03 January 2015

New Wheat start in Visavadar APMC

વિસાવદરમાં નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ
-દેશમાં સૌપ્રથમ વિસાવદરમાં ૩૦ ગુણી નવા ઘઉં આવ્યાં


દેશમાં એક તરફ ઘણા વિસ્તારમાં ઘઉંની વાવણી હજુ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં વિસાવદરમાં આજે નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ પણ થયાં હતાં. આ સાથે સમગ્ર દેશમાં સૌ પ્રથમ નવા ઘઉંની આવકો ચાલુ થઈ છે.
ઘઉંનાં વેપારીઓનાં જણાવ્યાં પ્રમાણે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આજે ૩૦ ગુણી નવા ઘઉંની આવકો હતી અને સરેરાશ રૃા.૩૩૨.૨૫નાં ભાવથી મૂર્હતનાં સોદા થયાં હતાં. આ ઘઉંનું વાવેતર શરદપૂનમ આસપાસ થયું હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે કેશોદ પંથકમાં નવા ઘઉંની આવકો સૌપ્રથમ થતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વિસાવદરમાં થઈ છે. કેશોદમાં પણ ૧૫થી ૨૦ દિવસમાં નવા ઘઉંની આવકો ચાલુ થાય તેવી શક્યતા છે. કેશોદ આજુબાજુનાં ત્રંબાવદર, ગડુ અને જંગર સહિતના ગામોમાં ખેડૂતોએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણી આપવાનું બંધ કર્યું છે, પરિણામે તે ઘઉં પંદર દિવસમાં પાકી જશે. એકાદ મહિનામાં તો રેગ્યુલર આવકો ચાલુ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.
એફસીઆઈનાં ઘઉંનાં ટેન્ડરમાં ૯૫૦૦ ટનનું વેચાણ
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગુજરાતનાં પહેલી જાન્યુઆરીએ ખુલેલા એક લાખ ટનનાં ટેન્ડરમાંથી ૯૫૦૦ ટન ઘઉંનું વેચાણ થયું હતું. સરેરાશ ઘઉંમાં ભાવ તેનાં લઘુત્તમ ભાવની આસપાસ જ વેચાણ  થયું હતું. આમ ગુજરાતમાં સતત બે સપ્તાહ સુધી સરકારી ઘઉંનું વેચાણ થયું છે અને બે ટેન્ડરોમાં કુલ ૧૭૫૦૦ ટન ઘઉં ખુલ્લા બજારમાં ઠલવાયા છે. આગામી ટેન્ડર આવતા સપ્તાહે ખુલશે, જેમાં ૧૦ હજાર ટન જેવાં માલનું વેચાણ થાય તેવી સંભાવનાં છે. સરકારી માલોની આવકોથી ખુલ્લા બજારમાં ભાવ વધતા અટકી ગયાં છે.
ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં વરસાદથી રેકર્ડબ્રેક પાકની ધારણાં
-કેન્દ્રીય કૃષિ કમિશ્નરનાં મતે ઉત્પાદન ગત વર્ષને પાર થવાની ધારણાં
-ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા ભાગનાં વિસ્તારમાં વરસાદ
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની નજીવો ઘટાડો થયો છે,પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી ઉત્તર અને મધ્ય ભારતમાં પડી રહેલા વરસાદને કારણે ઘઉંનાં પાકનું ચીત્ર બદલાય તેવી સંભાવનાં છે અને ઉત્પાદન ગત વર્ષની તુલનાએ વધીને રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે.
કેન્દ્રીય કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં ગત વર્ષે ૯૫૯ લાખ ટનનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે સરકારે સત્તાવાર રીતે ૯૪૭ લાખ ટન પાક થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાકનો મોટો ફાયદો થશે. વરસાદને કારણે ઉતારા પણ વધશે, પરિણામે ચાલુ વર્ષે પણ રેકર્ડબ્રેક પાક થાય તેવી ધારણાં છે.
દેશમાં ઘઉનાં ટોચનાં ઉત્પાદક એવા મધ્યપ્રદેશમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાકને મોટો ફાયદો થશે. રાજસ્થાનમાં પણ વરસાદથી પાકને ફાયદો થશે. રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર પણ ગત વર્ષની તુલનાએ નવા ટકા વધ્યું છે. પરિણામે ત્યાં ઉત્પાદન ચાલુ વર્ષે રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે. ટ્રેડરો અને જાણકારોનું કહેવું છેકે વર્તમાન સ્થિતિ જોતા હવે સમગ્ર દેશમાં ગુજરાતમાં જ ઘઉંનાં ઉત્પાદનમાં મોટો કાપ આવશે, એ સિવાયનાં રાજ્યોમાં ઉત્પાદન ઘટે તેવું લાગતું નથી. વરસાદથી ઉતારા વધતા સરેરાશ દેશમાં ઉત્પાદન ગતવર્ષ જેટલું અથવા તો તેનાંથી વધી જશે અને પાક ઓલટાઈમ હાઈ થઈ શકે છે.

કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે દેશમાં બીજી જાન્યુઆરી સુધીમાં ઘઉંનું ૨૯૩.૧૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૨૯૪ લાખ હેકટરમાં થયું હતું. આમ સરેરાશ વાવેતર વિસ્તાર ગત વર્ષ જેટલો જ છે. જો ઉતારા વધશે તો પાક પણ વધી જાય તેવી પૂરી સંભાવનાં છે.

02 January 2015

Money Laundering Act in Commodity Future trade

કોમોડિટી વાયદાનાં બ્રોકરને પણ આજથી મની લોન્ડરિંગનો કાયદો લાગુ પડશે
-બ્રોકર્સ દ્વારા નિયમનું પાલન ન કરવા બદલે દૈનિક રૃા.૨૦૦નો દંડ અને ટર્મિનલ પણ બંધ થઈ શકે

દેશમાં મની લોન્ડિરિંગ એક્ટનો આજથી કોમોડિટી વાયદા બજારમાં કામ કરતા બ્રોકર્સને પણ લાગુ પડી જશે. એફએમસીએ અગાઉ ત્રણ વાર તેની મુદત લંબાવી પણ હતી, પરંતુ આખરી મુદત ૩૧મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. પરિણામે પહેલી જાન્યુઆરીથી જરૃરી નોંધણી ન કરાવનાર બ્રોકર્સનું ટર્મિનલ બંધ પણ થઈ  શકે છે.
કોમોડિટી એક્સચેન્જોએ આજે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક્ટનાં નિયમ મુજબ બ્રોકરોને ફિનનેટ ગેટવેમાં રજિસ્ટ્રેશન કરવાની સૌ પ્રથમ મુદત ૭ એપ્રિલ, ૨૦૧૪ હતી, ત્યાર બાદ તેને વધારીને ૧૫મી મે અને ૨૬મી સપ્ટેમ્બર અને છેલ્લી મુદત ૩૧મી ડિસેમ્બર સુધી વધારી આપી હતી. પરંતુ હવે આગળ ઉપર મુદત વધારવામાં આવશે નહીં. પરિણામે ૩૧મી ડિસેમ્બર સુધીમાં બ્રોકરોએ જરૃરી માહિતી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો બ્રોકરો દ્વારા આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં આવ્યું હોય તો તેને દૈનિક ધોરણે રૃા.૨૦૦નો દંડ લાગુ પડશે અને તેનું ટર્મિનલ ડિએક્ટીવ મોડ કે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.

કોમોડિટી બજારોમાં કાળા નાણાં આવતા અટકે એ હેતુંથી આ સિસ્ટમનો અમલ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં બેન્કિંગ સહિતની તમામ નાણાકીય સેવા આપતી સંસ્થાઓ માટે મની લોન્ડિરિંગ એક્ટનો અમલ કરી રહી છે. જેમાં હવે કોમોડિટી વાયદાનાં બ્રોકરોનો પણ ઉમેરો થયો છે.
(Date 31 Dec.2014)

Tariff Value 1 Jan. to 15 Jan.2015

ચાંદીની ટેરિફ વેલ્યૂમાં ૪૨ ડોલરનો ઘટાડો ઃ ખાદ્યતેલની પણ ટેરિફ ઘટી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ચાર ડોલરનો ઘટાડો

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં વિતેલા પખવાડિયામાં ઘટાડો થવાને પગલે સરકારે તેની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો કર્યો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફીકેશન પ્રમાણે ચાંદીની ટેરિફ વેલ્યૂમાં પ્રતિ કિલોએ ૪૨ ડોલરનો ઘટાડો થયો છે. ચાંદીની ટેરિફ ૫૬૧ ડોલરથી ઘટીને ૫૧૯ ડોલર થઈ છે. જ્યારે સોનામાં ચાર ડોલર ઘટીને ૩૯૨ ડોલર થઈ છે.
સરકારે ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૩૦ ડોલર સુધીનો ઘટાડો કર્યો છે. સૌથી ઓછી સોયાતેલની ડ્યૂટીમાં છ ડોલરનો જ ઘટાડો કર્યો છે. જ્યારે પામતેલમાં સરેરાશ ૩૦ ડોલરનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં સોયાબીનની માંગ વધારે હોવાથી તેનાં ભાવ ઓછા ઘટ્યાં છે, પરિણામે તેની ટેરિફમાં પણ મામૂલી જ ઘટાડો કરાયો છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧૬ ડીસે.     ૧ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૯૯          ૬૬૯
રિફા.પામતેલ          ૭૨૩          ૬૯૬   
અન્ય પામતેલ        ૭૧૧          ૬૮૩
ક્રૂડપામોલીન          ૭૩૧          ૭૦૦
રિફા.પામોલીન        ૭૩૪          ૭૦૩
અન્ય પામોલીન      ૭૩૩          ૭૦૨
કાચુ સોયાતેલ         ૮૪૯          ૮૪૩
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૬          ૩૯૨
ચાંદી                    ૫૬૧          ૫૧૯

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 31 Dec.2014)

FMC New Chairman Mr. T.V.Somnathan

એફએમસીનાં નવા ચેરમેન તરીકે ટી.વી.સોમનાથનની નિમણૂંક
રમેશ અભિષેકની મુદત ૭ જાન્યુઆરીએ પૂર્ણ


કોમોડિટી વાયદા બજાર ઉપર નિયંત્રણ કરતી સંસ્થા ફોરવર્ડ માર્કેટ કમિશનનાં નવા ચેરમેન તરીકે સરકારે ટી.વી.સોમનાથનની નિમણૂંક કરી છે. સોમનાથન હાલમાં વર્લ્ડ બેન્કમાં ડિરેકટર તરીકે કાર્યરત છે. તેઓ એફએમસીનાં ચેરમેનનો હવાલો ચાલુ મહિને જ સંભાળી લેશે. એફએમસીનાં વર્તમાન ચેરમેન રમેશ અભિષેકની મુદત ૭મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે.

એફએમસીનાં ચેરમેન તરીકે રમેશ અભિષેકને અગાઉ બેથી ત્રણ વાર એક્સટેન્શન મળ્યાં બાદ હવે નવા ચેરમેનની પસંદગી કરાય છે. સરકારે કુલ પાંચ નામ અંતિમ તબક્કામાં નક્કી કર્યાં હતાં, જેમાંથી સોમનાથનની પસંદગી કરાય છે. સોમનાથન ૧૯૮૭ની તામીલનાડુ બેચનાં આઈએએસ ઓફિસર છે અને તામિલનાડુની સરકારમાં સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ ચેન્નઈ મેટ્રો રેલ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેકટર તરીકે પણ રહી ચૂક્યાં છે.

Chana zero % duty Extended till 31 March 2015

ચણામાં ઝીરો ટકા આયાત ડ્યૂટીની મુદત માર્ચ સુધી લંબાવાય

ચણા વાયદામાં સતત બીજા દિવસે મંદીનો માહોલ ઃ વાયદામાં ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો

ચણા ઉપર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાગવાની સંભાવનાઓ ઉપર આખરે પૂર્ણ વિરામ મુકાય ગયું છે. કેન્દ્ર સરકારે ચણાની આયાત ઉપર ઝીરો ટકા ડ્યૂટીની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. મુદત વધતા ચણા વાયદામાં બે દિવસની ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો બોલ્યો હતો.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા એક નોટિફિકેશન પ્રમાણે હવેથી ચણાની ઝીરો ટકા આયાત ડ્યૂટી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધી લંબાવી દેવામાં આવી છે. આયાત ડ્યૂટીની મુદત લંબાવાની જાહેરાતથી ચણા વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ચણા વાયદો છેલ્લા બે દિવસમાં સરેરાશ રૃા.૩૦૦ ઘટ્યો છે.
ચણા જાન્યુઆરી વાયદો ૩૦મી ડિસેમ્બરે રૃા.૩૬૯૭ પર બંધ રહ્યો હતો, જે ગઈકાલે રૃા.૩૭૪૫ની સપાટીએ પહોંચ્યાં બાદ છેલ્લે ઘટીને રૃા.૩૫૫૦ પર બંધ રહ્યો હતો. જેમાં આજે વધુ રૃા.૧૦૬નો ઘટાડો થઈને ભાવ રૃા.૩૪૪૪ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ચણામાં સરેરાશ ફંડામેન્ટલ તેજી તરફી છે, પરંતુ છેલ્લા દશેક દિવસથી ડ્યૂટી લાદવાની અફવાએ બજારો વધ્યાં હતાં, જેમાં ફરી ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીનાં ચણાનાં ટ્રેડર રાહુલ વોરાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટીને ૪૮થી ૫૦ લાખ ટન રહે તેવી ધારણાં છે, જે ગત વર્ષે ૭૦ લાખ ટનનું થયું હતું. દેશમાં ૨૦થી ૨૫ લાખ ટનનો કેરીઓવર સ્ટોક પણ પડ્યો છે. પરિણામે ચાલુ વર્ષે કુલ ૭૦થી ૭૫ લાખ ટનનો પૂરવઠો રહેશે અને દેશની જરૃરિયાત ૯૦ લાખ ટનની છે, પરિણામે ચણામાં આયાતી માલોની જરૃરિયાત વધુ જ રહેશે.

કેન્દ્ર સરકારે પણ મોંઘવારી વધુ ન વધે અને દેશમાં કઠોળનું ઉત્પાદન ચાલુ વર્ષે સરેરાશ ઘટવાની ધારણાં હોવાથી ચણાની આયાત ઉપરની ડ્યૂટી વધુ ત્રણ મહિના માટે ઝીરો ટકા કરી છે.એપ્રિલ મહિના દરમિયાન નવા ચણાની આવકો વધે ત્યારે તેનાં ઉપર આયાત ડ્યૂટી લગાવાય તેવી સંભાવનાં છે.
(Date 1 jan.2015)

Gujarat Ravi Sowing 29 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો ઃ જીરૃનું ૪૨ ટકા ઘટ્યું 

-સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો, ઘઉંનાં વાવેતરમાં મોટો ફટકો
ગુજરાતમાં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી સરેરાશ છેલ્લા દશેક દિવસથી વાવેતર વિસ્તાર વધ્યો છે, તેમ છત્તા ગત વર્ષની તુલનાએ કુલ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં રવિ વાવેતર વિસ્તારમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૯મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૮.૯૧ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૬.૬૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં ઘઉંનાં વાવેતરનાં ૨૩.૭૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીનાં વાવેતરનાં આંકડાઓ પ્રમાણે જીરૃનાં વાવેતરમાં ૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાયડાનાં વાવેતરમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે.
સૌરાષ્ટ્રમાં કુલ રવિ વાવેતર વિસ્તાર ૭૧૭૬૦૦ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૧૪૯૦૦ હેકટરમાં થયું હતું. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે પાણીની મોટી તંગી હોવાથી વાવેતરમાં મોટો કાપ આવ્યો છે.  સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે એક માત્ર ધાણાનું જ વાવેતર વધ્યું છે, એ સિવાયની તમામ પાકોનાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે.

31 December 2014

Coriander Give's Highest Returns in 2014 and crude give lowest Return

કોમોડિટીમાં ૨૦૧૪માં રિટર્ન આપવામાં ધાણા ટોચ પર, ક્રૂડ તળિયે

-ધાણામાં રેકર્ડબ્રેક ૫૬ ટકા, એલચી ૪૪ ટકા વધી, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો કડાકો
Top-5 Commodity in 2014
૨૦૧૪નાં વર્ષનો આજે અંતિમ દિવસ છે. ભારતીય કોમોડિટી વાયદા બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં રોકાણકારોને ધાણાએ માલામાલ કરીદીધા છે, પરંતુ ક્રૂડતેલે ધોય નાખ્યાં છે.ધાણામાં વર્ષ દરમિયાન ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
એગ્રી વાયદામાં પણ સૌથી વધુ નેગેટિવ રિટર્ન કપાસ-રૃ વાયદાએ આપ્યું છે. રૃનાં ભાવ વર્ષ દરમિયાન ૨૦ ટકા તુટી ગયાં છે. સોના-ચાંદીનાં ભાવમાં વર્ષ દરમિયાન ઘરઆંગણે અનુક્રમે ૫.૬૭ ટકા અને ૧૭.૧૫ ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં સોનાનાં ભાવ વર્ષ દરમિયાન ૧.૪૦ ટકા ઘટ્યાં છે, જ્યારે ચાંદીમાં ૧૯.૦૮ ટકાનો ઘટાડો થયો છે.
એનાલિસ્ટોનું કહેવું છેકે ૨૦૧૫માં એગ્રી કોમોડિટીમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી શકે છે. ધાણાએ છેલ્લા બે વર્ષ પોઝિટીવ વળતર આપ્યું છે. ધાણામાં ૨૦૧૩માં ૪૬ ટકા અને ૨૦૧૪માં ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, પરંતુ ૨૦૧૫માં ૫૦ ટકાનો ઘટાડો બતાવે તેવી પૂરી સંભાવનાં છે. ધાણા બે વર્ષમાં રૃા.૫૦૦૦થી વધીને રૃા.૧૨,૦૦૦ થયા છે, પરંતુ ૨૦૧૫માં તે રૃા.૬૦૦૦ કે તેનાંથી પણ નીચે જઈ શકે છે. સોના-ચાંદીમાં હજુ પણ સરેરાશ મામૂલી રિટર્ન કે નેગેટિવ વળતરની સંભાવનાં છે.
(Date 30 Dec.2014)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...