમાં માત્ર ૬ જ મોટા બિલ્ડરો આગામી દશ વર્ષમાં એક લાખ મકાનો બનાવી રહ્યાં છે. જેને સરકારે ટાઉનશીપ એવું નામ આપ્યું છે. ટાઉનશીપ ને તમે આખે આખું ગામ ઉભું થશે એવું પણ કહી શકો છો. આ ગામ આધુનિક હશે. આવું જ ગુજરાતના અન્ય શહેરમાં થઇ રહ્યું છે જેવું ગામ એ મુજબ મકાનો બની રહ્યાં છે. આટલા બધા મકાનો બની રહ્યાં છે સામે ભાવ ઊંચા હોવાથી ખરીદનાર વર્ગ ભાવ ઘટવાની રાહ જોવે છે. આ ભાવ ઘટશે એટલે ખરીદનાર વર્ગ વધારે આવશે.
ટાઉનશીપ વિશે થોડું વધારે જાણો....
અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩ ટાઉનશીપ લોન્ચ થઇ ચુકી છે. દરકે ટાઉનશીપમાં આશરે ૧૫-૧૫ હજાર મકાનો બની રહ્યા છે. વાત ભાવની કરીએ તો એક પણ ટાઉનશીપમાં ૨૫ લાખથી નીચેના મકાન-ફ્લેટ નથી. પજેસન ૨-૩ વર્ષ પછી મળશે. ભાવ તમને મોંઘા ના લગતા હોઈ અને પજેસન માટે રાહ જોવાની તૈયારી હોઈ તો જરૂર ઘર ખરીદી શકાય.
નરેન્દ્ર મોદી તમે આ કરી શકો છો.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વિદેશમાં ગુજરાતનું નામ ગુંજતું કરી દીધું છે. ઉદ્યોગપતિઓં રોકાણ કરવા માટે આવે એ માટે લીલી જાજમ પાથરી દીધી છે, પણ થોડું મધ્યમવર્ગના લોકો માટે પણ વિચારવું જોઈએ. મકાનના ભાવ વધી રહ્યા છે ત્યારે આ ટાઉનશીપમાં કે કોઈ અન્ય જગ્યાએ મધ્યમવર્ગના લોકોને સસ્તું ઘર મળે તેવું કઈ કરવાની જરૂર છે. ગુજરાત સરકાર આ તરફ વિચારે તો REAL ESTATE MARKETની ખોટી તેજીનો થોડો અંત આવી શકે છે.
અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં ફ્લેટના શું ભાવ ચાલે છે એ જાણવા થોડી રાહ જુવો. અહીંજ વાંચવા મળશે....
મકાન ખરીદનારા માટે એક સારા સમાચાર એ છે કે આગામી ૬ મહિનામાં મકાનના ભાવ ઘટે તેવી શક્યતા છે. બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાવ ૨૦ % પણ ઘટી શકે છે અને ૨૫ ટકા પણ ઘટી શકે છે. આ વાત સાચી છે મિત્રો આગામી ૬ મહિનામાં મકાનના ભાવમાં જરૂર ૧૫થી ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. હવે આ ઘટાડો ક્યારે કેટલો આવશે તે બિલ્ડરો ઉપર વધારે આધાર રાખે છે.
મકાનના ભાવ શા માટે ઘટી શકે?
મકાનના ભાવ ઘટાડવાનો ગુજરાત સહીત દેશભરના બિલ્ડરો ઈચ્છતા નથી અને ઈચ્છે પણ શા માટે, પરંતુ મિત્રો આગામી દિવસોમાં બિલ્ડરોએ ભાવ ઘટાડવા પડશે। REAL ESTATE માર્કેટમાં એટલી તેજી આવી ગઈ છે કે ભાવ જરૂર ઘટશે. REAL ESTATE માર્કેટનો ઘટાડો આખા વિશ્વમાં શરૂ થયો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશમાં ફરી આ સેક્ટરમાં મંદી શરૂ થઇ છે. અમેરિકામાં અત્યારે ૫૦ ટકા નીચા ભાવથી મકાન વેચવાની પણ ઓફર ચાલી રહી છે. યુરોપના અનેક દેશમાં મંદી ચાલે છે। વિશ્વમાં REAL ESTATE માર્કેટમાં મંદીથી અનેક લોકો બેકાર બન્યા છે. તાજેતરમાં એટલે કે હજુ અઠવાડિયા પહેલાજ ચીને પણ REAL ESTATE માર્કેટની તેજીને ખાળવા અનેક પગલા લીધા છે. વિદેશની કોઈ કંપની ત્યાં એકથી વધારે મકાન કે PROPERTY પણ ખરીદી શકશે નહી. આ વાત થાય વિદેશની, હવે ભારતમાં પણ તાજેતરમાં RESERVE BANK OF INDIA એ લોન પર કડક નિયમો લાદ્યા છે. હવે થી મકાનની કુલ કીંમતના ૮૦ ટકાથી વધારે લોન પણ નહિ મળે. વ્યાજદરમાં વધારો થઇ રહ્યો છે એ વધારામાં.
ગુજરાત સહીત દેશમાં ઠગલાબંધ મકાનો બની રહ્યા છે
ગુજરાત સહીત દેશભરમાં ઠગલાબંધ મકાનો બની રહ્યાં છે। એકલા અમદાવાદમાં જ આગામી ૫ વર્ષમાં ૧ લાખથી પણ વધારે મકાનો બની રહ્યા છે. આટલા બધા મકાનો બને છે છતાં ભાવ ઘટતાં નથી. અમદાવાદ જેવા મોટા શહેરમાં માત્ર ૬ જ મોટા બિલ્ડરો આગામી દશ વર્ષમાં એક લાખ મકાનો બનાવી રહ્યાં છે. જેને સરકારે ટાઉનશીપ એવું નામ આપ્યું છે. ટાઉનશીપ ને તમે આખે આખું ગામ ઉભું થશે એવું પણ કહી શકો છો. આ ગામ આધુનિક હશે. આવું જ ગુજરાતના અન્ય શહેરમાં થઇ રહ્યું છે જેવું ગામ એ મુજબ મકાનો બની રહ્યાં છે. આટલા બધા મકાનો બની રહ્યાં છે સામે ભાવ ઊંચા હોવાથી ખરીદનાર વર્ગ ભાવ ઘટવાની રાહ જોવે છે. આ ભાવ ઘટશે એટલે ખરીદનાર વર્ગ વધારે આવશે.
ટાઉનશીપ વિશે થોડું વધારે જાણો....
અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩ ટાઉનશીપ લોન્ચ થઇ ચુકી છે. દરકે ટાઉનશીપમાં આશરે ૧૫-૧૫ હજાર મકાનો બની રહ્યા છે. વાત ભાવની કરીએ તો એક પણ ટાઉનશીપમાં ૨૫ લાખથી નીચેના મકાન-ફ્લેટ નથી. પજેસન ૨-૩ વર્ષ પછી મળશે. ભાવ તમને મોંઘા ના લગતા હોઈ અને પજેસન માટે રાહ જોવાની તૈયારી હોઈ તો જરૂર ઘર ખરીદી શકાય.
નરેન્દ્ર મોદી તમે આ કરી શકો છો.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વિદેશમાં ગુજરાતનું નામ ગુંજતું કરી દીધું છે. ઉદ્યોગપતિઓં રોકાણ કરવા માટે આવે એ માટે લીલી જાજમ પાથરી દીધી છે, પણ થોડું મધ્યમવર્ગના લોકો માટે પણ વિચારવું જોઈએ. મકાનના ભાવ વધી રહ્યા છે ત્યારે આ ટાઉનશીપમાં કે કોઈ અન્ય જગ્યાએ મધ્યમવર્ગના લોકોને સસ્તું ઘર મળે તેવું કઈ કરવાની જરૂર છે. ગુજરાત સરકાર આ તરફ વિચારે તો REAL ESTATE MARKETની ખોટી તેજીનો થોડો અંત આવી શકે છે.
અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં ફ્લેટના શું ભાવ ચાલે છે એ જાણવા થોડી રાહ જુવો. અહીંજ વાંચવા મળશે....
Subscribe to:
Posts (Atom)
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...
-
પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL Ahmedabad:01/01/2010: જીવનમાં પૈસા અને પ્રેમ છે તો બધુ જ સારૂ છે। જિંદગી જીવવા માટે આ બંનેની જરૂર છે. એક...
-
-ચેન્નઈની એક કંપનીએ બનાવેલા ડ્રોનનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેનું બીડું ઝડપતી સુરતની હાઈ-ટેક મીકેનાઈઝેશન કંપની -ભારતમાં સૌપ્રથમવા...