27 December 2014

Government hikes 5% import duty on crude, refined edible oil

ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો
-ક્રૂડખાદ્યતેલની ડ્યૂટી વધીને ૭.૫ ટકા અને રિફાઈન્ડની ૧૫ ટકા થઈ- સરકારને રૃા.૫૦૦૦ કરોડથી વધુની આવક થશે
આખરે કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. દેશનાં તેલીબિયાં ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી વધારવાની માંગ હતી, જે આંશિક સંતોષાય છે. કેન્દ્રીય કસ્ટમ વિભાગે ક્રૂડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૨.૫ ટકાથી વધારીને ૭.૫ ટકા અને રિફાઈન્ડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. આમ તમામ પ્રકારનાં ખાદ્યતેલની ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જોકે વર્તમાન ડ્યૂટી વધારાથી હજુ પણ દેશનો ખાદ્યતેલ ઉદ્યોગ નારાજ હોવાની લાગણી ઊભી થઈ છે.
દેશમાં ખાદ્યતેલની ઓક્ટોબરમાં પૂરી થયેલી સિઝનમાં રેકર્ડબ્રેક ૧૧૬ લાખ ટનની ખાદ્યતેલની આયાત થઈ હતી, જે અગાઉનાં વર્ષે ૧૦૪ લાખ ટનની થઈ હતી. વળી છેલ્લા પાંચ મહિનામાં દેશમાં ૫૫થી ૫૭ લાખ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી, જેને કારણે તેલીબિયાં લોબી દ્વારા અનેક વાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દેશમાં વાર્ષિક રૃા.૬૦,૦૦૦ કરોડની ખાદ્યતેલની આયાત થાય છે, જે મુજબ રૃા.૫૦૦૦ કરોડની આવક સરકારને થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ સરકારનાં નિર્ણયથી નારાજ છે. તેમનાં મતે ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્યતેલ વચ્ચે ઓછામાં ઓછો ૧૫ ટકાનો ડ્યૂટી ફરક હોય તો જ દેશની રિફાઈનરીઓ ચાલુ રહી શકે છે, પરંતુ વર્તમાન પગલાથી દેશમાં ચાલુ વર્ષે ખાદ્યતેલની આયાત વધવાની પૂરે પૂરી સંભાવનાં છે. દેશની રિફાઈનરીઓ અત્યારે તેની ક્ષમતા કરતાં ૩૦થી ૩૫ ટકા જ કેપિસીટમાં ચાલુ છે.
સરકારનાં નિર્ણયને પગલે આજે તમામ ખાદ્યતેલનાં ભાવમાં ૧૦ કિલોએ રૃા.૫થી રૃ.૧૨નો વધારો જોવા મળ્યો હતો. પામતેલનાં ભાવ સરેરાશ ૧૦ કિલોએ રૃા.૧૦ વધ્યાં હતાં.

ખાદ્યતેલમાં ડ્યૂટી પાંચ ટકાનો વધારો છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ નારાજ
ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ડ્યૂટી ફરક માત્ર ૭.૫ ટકા જ હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો ખાદ્યતેલ-રિફાઈનરી ઉદ્યોગ નારાજ છે. આ ક્ષેત્રનાં જાણકારોનું કહેવું છેકે ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ૭.૫ ટકાનો જ ડ્યૂટી ફરક હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે.
ઉદ્યોગજગતને કોઈ જ રાહત થવાની નથી ઃ ડો.બી.વી.મહેતા
સોલવન્ટ એક્સટેકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)નાં એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાંચ ટકા ડ્યૂટી વધારાથી ઉદ્યોગજગતને કોઈ રાહત થવાની નથી. અમારી સરકાર પાસે બે એન્ગલથી માંગ હતી કે એક તો ડ્યૂટી વધારો તમે ખેડૂતોનાં હીતમાં કરો અને બીજું કે રિફાઈનરી ઉદ્યોગને રાહત મળે. આ બેમાંથી ડ્યૂટી વધતા ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગને કોઈ ફાયદો નહી થાય. ક્રૂડ અને રિફાઈન્ડ ડ્યૂટી વચ્ચેનો ફરક ૧૫ ટકા રહે તેવી અમારી માંગ હતી અને અમે ક્રૂડ તેલ ઉપર ૧૦ ટકા અને રિફાઈન્ડ ઉપર ૨૫ ટકા ડ્યૂટી લાદવાની માંગ કરી હતી. સરકારે બંને ઉપર પાંચ ટકા વધારી છે, પરંતુ ડ્યૂટી ફરક ૭.૫ ટકા જ રહ્યો છે. પરિણામે મલેશિયા અને ઈન્ડોનેશિયા ફેબ્રુઆરીમાં જ્યારે ક્રૂડપામતેલ ઉપર નિકાસ ડ્યૂટી લાગુ પાડશે ત્યારે અહીં ૭.૫ ટકાનાં ફરકને લીધે ડ્યૂટી વધારાની અસર નીલ થઈ જશે. પાંચ ટકા ડ્યૂટી વધવા છત્તા ચાલુ વર્ષે આયાત વધીને ૧૨૫ લાખ ટને પહોંચે તેવી પૂરી સંભાવનાં છે.
અમે સરકારનાં નિર્ણય અંગે ફેર રજૂઆત કરીશું અને અમારી એ પણ માંગ છેકે ડ્યૂટી વધારાથી સરકારને કુલ રૃા.૫૦૦૦ કરોડની આવક થશે, જે નાણા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે અને લઘુત્તમ ટેકાનાં ભાવથી ખરીદી કરવાની  સિસ્ટમમાં ઉપયોગ થાય. ગત વર્ષે નાફેડ પાશે પૂરતું ફંડ ન હોવાથી ગુજરાત સહિતનાં દેશનાં મગફળીનાં ખેડૂતોને નુકસાન થયું હતું. જેવું ભવિષ્યમાં ન થાય તે જરૃરી છે.
મલેશિયા-ઈન્ડો. પામતેલનાં ભાવ ઘટાડશે ઃ વીજય ડાટા
સીનાં પૂર્વ પ્રમુખ વીજય ડાટાએ જણાવ્યું હતુંકે ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગકારોને નહીં. મેલશિયા અને ઈન્ડોનેશિયા પામતેલનાં ભાવ ઘટાડે તેવી ધારણાં છે. સરકારે ક્રૂડતેલની ૨૫ ટકા અને રિફાઈન્ડની ૩૭.૫ ટકા ડ્યૂટી વધારવી જોઈએ.
સરકારનો નિર્ણય અધકચરો છે ઃ સમીરભાઈ શાહ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિયેશન(સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે વધારો જરૃરી હતી, પરંતુ સરકારે ઓછો વધારો ક્યો છે. સરકારનો નિર્ણય અધકચરો હોય તેવું લાગે છે. સરકારે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ કે જેથી સ્થાનિક તેલનોવપરાશ વધે અને એ વધશે તો ખેડૂતોને ભાવ મળશે અને દેશમાં ઉત્પાદનમાં પણ વધારો થશે. એક તબક્કે સોયા ઉપર ૪૫ ટકા અને પામતેલ ઉપર ૮૫ ટકા ઉપરની ડ્યૂટી હતી, એની સરખામણીમાં હાલ ડ્યૂટી ઘણી ઓછી છે એટલે આયાત તો વધવાની જ છે. વળી આ વર્ષે પાક પણ ઓછો છે.
ડ્યૂટીમાં ૧૦ ટકાનો વધારો થવાની જરૃર હતીઃ બાબુલાલ ડાટા
રાજસ્થાન સ્થિત મસ્ટર્ડ ઓઈલ પ્રોડ્યુસર એસો.(મોપા)નાં પ્રમુખ બાબુલાલ ડાટાએ જણાવ્યું હતું કે ડ્યૂટી વધારાની જરૃર હતી, પરંતુ ઓછો વધારો થયો છે. ૧૦ ટકા ડ્યૂટી વધે તે જરૃરી છે. હાલમાં પણ  સ્થાનિક કરતા વિદેશી તેલ સસ્તા હોવાથી આયાત વધે તેવીપૂરી શક્યતા છે.
ડ્યૂટી ૧૫ ટકાને બદલે પાંચ ટકા જ વધી ઃ અનિલ છત્તર
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગ કંપનીનાં અનિલ છત્તરે જણાવ્યું હતું ડ્યૂટી ૧૫ ટકા વધવાની ધારણાં હતી,પરંતુ પાંચ ટકા જ વધી છે. ઉદ્યોગજગતને થોડી રાહત થશે. અમુક તેલોની આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો થાય તેવી ધારણાં છે.



25 December 2014

Mustardsedd price touch two year high

રાયડામાં ઊભા પાકને નુકસાનીની સંભાવનાએ વાયદો બે વર્ષની ટોચે

રાયડા બજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. રાયડા જાન્યુઆરી વાયદામાં આજે ઈન્ટ્રા ડે રૃા.૪૩૧૫ની ઊંચી સપાટી જોવા મળી હતી જે છેલ્લા બે વર્ષનાં સૌથી ઊંચા ભાવ છે. વાયદામાં  છેલ્લા ૧૦ દિવસમાં રૃા.૩૦૦નો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ભાવ ૧૨ ટકા અને બે મહિનામાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. એક મહિનાં પહેલા રાયડા વાયદો ૨૮મી નવેમ્બરે રૃા.૩૮૬૧ની સપાટી પર હતો.
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગનાં અનિલ છત્તરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ રાયડા અને રાયડાતેલમાં તેજીનો દોર ચાલુ રહે તેવી પૂરી સંભાવનાં છે. નવો પાક લેઈટ થસે અને જૂનો સ્ટોક ઓછો પડ્યો છે, જેને કારણે ભાવ વધી રહ્યાં છે. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં પડેલા બરફ અને હીમપાતને કારણે પાકને નુકસાની થવાની પણ સંભાવનાં દેખાય રહી છે. જેને કારણે ચાલુવર્ષે ઉત્પાદન ૧૫થી ૨૦ ટકા ઘટે તેવી ધારણાં છે.

રાયડા વાયદા વિશે બ્રોકરેજ હાઉસનાં એનાલિસ્ટોનું માનવું છેકે આગામી દિવસોમાં ભાવ વધીને રૃા.૪૪૦૦ની સપાટી પાર કરી  શકે છે. પાકને જો વધુ નુકસાન થશે તો વાયદો રૃા.૪૫૦૦ની ઉપર પણ પહોંચે તેવી સંભાવનાં છે.

Palmoil price may rise to 19% in next 3 month

પામતેલ વાયદામાં ત્રણ મહિનામાં ૧૯ ટકાનો ઉછાળો આવશે ઃ એનાલિસ્ટો

-એમસીએક્સ પામતેલ વાયદામાં પણ ભાવ વધીને રૃા.૪૬૦-૪૮૦ થવાની આગાહી


પામતેલ વાયદામાં છેલ્લા થોડા દિવસથી તેજી જોવા મળી રહી છે. વિશ્વનાં ટેકનિકલ એનાલિસ્ટોનું માનવું છેકે મલેશિયન પામતેલ વાયદામાં વર્તમાન ચાલ જોતા આગામી ત્રણ મહિનામાં ભાવ ૧૯ ટકા વધે તેવી ટેકનિકલ ચાલ બતાવે છે.
ટેકનિકલ એનાલિસ્ટોનું કહેવું છેકે મલેશિયન પામતેલ વાયદો આગામી ત્રણ મહિનામાં વધીને ૨૬૪૯ રિગિંટની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ માટે મહત્તવનું રેઝિસ્ટન્સ લેવલ ૨૩૩૮ રિગિંટની સપાટી છે. બેન્ચમાર્ક માર્ચ વાયદો આજે ૧૦ રિગિંટ વધીને ૨૨૧૯ રિગિંટની સપાટી પર બંધ રહ્યો હતો.
ફિબોનેક્કી રિટ્રેચમેન્ટ પધ્ધતિ પ્રમાણે મલેશિયન પામતેલ વાયદામાં ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮નાં રોજ ૧૩૩૧ રિગિંટની સપાટીથી ભાવ વધીને ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૧નાં રોજ ૩૯૬૭ની હાઈ જોવા મળી હતી. જે ૬૧.૮ ટકાનો ઉછાળો બતાવે છે. આ રેન્જમાં ૫૦ ટકાનાં લેવલે ૨૬૪૯ રિગિંટની સપાટી થાય છે જે લેવલ આગામી ત્રણ મહિનામાં જોવા મળી શકે છે. મલેશિયન વાયદો બીજી સપ્ટેમ્બરનાં રોજ ૧૯૧૪ રિગિંટની સપાટીથી એકધારો સુધરી રહ્યો છે. બીજી એક ચાલ એવી પણ છે કે ૩૯૬૭થી તેજી-મંદીનાં પાંચ વેવ પ્રમાણે પણ વાયદો વધીને ફરી ૨૬૪૯ રિગિંટ સુધી પહોંચી શકે છે. તેજીની સાઈકલનો સમય અને ભાવ જોતા પણ ૨૩૩૮ રિગિંટની સપાટી જોવા મળી શકે છે.
બીજી તરફ સ્થાનિક વાયદામાં પણ તેજીની સંભાવનાં ટેકનિકલ એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે. કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેેશ ભાટીયાનું કહેવુું છેકે ડોજી પેટર્ન પ્રમાણે જાન્યુઆરી ક્રૂડપામતેલ વાયદો વધીને રૃા.૪૪૨ અને ત્યાર બાદ રૃા.૪૬૨ સુધી જઈ  શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫ ધ્યાનમાં રાખવો. જાન્યુઆરી વાયદો આજે રૃા.૪૩૫ પર બંધ રહ્યો હતો.
કેડિયા કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છે કે ક્રૂડપામતેલ વાયદો વધીને રૃા.૪૬૦ની સપાટી પર પહોંચશે. આ લેવલ વટાવશે તો ભાવ વધીને રૃા.૪૮૦ સુધી પણ જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫નો ધ્યાનમાં રાખવો.

Jeera Price Rise Rs.2500 in one Month

જીરૂમાં તેજી, મહિનામાં રૂા.૨૫૦૦નો ઉછાળો

-ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતરમાં કાપને પગલે તેજીનો માહોલ
-ઉત્પાદન ઘટવાની ધારણાએ વાયદો મહિનામાં ૨૦ ટકા ઊંચકાયો

જીરૃમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીરૃનાં વાવેતરમાં ઘટાડો થયો હોવાથી જીરૃનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ક્વિન્ટલે રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. જાણકારોનું કહેવું  છેકે વાવેતર તો ઘટ્યું છે, પરંતુ નિકાસ પણ વધી રહી હોવાથી ભાવ હજુ પણ ઊંચકાશે.
જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની તેજીની સર્કિટ લાગતા ભાવ રૃા.૫૫૫ વધીને રૃા.૧૪૫૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ૨૫મી નવેમ્બરનાં રોજ રૃા.૧૨૧૦૦ હતાં. આમ એક મહિનામાં ૨૦ ટકા અથવા તો રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી વાયદો આજે વધીને રૃા.૧૫૦૦૦ની ઉપર પહોંચી ગયો હતો.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૨૨મી ડિસેમ્બર સુધીમાં જીરૃનું વાવેતર ૪૩ ટકા ઘટીને ૨.૫૦ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૪.૪૦ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવેતર ૫૦ ટકા કપાયુ છે. કચ્છમાં ગત વર્ષે ૩૧૯૦૦ હેકટર સામે ચાલુ વર્ષે માત્ર ૪૭૦૦ હેકટકરમાં વાવેતર થયું છે. ગુજરાત સરકારનાં અંદાજો પ્રમાણે રાજ્યમાં ગત વર્ષે ૪.૫૫ લાખ હેકટરમાં વાવેતર અને ૩.૪૬ લાખ ટન ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે.
રાજસ્થાનમાં પણ સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર  સુધીમાં ૩.૩૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે.બે વર્ષ અગાઉ ૪.૯૫ લાખ હેકટરમાં થયું હતું.

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે જીરૃ વાયદામાં હજુ પણ તેજી જોવાશે અને જાન્યુ.વાયદો વધીને રૃા.૧૫૫૦૦ સુધી જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો.

24 December 2014

Trader Avoid new Basmati Rice Selling due to low price

જૂના બાસમતી ચોખાનાં જંગી સ્ટોકથી નવા ચોખાનું વેચાણ ટાળતા ટ્રેડરો

-નવા-જૂના ચોખા વચ્ચેનો બદલો રૃા.૪૦નો થતા વેપારીઓને નુકસાની ઃ નવા ચોખામાં પણ બ્રાન્ડ-નોન બ્રાન્ડ વચ્ચે મોટો બદલો

દેશમાં ચાલુ વર્ષે બાસમતી ચોખાનાં ભાવમાં જંગી ઘટાડો થવાને પગલે ટ્રેડરો નવા ચોખાનું વેચાણ ટાળી રહ્યાં છે. ગુજરાત સહિતનાં દેશનાં ટ્રેડરો પાસે જૂના બાસમતી ચોખાનો મોટો સ્ટોક પડ્યો હોવાથી તેમને જંગી નુકસાની સહન કરવી પડી રહી છે.
ઈરાનમાં બાસમતી ચોખાની નિકાસ ઘટી હોવાથી અને દેશમાં પણ મોટો પાક થયો હોવાથી સરેરાશ ગત વર્ષની તુલનાએ નવા ચોખામાં કિલોએ રૃા.૪૦થી ૪૫નો ઘટાડો થયો છે. નવા ચોખાની સિઝન આવી ગઈ હોવા છત્તા હજુ ઘણા સ્ટોર-મોલ કે છૂટક વેપારીઓને ત્યાં નવા ચોખાને બદલે જુના ચોખાનું વધારે વેચાણ થઈ રહ્યું છે. નવા અને જૂના ચોખા વચ્ચે બ્રાન્ડેડ ક્વોલિટીમાં તો રૃા.૫૦થી પણ વધુનો ભાવ બદલો છે.
ડીસાનાં ચોખાનાં ટ્રેડર એવા હિમાંશુભાઈ ભટ્ટે જણાવ્યું કે વેપારીઓ પાસે જૂના ચોખાનો સ્ટોક વધારે છે અને નવા ચોખાનાં ભાવ નીચા છે. વળી ગત વર્ષે મોટી તેજીને કારણે ટ્રેડરોએ ધારણાં કરતા પણ વધારે ખરીદી કરી હતી. પરિણામે હાલ આ સ્થિતિ ઊભી થઈ છે.
તેમણે કહ્યું કે ચાલુ વર્ષે નીચા ભાવને કારણે બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બાસમતી ચોખા વચ્ચેનો બદલો પણ મોટો છે. હરિયાણા બાજુની કેટલીક નોન બ્રાન્ડેડ મિલોનાં સારી ક્વોલિટીનાં આખા ચોખાનાં ભાવ કિલોનાં રૃા.૬૫ ચાલે છે, જેની સામે બ્રાન્ડેડવાળાનાં ભાવ રૃા.૯૦થી ૯૫ ચાલી રહ્યાં છે.

અમદાવાદનાં એક અન્ય ચોખાનાં ટ્રેડરે કહ્યું કે નવા બાસમતી ચોખાની આવકો હજુ પંદર દિવસ પછી વધી શકે છે. પ્રથમ તબક્કામાં ટ્રેડરો જૂના ચોખાનું વેચાણ કરવા માંગે છે. કેટલાક મોલવાળા પણ અત્યારે સ્કીમો કાઢીને જૂનો સ્ટોક ખાલી કરવાનાં મૂડમાં છે. જૂનો સ્ટોક ખાલી થયા બાદ નવા ચોખાનો જથ્થો બજારમાં વધે તેવી ધારણાં છે.

Mentha oil price Down

મેન્થાઓઈલનાં નફારૃપી વેચવાલીથી વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ
વાયદો સપ્તાહમાં ૧૦ ટકા ઊંચકાયા બાદ ફરી ઘટાડો જોવાયો

મેન્થા વાયદામાં નોન સ્ટોપ તેજીને બ્રેક લાગી હતી અને વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી. મેન્થાતેલમાં તાજેતરની તેજી બાદ ભાવ વધતા મથકોએ આવકોમાં વધારો જોવા મળ્યો હતો અને ટેકનિકલી પણ વાયદામાં નફારૃપી વેચવાલી આવતા ભાવ તુટ્યાં હતાં.
એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલે રૃા.૭૪૬ પર બંધ રહ્યાં હતાં, જે આજે રૃા.૩૦ ઘટીને રૃા.૭૧૬ની નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદામાં ચાલુ મહિનાની શરૃઆતમાં રૃા.૭૦૦ની અંદરનાં ભાવ હતાં.
મેન્થાઓઈલ અંગે જાણકારોનું કહેવું છેકે વાયદામાં હજુ પણ ઘટાડો થઈને ભાવ રૃા.૬૯૫ સુધી આવી શકે છે, પરંતુ એ સપાટીથી ફરી સુધારો જોવા મળશે. સિન્થેટીક મેન્થા અને નેચરલ મેન્થાનો ભાવ અત્યારે સરેરાશ એકસરખા જેવો જ હોવાથી નેચરલ મેન્થામાં મોટી તેજી થવી મુશ્કેલ છે, પરંતુ ટેકનિકલી ઉપરમાં રૃા.૭૫૦ની સપાટી વટાવશે તો ભાવ વધીને રૃા.૮૦૦ સુધી આગામી બેથી ત્રણ મહિનામાં પહોંચે તેવી ધારણાં છે.

મેન્થાઓઈલનું ચાલુ વર્ષે ઉત્પાદન ૧૦ ટકા ઘટે તેવી ધારણાં છે. હાલનો ઘટાડો આવકો વધવાને કારણે છે. યુ.પી.માં દૈનિક ૫૦થી ૮૦ ડ્રમની આવક થતી હતી, જે હાલ વધીને ૧૦૦ ડ્રમની ઉપર થઈ રહી છે. જેને કારણે ભાવ ઘટ્યાં છે તેમ ટ્રેડરોનું કહેવું છે.

Natural gas price Crase 25% in last 25 day

નેચરલ ગેસમાં મંદી, ભાવ ઘટીને બે વર્ષનાં તળિયે ઃ ૨૫ દિવસમાં ૨૫ ટકાનો કડાકો

-ક્રૂડતેલની ઊંધી ચાલતી કોમોડિટીમાં વધુ ઘટાડાની સંભાવનાં

અમેરિકામાં ઠંડીની ઋતું હોવા છત્તા ક્રૂડતેલની ચાલથી હંમેશા ઊંધી ચાલતી હોવાની છાપ ધરાવતાં નેચરલ ગેસ વાયદામાં ફરી કડાકો બોલી ગયો છે અને ભાવ બે વર્ષનાં તળિયે પહોંચી ગયાં છે. વૈશ્વિક બજારને પગલે સ્થાનિક બજારમાં પણ છેલ્લા ૨૫ દિવસમાં ૨૫ ટકાનો કડાકો બોલી ગયો છે.
વૈશ્વિક બજારમાં નેચલ ગેસ વાયદામાં સોમવારે ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો અને ભાવ જાન્યુઆરી ૨૦૧૩ બાદની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદો ૩.૧૪ ડોલર પ્રતિ મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટની સપાટી પર પહોંચ્યો હતો.
અમેરિકામાં ચાલુ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું હતું, જેને કારણે ગેસ વાયદામાં વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક ભાવ ઘટતા સ્થાનિક ડિસેમ્બર વાયદો પણ નવેમ્બર અંતમાં રૃા.૨૬૦ની સપાટીએ હતો, જે ઘટીને હાલ રૃા.૧૯૭ની નીચી સપાટીએ પહોંચીને હાલ રૃા.૨૦૦ની આસપાસ સ્થિર થવા મથી રહ્યો છે. આમ તેમાં ચાલુ મહિનામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે.

કાર્વી કોમટ્રેડનાં કોમોડિટી હેડ અરબિન્દો પ્રસાદે જણાવ્યું હતું  કે અમેરિકામાં તપામાન સામાન્ય કરતાં ઊંચું રહેવાને  કારણે ભાવ ઊંચકાયાં હતાં.  રોકાણકારોને સલાહ છેકે ઉછાળે વેચાણ કરવામાં આવે. આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે તેવી ધારણાં છે. ડિસેમ્બર વાયદામાં રૃા.૨૦૫-૨૦૬ ઉપર વેચાણ કરે અને રૃા.૨૦૯નો સ્ટોપલોસ રાખો ભાવ ઘટીને રૃા.૧૯૫ સુધી જઈ શકે છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...