23 December 2014

India's 308 Solvent plant default on Monthly stock data

દેશનાં ૩૦૮ સોલવન્ટ પ્લાન્ટોને ખાદ્ય મંત્રાલયની નોટિશ

-ખાદ્ય મંત્રાલયનાં પરિપત્ર પ્રમાણે સ્ટોકનાં આંકડાઓ આપવામાં મિલો ડિફોલ્ટ
-ગુજરાતની ૨૬ મિલો અને મહારાષ્ટ્રની ૩૪ મિલોએ સ્ટોકનાં આંકડાઓ ન આપ્યાં

કેન્દ્ર સરકારે દેશની ૩૦૮ સોલવન્ટ પ્લાન્ટો-ખાદ્યતેલ પ્રોડક્ટ બનાવતી તેલ મિલો માસિક સ્ટોકનાં આંકડાઓમાં ડિફોલ્ટ જાહેર કરી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગ દ્વારા આ તમામ નામો જાહેર કરવામાં આવ્યાં છે. આ મિલો ઉપર આગળ ઉપર આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ પગલા લેવામાં આવે તેવી ધારણાં છે.
ખાદ્ય મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે ગુજરાતની ૨૬ તેલ મિલો અને મહારાષ્ટ્રની ૩૪ મિલોને પણ  સમાવેશ થાય છે. સરકારે ૨૬મી નવેમ્બરે એક નોટિશ મારફતે દેશની તમામ ખાદ્યતેલ પ્રોડક્ટ બનાવતી મિલો, સોલવન્ટ એક્સટ્રેકટેડ ઓઈલ, ડિ-ઓઈલ મિલ અને ખાદ્યતેલ ફ્લોર બનાવતા ઉત્પાદકોને તેનાં ઉત્પાદન,વેચાણ, આયાત અને નિકાસ તેમજ કાચા માલની ખરીદી સહિતની તમામ વિગતો દર મહિનાની ૭મી તારીખ સુધીમાં ઓનલાઈન આપવાની હતી. પરંતુ આવી ૩૦૮ મિલોએ આ પ્રકારની વિગતો જાહેર કરી નથી.
ખાદ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે દેશનાં ટોચનાં ઉત્પાદકો પણ આ પ્રકારની વિગતો આપી ન હોવાથી ડિફોલ્ટરનાં લિસ્ટમાં સામેલ છે. ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરલ, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશની મિલોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતની ડિફોલ્ટ જાહેર થયેલી મિલો
કારગિલ ઈન્ડિયા, રૃચી સોયા ઈન્ડ.,ગુજરાત અંબુજા એક્સપોર્ટ, બુંગે ઈન્ડિયા, મોરવી વેજીટેબલ, અશ્વીન વનસ્પતિ ઈન્ડ., ગોકુલ રિફોઈલ્સ, જગદીશ એક્સપોર્ટ, વિતરાગ એક્સપોર્ટ ઈન્ડ., આકાશ એગ્રો ઈન્ડ., સંજય ઓઈલકેક ઈન્ડ., એસ.કે. ઈન્ડસ્ટ્રીઝ, મૌજી હરીભાઈ ઓઈલકેક, ખેડૂત સોલવન્ટ, રાજેશ ઓઈલ ઈન્ડ.,ગોકુલ રિફોઈલ્સ-પાટણ, અદાણી વિલ્મર, આકાશ એગ્રો, નેશનલ પ્રોટીન એન્ડ સોલવન્ટ, શ્રી અંબીકા ઓઈલ કેક, વિમલ ઓઈલ, જગદીશ ઓઈલ કેક, ગુજારર ફુડ પ્રોડક્શન, ઠક્કર હિતેશ ચંદુલાલ, કેજીએન એન્ટ., આકાશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ,

મહારાષ્ટ્રની ડિફોલ્ટ જાહેર થયેલી મિલો

કારગીલ ઈન્ડિયા, પ્રણવ એગ્રો ઈન્ડ., ફ્રીગોરીપીકો અલાના, પુના દાલ એન્ડ ઓઈલ, કામાણી ઓઈલ, રાજારામ સોલવેક્સ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ, શિવ શક્તિ એક્સટ્રેક્શન્સ, સાઈ સિનારાન ફુડ્સ, ઘોડાવત ફુડ્સ, ડીવાઈનફુડ્સ ઈન્દ્રા, મથુરા એક્સ., મુરલી ઈન્ડ. ડીસાન એગ્રોટેક, કૈસાર ઓઈલ્સ, દીયોધારી, કિર્તી એગ્રોટેક, કિર્તી ફુડ્સ, કિર્તી દાલ મિલ, કિર્તી એગ્રોવેટ, કિર્તી સોલવેક્સ, શ્યામકલા એગ્રો, રૃચી સોયા, રામદેવબાબા, રસોયા પ્રોટીન, તાનીયા ઈન્ડ., કપીલ સોલવેક્સ, ભારતી એક્સ., શિવપાર્વતી પોલ્ટ્રી, ઓમશ્રી, ઉમરેડ એગ્રો.

Pr-Expiry Margin on Coriander and Castarseed

ધાણા-એરંડામાં સટ્ટાકીય તેજી-મંદી રોકવા પ્રિ-એક્સપાયરી માર્જિન લદાયું

એક્સપાયરીનાં ૨૫ દિવસ પહેલાથી તબક્કાવાર માર્જિન પાંચ ટકાથી વધીને ૯૦ ટકા સુધી વધશે ઃ ધાણામાં વધારાનું ૧૦ ટકા માર્જિન લદાયું

ધાણા અને એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી-મંદીને રોકવા માટે એક્સચેન્જે પ્રિ-એક્સપાયરી માર્જિન લાદવાની જાહેરાત કરી છે. કોઈપણ વાયદામાં આ પ્રકારનું પ્રિ-એક્સપાયરી માર્જિન પ્રથમવાર લાદવામાં આવ્યું છે. વળી ફરજિયાત ડિલીવરીનો સમયગાળો પણ ૧૧ દિવસ વહેલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાણાનાં જાન્યુઆરી વાયદામાં સોમવારથી લાગુ પડે એ રીતે વધારાનું ૧૦ ટકા માર્જિન પણ લદાયું છે.
ધાણા અને એરંડા માટે જાહેર કરવામાં આવેલા અલગ-અલગ પરિપત્ર પ્રમાણે જાન્યુઆરી મહિનાનાં વાયદાની એક્સપાયરીનાં સરેરાશ ડિલીવરી પિરીયડ ચાલુ થાય ત્યારથી તબક્કાવાર રેગ્યુલર માર્જિન ઉપરાંત તબક્કાવાર પ્રિ-એક્સપાયરી માર્જિન વધતું જશે. જેમાં ધાણામાં જાન્યુઆરી વાયદા માટે ૨૯મી ડિસેમ્બરથી ફરજિયાત ડિલીવરી ચાલુ થશે. એ પ્રમાણે ૨૬ ડિસેમ્બરે ૪.૭૫ ટકા, ૨૯મીએ ૯.૫૦ ટકા જે તબક્કાવાર વધીને ૯ જાન્યુઆરીએ ૫૨.૨૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૮૫ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે.  આ માર્જિન ઉપરાંત જાન્યુઆરી મહિનાનાં વાયદા માટેે વધારાનું ૧૦ ટકાનું માર્જિન પણ લાગુ કરવામાં આવ્યું છે.
એરંડા વાયદામાં પ્રિ-એક્સપાયરી માર્જિન ૨૬ ડિસેમ્બરે પાંચ ટકા, ૩૧મી ડિસે. ૨૦ ટકા અને ૯ જાન્યુઆરીએ ૫૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૯૦ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે. જેમાં કોઈ નવું વધારાનું માર્જિન લાદવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છેકે એરંડા જાન્યુઆરી વાયદામાં ૩,૪૪,૬૧૦ ટનનાં ઊભા ઓળિયા છે અને ફેબ્રુઆરી સામેનો છેલ્લા બંધ પ્રમાણે રૃા.૨૩૮નો ઊંધો બદલો છે. જ્યારે ધાણા જાન્યુઆરી વાયદામાં ૨૭૧૩૦ ટનનાં ઊભા ઓળિયા છે અને એપ્રિલ સામેનો છેલ્લા બંધ ભાવ પ્રમાણે રૃા.૪૩૪૭નો ઊંધો બદલો છે.

20 December 2014

Mentha oil price may be up

મેન્થા ઓઈલનું ઉત્પાદન ઘટતા અને નિકાસ માંગનાં ટેકે તેજીની ધારણાં
મેન્થાતેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૦ ટકા ઘટે તેવી ધારણાં
 
મેન્થા ઓઈલમાં ક્રિસમસ નજીક આવવાને કારણે નિકાસ માંગ વધતા અને ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણાએ તેજી જોવા મળે તેવી ધારણાં છે. મેન્થાઓઈલમાં નીચા ભાવને કારણે ચાલુ વર્ષે ફુદીનાનું વાવેતર ખેડૂતોએ ટાળ્યું હતું.
મેન્થા ડિસેમ્બર વાયદામાં ભાવ ૩ ડીસેમ્બરે રૃા.૬૯૩ હતા, જે આજે વધીને રૃા.૭૨૭ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. કેડીયા કોમોડિટીનાં એમ.ડી. અજય કેડિયાનું કહેવું છેકે મેન્થા વાયદામાં હજુ પણ તેજી જોવા મળી શેક છે. વાયદમાં રૃા.૬૯૦-૬૯૬ની સપાટી પર ખરીદી કરો અને રૃા.૬૬૦નાં સ્ટોપલોસ સાથે રૃા.૭૮૦નો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ લક્ષ્યાંક હાંસલ થયા બાદ આગળ ઉપર રૃા.૮૪૦નાં ભાવ જોવા મળી શકે છે.
યુ.પી.માં મેન્થા ઓઈલની મોટા ભાગની મંડીમાં આવકો અત્યારે ઓછી થઈ રહી છે. ચંદોસી અને સંભલમાં ૫૦ ડ્રમની આવક થાય છે, જ્યારે બારાબંકીમાં ૮૦ ડ્રમની આવક થાય છે. હાજર ભાવ સરેરાશરૃા.૭૭૦થી રૃા.૮૨૦ની રેન્જમાં અથડાઈ રહ્યાં છે. 
દેશમાં મેન્થાઓઈલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૪૦ હજાર ટનનું થાય તેવો અંદાજ છે, જે ગત વર્ષે ૫૦ હજારથી ૫૫ હજાર ટનની વચ્ચે થયું હતું. ગત વર્ષે મેન્થામાં ભાવ અડધો અડધ ઘટી ગયાં હોવાથી દેશમાં ફુદીનાનું વાવેતર ઘટ્યું હતું. દેશમાંથી સરેરાશ ૨૫ હજાર ટનની મેન્થાઓઈલની નિકાસ થવાનો અંદાજ છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સરેરાશ નિકાસ માંગ સારી રહે છે, જેને કારણે ભાવ ઊંચકાય શકે છે. ઉલ્લેખનીય છેકે મેન્થાતેલનાં ભાવ માર્ચ ૨૦૧૨માં રૃા.૨૫૬૪ અને ૨૦૧૩માં રૃા.૧૫૮૫ની ટોચે હતાં, જે હાલ ઘટીને રૃા.૭૩૦ની સપાટીએ પહોંચી ગયાં છે.

All india Ravi Sowing 19 December

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો
 ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટ્યું  ઘઉંનાં વાવેતરમાં ધીમી ગતિએ વધારો


દેશમાં રવિ વાવેતર વિસ્તાર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી વાવેતર વિસ્તારમાં પણ વધારો નોંધાયો છે. તેમ છત્તા ગત વર્ષની તુલનાએ રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં ૪૧ લાખ હેકટરનો વધારો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૧૯મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૧૧.૧૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૪૦.૦૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. હવે ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં માત્ર પાંચ લાખ હેકટરનો જ ઘટાડો નોંધાયો છે. જોકે ગત વર્ષની તુલનાએ સરેરાશ વાવેતર ઓછું જ થાય તેવી ધારણાં છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૨.૯૯    ૬૬.૫૫
મગફળી         ૩.૧૭      ૩.૩૦
સૂર્યમુખી         ૨.૩૨.     ૩.૨૪
તલ               ૦.૫૨.     ૦.૪૮
અળસી          ૨.૩૦      ૨.૪૪
તેલીબિયાં       ૭૨.૫૨    ૭૮.૦૫
ઘઉં               ૨૬૮.૨૬ ૨૭૩.૧૨
ધાન્ય પાક       ૪૮.૨૪    ૫૩.૮૮
ચણા              ૭૫.૧૫    ૮૯.૪૬
કઠોળ             ૧૧૯.૮૯ ૧૩૨.૭૯
કુલ વાવેતર     ૫૧૧.૧૩ ૫૪૦.૦૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૧૯ ડિસે. સુધીનાં)

http://www.seaofindia.com/cdn/gallery/7/1e0f1a9eb45aae804999f9cd2b0d6cec.pdf

19 December 2014

Guargum export Rise 38% and Hps Groundnut Export Rise 33%

દેશમાંથી સાત માસમાં ગવારગમની ૩૮ ટકા અને સિંગદાણાની ૩૩ ટકા નિકાસ વધી

એપ્રિલથી ઓક્ટોબરમાં ગવારગમની ૪.૬૧ લાખ ટનની નિકાસ થઈ
દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ  સાત મહિનામાં ગવારગમ અને સિંગદાણાની નિકાસમાં મોટો વધારો જોવા મળ્યો છે. અપેડા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગવારગમની નિકાસ ૩૮ ટકા અને એચપીએસ સિંગદાણાની નિકાસમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાંથી એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન ગવારગમની કુલ ૪.૬૧ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૩.૩૩ લાખ ટનની નિકાસ થઈ હતી. નવેમ્બર મહિનામાં નિકાસનાં આંકડાઓ હજુ આવ્યાં નથી, પરંતુ સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછી નિકાસથાય તેવો અંદાજ છે. ગત વર્ષે નવેમ્બરમાં ૭૦ હજાર ટન ગવારગમની નિકાસ થઈ હતી.
એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન એચપીએસ સિંગદાણાની નિકાસ કુલ ૨.૮૧ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૨.૧૧ લાખ ટનની થઈ હતી. આમ તેમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. સિંગદાણાની નિકાસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ગત વર્ષની તુલનાએ વધે તેવી શક્યતા છે.

Onion price Rise 33 % in last 18 Days

દેશમાં ડુંગળીનાં ભાવમાં ડિસેમ્બરમાં ૩૩ ટકાનો વધારો

-કમોસમી વરસાદથી પાકને અસર થતા સારી ક્વોલિટીમાં ભાવ ઊંચકાયાં

બટાટાનાં ભાવ ઘટી રહ્યાં છે, પરંતુ ડુંગળીનાં ભાવમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં ડુંગળી ઉત્પાદક વિસ્તારમાં કમોસમી વરસાદ અને શિયાળુ વાવેતર ઓછા થવાને પગલે ડુંગળીનાં ભાવ ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૩ ટકા અને મહારાષ્ટ્રમાં ૨૭ ટકાનો ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં ડુંગળીનાં ઘર ગણાતા મહુવામાં પહેલી ડિસેમ્બરે ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૃા.૧૨૦-૩૦૦નાં હતા, જે આજે (૧૮ ડિસે.) વધીને રૃા.૨૫૧-૩૭૮ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે. મહારાષ્ટ્રમાં પણ એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ આજ સમયગાળામાં પ્રતિ ક્વિન્ટલ રૃા.૧૩૭૫થી વધીને રૃા.૧૭૫૦ની ઊંચાઈએ પહોંચ્યાં છે. નવી દિલ્હીમાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે.
નેશનલ હોર્ટીકલ્ચરલ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનાં ડિરેકટર આર.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટૂંકાગાળાનો વધારો છે. કમોસમી વરસાદને કારણે કાપણીમાં અસર પહોંચી હોવાથી ભાવ વધ્યાં છે. ખેતરમાં ભેજનું પ્રમાણ ઘટતા અને આવકો વધતા એકાદ સપ્તાહમાં ભાવ ફરી ઘટે તેવી ધારણાં છે.
મહુવાનાં ડુંગળીનાં અગ્રણી ટ્રેડર સંજયભાઈ દોશીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં તાજેતરમાં પડેલા વરસાદથી ગુજરાતની માંગ નીકળી છે. પરિણામે ભાવ ઊંચકાયા છે. વર્તમાન સ્થિતિ જોતા હવે મણદીઠ રૃા.૩૦૦ની નીચે બજાર જાય તેવું લાગતું નથી. વળી હાલની ડુંગળીનું આયુષ્ય ૧૫થી ૨૦ દિવસનું જ હોય છે, ત્યાર બાદ તે ઊગી જાય છે.
તેમણે ગુજરાતનાં પાકની સ્થિતિ વિશે કહ્યું કે હાલ થોડો નબળો માલ આવી રહ્યો છે, ખેડૂતો પાક તૈયાર થાય તે પહેલા જ વેચાણ કરે છે, પરંતુ તાજેતરમાં પડેલી ઠંડીને કારણે આગામી દિવસોમાં આવકો થશે તે સારી ક્વોલિટીનો રહેશે. ચાલુ વર્ષે ઉતારા પણ ઓછા છે, પરિણામે ભાવ ઘટે તેવું લાગતું નથી.

World Wheat price Rise 7 Month high due to Russia Export Ristcriction

રશિયાએ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા વૈશ્વિક ઘઉં સાત માસની ટોચે

રશિયાએ ભારત સહિતનાં ચાર દેશો સિવાય ઘઉંનો નિકાસ પ્રતિબંધ મૂક્યો

વૈશ્વિક ઘઉંમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. રશિયન ઈકોનોમીમાં મંદી અને વધી રહેલા ફુગાવાનો નિયંત્રણમાં રાખવા માટે તેણે ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણો લાદ્યા છે, જેને કારણે વિશ્વ બજારમાં ઘઉંનાં ભાવ વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. બજારનો અંડરટોન હજુ પણ મજબૂત છે અને તેનાંથી ભારતને પણ ફાયદો થાય તેવી સંભાવનાં છે.
રશિયાનાં નેશનલ એસોસિયેશન ઓફ એક્સપોર્ટ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ ગ્રૂપે જણાવ્યું હતું કે સરકારે માત્ર ઈજિપ્ત, તુર્કિ, ભારત અને આર્મેન્યિા એમ ચાર જ દેશમાં ઘઉંની નિકાસ માટેની છૂટ આપી છે, એ સિવાયનાં દેશોમાં નિકાસ સર્ટિફીકેટ ઈશ્યૂ કરવાનાં બંધ કર્યાં છે. રશિયા સામાન્ય રીતે ૧૨થી વધુ દેશોમાં નિકાસ કરે છે, પરંતુ હવે માત્ર ચાર દેશમાં જ નિકાસ શક્ય બનશે. રશિયા વિશ્વમાં ઘઉંની નિકાસ કરતો ટોચનાં નિકાસકાર દેશોમાંનો એક છે.
રશિયાનાં નિર્ણય સામે ત્યાંનાં નિકાસકારોએ સરકારને પત્ર લખ્યો છેકે આ નિર્ણયથી વિશ્વ બજારમાં રશિયાની છાપ ખરાબ ઊભી થશે. જે જૂના સોદા થયા છે તે પણ રદ થશે.
રશિયાનાં નિર્ણયને પગલે શિકાગો ઘઉં વાયદો ૨૫.૨૫ સેન્ટ વધીને ૬.૪૮ ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. જે સાત મહિનાની સૌથી ઊંચી સપાટી બતાવે છે. રશિયાના નિકાસ નિયંત્રણોથી અમેરિકાની ઘઉંની નિકાસ વધે તેવી સંભાવનાં છે.
ભારતમાં પણ ઘઉંનાં ભાવ છેલ્લા ઘણા સમયથી સ્થિર છે અને નિકાસ વેપારો ખાસ થતા નથી, પરંતુ આગામી દિવસોમાં નિકાસવેપારો ખુલે તેવી સંભાવનાં છે. રશિયાનાં પ્રતિબંધથી વૈશ્વિક ઘઉંનાં ભાવ વધુ ઊંચકાય શકે છે.
માર્કેટએજનાં એનાલિસ્ટ માર્ક માર્ટીનનું કહેવું છેકે રશિયાનાં નિર્ણયને પગલે વૈશ્વિક ઘઉંનાં ભાવ વધીને આગામી ૧૨ મહિનામાં ૩૦૦ ડોલર પ્રતિ ટનની સપાટીએ પહોંચી શકે છે. જે હાલમાં ૨૫૦ ડોલર આસપાસ ચાલે છે. રશિયાની સાથે યૂક્રેન સહિતનાં કાળા સમુદ્રનાં દેશોમાં જો સિઝનને અંતે ઉત્પાદન ઓછું થાય તો ભાવ વધુ વધે તેવી પણ સંભાવનાં છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...