દેશમાં ઘઉંની
અછતથી લાલચોળ તેજી
-મિલબર ઘઉંમાં ક્વિન્ટલે રૃા.૧૦૦થી વધુનો
સુધારો,નવી સિઝન લેઈટ થવાને કારણે પાલાખાધ સર્જાતા
વધુ તેજી થશે
દેશમાં ગત વર્ષે ઘઉંનું રેકર્ડબ્રેક વાવેતર થતા ચાલુ વર્ષે
ઘઉંની મોટી અછત ઊભી થઈ છે. ઘઉંની અછતને પગલે છેલ્લા દશેક દિવસમાં જ ઘઉંનાં ભાવમાં
ક્વિન્ટલે રૃા.૧૦૦થી વધુનો સુધારો જોવા મળ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘઉંની અત્યારે અછત ઊભી થઈ છે
અને ફ્લોર મિલોને માલ મળવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ સરકારી ગોડાઉનમાં પહેલી
ડિસેમ્બરે કુલ ૨૭૫ લાખ ટનનો સ્ટોક પડ્યો છે, જે પહેલી જાન્યુઆરી પ્રમાણે બફર સ્ટોકનાં નિયમ મુજબ ૮૨ લાખ ટનનો જ હોવો
જોઈએ. આમ નિયમ કરતાં ત્રણ ગણો વધારે સ્ટોક છે.
ગુજરાત રોલર ફ્લોર મિલ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ
શરાફે કહ્યું કે મિલોને અત્યારે માલ મળવો મુશ્કેલ બની ગયો છે. ઊંચા ભાવ આપવાથી પણ
બધી મિલોને માલ મળતો નથી. પરિણામે ૭૦થી ૮૦ ટકા મિલો બંધ પડી છે. દેશમાં અત્યારે
ઘઉંમાં છત્તે પાણીએ દુષ્કાળ છે, સરકાર
પાસે પુષ્કળ સ્ટોક પડ્યો છે, પરંતુ ખુલ્લા બજારમાં માલ મળતો નથી. સરકારને નીચા ભાવથી ઘઉંનું વેચાણ
કરવું નથી, પરિણામે બજારમાં અછતની સાથે તેજી થઈ ગઈ છે.
રાજકોટનાં એક નિકાસકાર કમ ટ્રેડરે કહ્યું કે ઘઉંમાં માલ
મળતો નથી. મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓ પાસે પડેલો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે.
રશિયાએ નિયંત્રણો મૂક્યા બાદ ભારતીય ઘઉંની માંગ વધી છે અને નિકાસમાં ૨૮૫ ડોલર
પહોંચનાં ભાવ બોલાય છે, જે છેલ્લા ૧૦ દિવસમાં ૧૫ ડોલર વધી ગયાં છે.
નવો પાક ઓછામાં ઓછા એક મહિનો લેઈટ છે. દેશમાં ભલે વાવેતર ઓછું ઘટ્યું હોય, પરંતુ ગુજરાતમાં ૪૦ ટકા અને સૌરાષ્ટ્રમાં ૭૦ ટકા પાક ઓછો દેખાય છે.
પરિણામે ભાવ હજુ પણ ઊંચકાશે.
હિંમતનગરનાં અગ્રણી ટ્રેડર ઝાકીરભાઈ પહાડાવાલાએ જણાવ્યું કે
ગુજરાતની જેમ એમ.પી.માં પણ વાવેતર ઓછું છે. ઓલ ઈન્ડિયા ૩૦ ટકા ઉત્પાદન ઘટે તેવું
લાગી રહ્યું છે. નવા ઘઉંને હજુ ત્રણ મહિનાની વાર છે. ૨૦ માર્ચ પહેલા મને નવા ઘઉંની
આવક લાગતી નથી. પરિણામે બજારમાં પાલાખાધ સર્જાય છે. ઘઉંનાં ભાવ ચાલુ વર્ષે ૨૦
કિલોનાં વધીને રૃા.૫૦૦ની સપાટીએ પહોંચે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.
(Date 29 Dec.2014)
No comments:
Post a Comment