23 June 2020

નવી ખરીફ સિઝન માટે જાણો કઈ કોમોડિટીમાં ટેકાનાં ભાવ કેટલા વધ્યાં?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકારે આગામી ખરીફ સિઝન વર્ષ ૨૦૨૦-૨૧ માટે ટેકાનાં ભાવ-મિનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP)ની જાહેરાત ગત બીજી જૂનનાં રોજ કરી દીધી છે. ખેડૂતો વાવેતર કરવાની શરૂઆત કરે એ પહેલા જ ટેકાનાં ભાવ જાહેર થાય તો ખેડૂતો વાવેતરનો નિર્ણય લઈ શકે એ હેતુંથી સરકાર ખરીફ પાકો માટે ટેકાનાં ભાવની જાહેરાત  વહેલી કરે છે. આ ખરીફ ટેકાનાં ભાવ નવી સિઝન એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં નવો માલ આવે તેને લાગુ પડે છે.
તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણીયા
કેન્દ્ર સરકારે મોટા ભાગની કોમોડિટીનાં ટેકાનાં ભાવમાં ગત વર્ષની તુલનાએ ૩થી ૮ ટકાનો જ વધારો કર્યોછે, એક માત્ર અળશીનાં ભાવમાં ૧૩ ટકાનો વધારો કર્યો છે. ભારતમાં કૃષિ કમિશન- એગ્રીકલ્ચરલ કમીશન ફોર પ્રાઈઝ એન્ડ કોસ્ટ દ્વારા દર વર્ષે દરેક જણસનાં ટેકાનાં ભાવ વધારાની દરખાસ્ત સરકારને કરવામાં આવે છે અને તેના ઉપર કેન્દ્રીય આર્થિક બાબતેની કેબિનેટ કમિટી વિચારણાં કરીને આખરી નિર્ણય લે છે. સામાન્ય રીતે ભાજપની સરકાર બીજી વાર કેન્દ્રમાં આવી ત્યારથી તેણે જે-તે કોમોડિટીનાં ઉત્પાદન ખર્ચ સામે ઓછામાં ઓછા ૫૦ ટકા વળતર મળે એ રીતે ટેકાનાં ભાવ જાહેર કરવાની જાહેરાત કરી હતી અને આ ઉત્પાદન ખર્ચ કૃષિ કમિશન જે નક્કી કરે તેનાં આધારે જ ટેકાનાં ભાવ નક્કી થાય છે.
હવે વાત કરી કે આગામી ખરીફ સિઝનમાં સરકારે ટેકાનાં ભાવમાં કેટલો વધારો કર્યો? તો કેન્દ્ર સરકારે કપાસ અને કઠોળ સિવાયની તમામ કોમોડિટીનાં ટેકાનાં ભાવમાં ગત વર્ષની તુલનાએ ઓછો વધારો કર્યો છે. ખેડૂતોને એવી આશા હતી કે સરકાર દ્વારા કોરોનાં વાયરસની સ્થિતિને કારણે ટેકાનાં ભાવમાં મોટો વધારો કરશે, પંરતુ સરકારે આવું કર્યું નથી. બીજી તરફ એરંડા કે ગવાર જેવી કોમોડિટીનાં પણ સરકાર આ વર્ષે ટેકાનાં ભાવ જાહેર કરે તેવી ચર્ચાઓ ચાલી હતી, પરંતુ તેનાં ઉપર પણ હવે પૂર્ણ વિરામ મુકાય ગયું છે. ઉત્તર ગુજરાતનાં અનેક ધારાસભ્યોએ સરકારને એરંડાનાં ટેકાનાં ભાવ જાહેર કરવા પત્ર લખ્યો હતો, પરંતુ એ પત્ર સરકારે ડસ્ટબીનમાં જ ફેંક્યો હોય તેવુ ટેકાનાં ભાવની જાહેરાત પરથી પ્રતિત થાય છે.
કેન્દ્ર સરકારે કઈ કોમોડિટીમાં કેટલો વધારો કર્યો અને નવા ભાવ શું થશે તેની માહિતી નીચેનાં કોષ્ટકમાં આપી છે, જેમાં પ્રતિ મણ એટલે કે ૨૦ કિલોમાં પણ ભાવ છે અને નીચે બીજા નંબરનાં કોષ્ટકમાં પ્રતિ ક્વિન્ટલનાં ભાવ પણ છે.
( ટેકાનાં ભાવ આ વર્ષે ૨ જૂન,૨૦૨૦નાં રોજ જાહેર થયા હતા.)


No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...