દેશમાંથી સાત
માસમાં ગવારગમની ૩૮ ટકા અને સિંગદાણાની ૩૩ ટકા નિકાસ વધી
દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ સાત મહિનામાં ગવારગમ અને સિંગદાણાની નિકાસમાં
મોટો વધારો જોવા મળ્યો છે. અપેડા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે
ગવારગમની નિકાસ ૩૮ ટકા અને એચપીએસ સિંગદાણાની નિકાસમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો
છે.
દેશમાંથી એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન ગવારગમની કુલ ૪.૬૧
લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૩.૩૩ લાખ ટનની
નિકાસ થઈ હતી. નવેમ્બર મહિનામાં નિકાસનાં આંકડાઓ હજુ આવ્યાં નથી, પરંતુ સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછી નિકાસથાય તેવો અંદાજ છે. ગત વર્ષે
નવેમ્બરમાં ૭૦ હજાર ટન ગવારગમની નિકાસ થઈ હતી.
એપ્રિલથી
ઓક્ટોબર મહિના દરમિયાન એચપીએસ સિંગદાણાની નિકાસ કુલ ૨.૮૧ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૨.૧૧ લાખ ટનની થઈ હતી. આમ
તેમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. સિંગદાણાની નિકાસ નવેમ્બર અને ડિસેમ્બર
મહિનામાં પણ ગત વર્ષની તુલનાએ વધે તેવી શક્યતા છે.
No comments:
Post a Comment