19 January 2015

Tarrif Valu 16 Jan. to 31 Jan.2015

ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો ઃ સોનાં-ચાંદીની પણ વધી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ૯ ડોલર અને ચાંદીની ૨૪ ડોલર વધી
વૈશ્વિક બજારમાં વિતેલા પખવાડિયા દરમિયાન ખાદ્યતેલ અને બુલિયનનાં ભાવમાં વધારો થવાને કારણે તેની ટેરિફ વેલ્યૂમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે  સોયાતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો કરીને ૮૯૪ ડોલર કરવામાં આવી છે. પામોલીન તેલમાં ૩૦થી ૪૦ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મલેશિયામાં પૂરની સ્થિતિ બાદ વૈશ્વિક ખાદ્યતેલમાં તેજી જોવા મળી હોવાથી તેની ટેરિફ પણ વધી છે.
સરકારે સોનાની ટેરિફ વેલ્યૂ પણ ૩૯૨ ડોલરથી વધારીને ૪૦૧ ડોલર પ્રતિ ૧૦ ગ્રામે કરી છે. જ્યારે ચાંદીની કિલોદીઠ ટેરિફ વેલ્યૂ ૫૧૯ ડોલરથી વધારીને ૫૪૩ ડોલર કરી છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧ જાન્યુ.       ૧૬ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૬૯          ૭૦૫
રિફા.પામતેલ          ૬૯૬          ૭૨૯
અન્ય પામતેલ        ૬૮૩          ૭૧૭
ક્રૂડપામોલીન          ૭૦૦          ૭૩૯
રિફા.પામોલીન        ૭૦૩          ૭૪૮
અન્ય પામોલીન      ૭૦૨          ૭૪૧
કાચુ સોયાતેલ         ૮૪૩          ૮૯૪
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૨          ૪૦૧
ચાંદી                    ૫૧૯          ૫૪૩

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 16 jan.2015)

Wheat Export may be rise : till july may export 20 lakh ton.

ઘઉંની નિકાસ માટે સોનેરી તક , જુલાઈ સુધીમાં ૨૦ લાખ ટન નિકાસનો અંદાજ
રશિયા-યૂક્રેન દ્વારા નિકાસ નિયંત્રણોથી ભારતીય ઘઉંની નિકાસને વેગ મળશે

ભારતીય ઘઉંની નિકાસ માટે સોનેરી તક આવી રહી છે. રશિયા અને યૂક્રેન જેવા કાળા સમુદ્રનાં દેશોઓ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા ભારતમાંથી જુલાઈ મહિના સુધીમાં કુલ ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.
વિશ્વમાં છેલ્લા ત્રણ મહિનામાં ઘઉંનાં ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. રશિયા પહેલી ફેબ્રુઆરીથી ઘઉંની નિકાસ ઉપર ૪૧ ડોલર પ્રતિ ટનની નિકાસ ડ્યૂટી લાદી છે. યૂક્રેને પણ કોઈ પણ નિકાસકાર માટે  બે લાખ ટનની મર્યાદામાં જ નિકાસની છૂટ આપી છે.
નવી દિલ્હી સ્થિત એક વૈશ્વિક ટ્રેડિંગ કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે ભારત એક એવી જગ્યાએ છેકે તેને રશિયાનાં નિયંત્રણનો મોટો લાભ મળશે. ફેબ્રુઆરીથી જુલાઈ મહિનાનાં સમયગાળામા ભારતમાંથી કુલ ૨૦ લાખ ટનની ઘઉંની નિકાસ થાય તેવી ધારણાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે ઈન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા અને બાંગ્લાદેશ ઓછા શિપિંગ ભાડાંને કારણે યુરોપિયન દેશોને બદલે ભારતમાંથી ખરીદી કરે તેવી ધારણાં છે. એશિયન ખરીદદારોને ભારતમાંથી ઘઉંની ખરીદીમાં ટને ૧૨થી ૧૫ ડોલરનું જ ભાડું લાગે છે, જેની સામે યૂક્રેનથી ૩૦ ડોલર જેટલું ભાડું લાગે છે.
ટ્રેડરો કહે છે કે સરકાર માટે પણ સારી તક છેકે પોતાનાં ૨૫૧ લાખ ટનનાં રિઝર્વ સ્ટોકને ઘટાડવા માટે નિકાસ ટેન્ડર જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ નિકાસ માટે કોઈ જ નિર્ણય લેવાયો નથી. સરકાર ખેડૂતો પાસેથી સરેરાશ ૨૩૦ ડોલર પ્રતિ ટનનાં ભાવથી ઘઉં ખરીદે છે.
વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંનાં ખાનગી ટ્રેડરો અત્યારે ૨૭૦ ડોલર એફઓબી ભાવ ક્વોટ કરે છે. જ્યારે ફ્રેચ ઘઉંનાં ભાવ ૨૪૮થી ૨૫૦ ડોલર અને ઓસ્ટ્રેલિયન સ્ટાન્ડર્ડ ઘઉંનાં ૨૭૦ ડોલર અને યુક્રેન મિલબર ઘઉંનાં ૨૬૫ ડોલરનાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે એશિયન દેશો માટે ભારતીય ઘઉં વધુ આકર્ષક છે, કારણ કે ભાડું પણ ઓછું લાગે છે અને ડિલીવરીનો સમય પણ બચી જાય છે. પરિણામે આગામી દિવસોમાં લાખો ટન ભારતીય ઘઉંની માંગ નીકળે તેવી સંભાવનાં છે.
મધ્યપ્રદેશમાં ઘઉંનું રેકર્ડબ્રેક ૨૦૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ
દેશમાં ઘઉંનાં ટોચનાં ઉત્પાદક રાજ્ય એવા મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ઘઉંનું રેકર્ડબ્રેક ઉતપાદન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે. રાજ્ય સરકારનાં મતે ચાલુ વર્ષે કુલ ૨૦૫.૨ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે, જે ગત વર્ષે ૧૭૪.૭  લાખ ટન થયું હતું.
મધ્યપ્રદેશમાં ઉત્પાદન વધારવા અંગે સરકારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાતાવરણ અનુકૂળ રહેતા અને વરસાદ પણ સારો પડ્યો હોવાથી ઉતારા પણ વધ્યાં છે, જેને કારણે ચાલુ વર્ષે ઉત્પાદન પંજાબથી પણ વધારે થાય તેવી ધારણાં છે. આ સાથે મધ્યપ્રદેશ ઘઉંનું ટોચનું ઉત્પાદક રાજ્ય પણ બનશે.

મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ૫૬.૬ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૮.૭૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્ય સરકારે કુલ ૬૦ લાખ હેકટર વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાવેતર ઘટ્યું છે, પરંતુ ઉતારા વધતા કુલ ઉત્પાદનમાં વધારો જોવા મળશે.
(Date 15 Jan.2015)

All india Ravi Sowing 16 Jan.2015

દેશમાં ચણાનાં વાવેતર વિસ્તારમાં ૧૬ ટકાનો ઘટાડો

દેશમાં ચાલુવર્ષે રવિ સિઝનમાં કુલ કૃષિ પાકોનાં વાવેતરમાં ૬.૬૩ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટતાં કુલ કઠોળનાં વાવેતર વિસ્તારમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે દેશમાં ૧૬મી જાન્યુઆરી સુધીમાં કુલ ૫૭૬.૭૩ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૬૧૮.૨૦ લાખ હેકટરમાં થયું હતું.
કઠોળનાં વાવેતરમાં ૧૦ ટકાનો ઘટાડો થઈને ૧૩૩.૪ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે ૧૪૯.૧૭ લાખ હેકટરમાં થયું હતું. ખાસ  કરીને ચણાનું વાવેતર ૮૧.૯૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૮.૧૬ લાખ હેકટરમાં થયું હતું.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે           ઘટાડો (ટકામાં)
રાયડો             ૬૪.૯૯    ૭૦.૯૩
મગફળી         ૪.૬૪      ૬.૦૩
સૂર્યમુખી         ૨.૬૩      ૩.૯૧
તલ               ૦.૭૩      ૦.૬૪
અળસી          ૩.૦૪      ૩.૩૨
તેલીબિયાં       ૭૭.૫૦    ૮૬.૫૦          -૧૦.૪૦
ઘઉં               ૩૦૪.૦૦ ૩૧૪  -૩.૧૮
ધાન્ય પાક       ૫૪.૩૦    ૫૮.૪૦          -૭.૦૨
ચણા              ૮૧.૯૮    ૯૮.૧૬          -૧૬.૪૮
કઠોળ             ૧૨૯.૯૯ ૧૪૪.૭૯        -૧૦.૫૮
મકાઈ            ૧૩.૬૦    ૧૪.૨૦          -૩.૫૪
કુલ વાવેતર     ૫૫૨.૮૨ ૫૭૯.૬૩        -૬.૬૩

(આંકડાઓ લાખ હેકટરમાં ૧૪ જાન્યુ.સુધીનાં)
(Date 16 jan.2015)

Sugar production Rise 19% Till 15 jan.2015

દેશમાં ૧૫મી જાન્યુ.સુધીમાં ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધ્યું

ઓક્ટોબરથી ૧૫ જાન્યુઆરી સુધીમાં કુલ ૧૦૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું

દેશમાં ચાલુ સિઝનમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધીને ૧૦૩ લાખ ટનનું થયું છે.શેરડીનાં વધુ પૂરવઠાને પગલે ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે.
ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશને જણાવ્યું હતું કે દેશમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં કુલ ૪૯૪ સુગર મિલો કાર્યરત છે અને તેમણે ૧૦૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૮૬.૫૦ લાખ ટન જ થયું હતું. ગત વર્ષે આ સમયે ૪૮૬ સુગર મિલો કાર્યરત હતી.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૫મી જાન્યુઆરી સુધીમાં ૪૩ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૩૧ લાખ ટન થયું હતું. ઈસ્માએ કહ્યું કે ચાલુ વર્ષે શેરડીનાં પૂરવઠામાં વધારો થવાને કારણે મોટા ભાગની મિલો પૂર્ણ સમય ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં ખાંડનું ૨૫ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧૯.૭૫ લાખ ટનનું થયું હતું. કર્ણાટકમાં ૧૭ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષ જેટલું જ છે.

ઈસ્માએ જણાવ્યું હતું  કે સિઝન પૂરી થવાને હજુ બેથી ત્રણ મહિના બાકી હોવાથી મુલો સરકાર દ્વારા રાહત પેકેજની આતુરતાથી રાહ જોઈ રહી છે. નીચા ભાવને કારણે ૧૫થી ૨૦ લાખ ટન ખાંડ નિકાસ થાય તે જરૃરી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ સબસિડી આપવામાં નહીં આવે તો ગત વર્ષે માર્ચ સુધીમાં કુલ રૃા.૧૩,૦૦૦ કરોડ ખેડૂતોનાં ચૂકવવાનાં બાકી હતી, જે રકમ ચાલુ વર્ષે વધી જાય તેવો ડર છે.
(Date 17 Jan.2015)

Cement price Rise Rs.60 in last two month

સિમેન્ટમાં તેજી ઃ બે મહિનામાં રૃા.૬૦નો ઉછાળો

ગુજરાતમાં આજથી વધુ રૃા.૧૦નો વધારો થશેપેટ્રોલિયમ પ્રોડક્ટનાં ભાવ ઘટી રહ્યાં હોવા છત્તા ઉત્પાદકોની કાર્ટેલનું પરિણામ

સિમેન્ટ બજારમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશમાં સિમન્ટની કમાન ગણ્યાં ગાંઠ્યાં ઉત્પાદકોનાં હાથમાં હોવાથી છેલ્લા બે મહિનામાં સરેરાશ ૫૦ કિલોની ગુણીદીઠ રૃા.૬૦નો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં આજથી (સોમવાર)થી સિમેન્ટનાં ભાવમાં વધુ રૃા.૧૦નો વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા પણ કોઈ જ પગલા લેવામાં ન આવી રહ્યાં હોવાથી ભાવ એકધારા વધી રહ્યાં છે. બીજી તરફ બિલ્ડર લોબી ભાવવધારા સામે હવે વિરોધ નોંધાવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં સિમેન્ટની એક થેલીનાં ભાવ દિવાળી સમયે ટ્રેડમાં રૃા.૨૪૦ અને નોન ટ્રેડ (જથ્થાબંધ) ભાવ રૃા.૨૨૦ની સપાટીએ હતા, જે હવે વધીને અનુક્રમે રૃા.૩૦૦ અને રૃા.૨૮૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે. સિમેન્ટનાં ભાવવધારાનું કોઈ જ કારણ ન હોવા છત્તા બજારો ઊંચકાય રહી છે. ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સિમેન્ટનાં ભાવમાં આટલો જ વધારો જોવા મળ્યો છે. દક્ષિણ ભારતમાં તો છેલ્લા એક જ મહિનામાં સિમેન્ટનાં ભાવમાં ગુણીએ રૃા.૭૦નો ઊછાળો આવ્યો છે.
બોમ્બે સિમેન્ટ સ્ટોકિસ્ટ અને ડિલર એસોસિયેશનનાં પ્રમુખ સંજય લાડીવાલાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ સમયગાળામાં લોજિસ્ટિગ સમસ્યાને કારણે સિમેન્ટનાં ભાવમાં ઉછાળો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન વેગનને કૃષિપાકોની હેરફેર માટે વધુ ફાળવવામાં આવતી હોવાથી સિમેન્ટને વેગન ઓછી મળે છે, પરિણામે દેશનાં કેટલાક વિસ્તારોમાં સિમેન્ટનો પૂરવઠો ઓછો મળે છે.
તેમણે વધુમાં કહ્યું કે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન સિમેન્ટની માંગ પણ વધી શકે છે. અનેક પ્રકારનાં સરકારી કામો ખુલે છે અને નાણાકીય વર્ષ પુરૃ થાય એ પહેલા પૂર્ણ કરવાનો પણ લક્ષ્યાંક હોય છે જેને કારણે સરકારી પ્રોજેક્ટ માટે સિમેન્ટની માંગ વધે છે.
સિમેન્ટની ઉત્પાદનની પડતરમાં કોઈ જ વધારો થયો નથી. વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ છેલ્લા છ-સાત મહિનામાં ૬૦ ટકાથી વધુ ઘટી ગયા હોવાથી ભારતીય બજારમાં પણ પેટ્રોલિયમ-ઈંધણનાં ભાવ ઘટ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ડીઝલનાં ભાવ ઘટાડાને કારણે ઘટી છે તેમ છત્તા ગુજરાતની બજારમાં સિમેન્ટનાં ભાવ વધારાનું કારણ ઉત્પાદકોની કાર્ટેલ સિવાય કંઈ જ લાગતું નથી તેમ એક અગ્રણી સિમેન્ટ ડિલરે જણાવ્યું હતું.

મુંબઈનાં લાડીવાલાએ વધુમાં કહ્યું કે દેશમાં અત્યારે સિમેન્ટ બજારમાં આશરે ૧૦૦૦ લાખ ટનની ઓવર કેપિસીટી છે અને જેટલી ઉત્પાદન ક્ષમતા છે તેનું ૬૮ ટકા જ ઉત્પાદન હાલ થઈ રહ્યું છે. આમ ઉત્પાદન ક્ષમતાં કરતાં ઓછું થતું હોવાથી અને માંગ વધવાને કારણે ઉત્તર ભારતમાં ભાવ હજુ પણ વધે તેવી ધારણાં છે. દેશમાં સરેરાશ ચાલુ વર્ષે સિમેન્ટની માંગ ૬થી ૬.૫ ટકા વચ્ચે વધે તેવી ધારણાં છે. કેટલાક સરકારી પ્રોજેક્ટનો મંજૂરી મળી છેપરંતુ તેની શરૃઆત હજુ થઈ નથી, જે આગામી દિવસોમાં થશે તો માંગ હજુ વધશે.પેટ્રોલિયમ પ્રોડક્ટ અને અન્ય કાચા માલનાં ભાવ ઘટ્યાં હોવાથી સરેરાશ સિમેન્ટ ઉત્પાદકોની ઉત્પાદન પડતર નીચી આવી છે, જેને કારણે સિમેન્ટ કંપનીઓનું માર્જિન પણ વધ્યું છે.
(Date 17 jan.2015)

08 January 2015

Indias december oilmeal exports jump 107 mom

તેલીબિયાં ખોળની નિકાસ ડિસેમ્બરમાં નવેમ્બર કરતાં બમણી થઈ
એરંડા અને રાયડા ખોળની જંગી નિકાસથી સરેરાશ નિકાસનું ચીત્ર સુધર્યું
દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં ફરી એક વાર વેગ આવ્યો છે. તેલીબિયાં ખોળની ડિસેમ્બર મહિનામાં નિકાસ આગલા મહિનાની તુલનાએ સરેરાશ બમણાથી પણ વધારે નોંધાય છે. ખાસ કરીને એરંડા અને રાયડા ખોળની નિકાસ વધતા કુલ નિકાસમાં વધારો જોવા મળ્યો છે.
સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા નિકાસના આંકડાઓ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં કુલ ૩.૮૯ લાખ ટન તેલીબિયાં ખોળની નિકાસ થઈ છે, જે આગલા મહિને ૧.૮૮ લાખ ટન થઈ હતી. ગત વર્ષની તુલનાએ ડિસેમ્બરની નિકાસ ૩૪ ટકા ઘટી છે. ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ નવ મહિનામાં નિકાસ ગત વર્ષની તુલનાએ ૪૨ ટકા ઘટી છે.
 સીના એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સોયાખોળની નિકાસમાં ડિસ્પેરિટીને કારણે ઘટી રહી છે, પરંતુ રાયડા ખોળ અને રાઈસબ્રાન ખોળની સારી માંગ છે. રાયડા ખોળની નિકાસ પ્રથમ નવ મહિનામાં ૩૧ ટકા વધી છે અને રાઈસબ્રાન ખોળની બમણી નિકાસ થઈ છે.
વૈશ્વિક બજારમાં રાયડા અને એરંડા ખોળનાં નિકાસ ભાવ સરેરાશ ડિસેમ્બર મહિનામાં વધ્યાં છે. રાયડાખોળની ડિસેમ્બરમાં સરેરાશ ૨૮૬ ડોલરથી નિકાસ થઈ છે, જે આગલા મહિને ૨૫૨ ડોલર હતાં. એરંડા ખોળમાં ૯ ડોલરનો વધારો થઈને ૧૩૬ ડોલરનાં ભાવ થયાં છે. સોયાખોળમાં ભાવ ઘટ્યાં છે.
પાલનપુરનાં એક નિકાસકારે જણાવ્યું હતું કે રાયડાખોળમાં નિકાસ માંગની સાથે કાચા માલની અછત હોવાથી પણ બજારો વધ્યાં છે.  નિકાસમાં અત્યારે કોરિયાની સારી માંગ હોવાથી ચાલુ મહિને પણ નિકાસ સારી જ રહે તેવી ધારણાં છે.
દેશમાંથી છેલ્લા બે મહિના દરમિયાન તેલીબિયા ખોળની નિકાસ ( ટનમાં)
ખોળનું નામ            નવેમ્બર             ડિસેમ્બર       ફેરફાર (ટકામાં)
સોયાખોળ              ૧૧૦૮૦૬        ૧૯૮૮૩૨    ૭૯.૪૪
રાયડાખોળ              ૩૯૧૩૩           ૧૨૯૭૦૭    ૨૩૧.૪૫
રાઈસબ્રાન              ૩૪૬૩૮           ૧૮૨૦૦      ---
એરંડાખોળ              ૩૬૬૭             ૪૮૦૭૨      ૧૨૧૦
કુલ નિકાસ      ૧૮૮૬૩૯      ૩૮૯૮૧૧      ૧૦૬.૬૪
(Date. 7 Jan.2015)


Gujarat Ravi Sowing 5 Janu.2015

ગુજરાતમાં વરિયાળું વાવેતર ૩૯ ટકા વધ્યું ઃ ઈસબગુલમાં પણ વધારો
-ગુજરાતમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

ગુજરાતમાં મોટા ભાગનું રવિ વાવેતર હવે પૂર્ણ થઈ ગયું છે અને ચાલુ વર્ષે સરેરાશ મોટા ભાગનાં મુખ્ય રવિ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ વરિયાળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૩૯ ટકા વધ્યું છે, જ્યારે ઈસબગુલનાં વાવેતરમાં પણ ૧૪ ટકાનો વધારો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૫મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરને પાર થયું છે, જે ગત વર્ષે ૩૭.૨૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં જીરૃનું વાવેતર ૪૨ ટકા ઘટ્યું છે. જ્યારે ઘઉંનું વાવેતર ૨૩ ટકા ઘટ્યું છે.

ગુજરાતમાં શેરડી અને તમાકુનાં વાવેતર પણ ચાલુ વર્ષે વધારો થયો છે. શેરડીનું વાવેતર ચાલુ વર્ષે ૧.૭૧ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૩૨ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે તમાકુનું વાવેતર ૧.૨૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૨ હજાર હેકટરમાં જ થયું હતું.
(Date. 6 Jan.2015)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...